AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરના ભાલ પંથકમાં પૂરનો પ્રકોપ, પાળિયાદમાં 3 દિવસ બાદ પણ પાણી ન ઓસરતા ગામલોકો ત્રાહિમામ- Video

સીઝનના પહેલા વરસાદે જ ભાવનગર જિલ્લાને તરબોળ કરી દીધો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઠેકઠેકાણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભાલ પંથકમાં વરસાદ રહી ગયા બાદ પણ પાણી ઓસર્યા નથી. વરસાદના વિરામ બાદ પણ પાણી ન ઉતરતા ગામલોકો ત્રાહિમામ થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2025 | 6:52 PM
Share

ચોમાસાની શરૂઆતમાં જ ભાવનગર જિલ્લામાં મેઘારાજાનું રૌદ્ર રૂપ જોવા મળ્યુ. સતત વરસેલા ધોધમાર વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં ઠેકઠેકાણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ભાલ પંથકમાં વરસાદ રહી ગયા બાદ પણ પૂરના પાણી ઓસર્યા નથી. પાળિયાદમાં છેલ્લા ત્રણ દિવસથી ઠેકઠેકાણે પાણી ભરાયેલા છે. જેના કારણે ગામલોકો ત્રાહિમામ બન્યા છે. પૂરના કારણે સંપર્ક કપાવાથી પાળિયાદ ગામ બે દિવસ સંપર્ક વિહોણુ બન્યુ હતુ. ગામલોકો હજુ પણ પૂરના પાણીમાંથી આવાગમન કરવા મજબુર બન્યા છે જેના કારણે ભારે મુશ્કેલી પડી રહી છે. ગામમાં કોઈ વાહન પણ ચાલી શકે તેમ નથી. ટ્રેક્ટર કે બોટનો સહારો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

પૂરના પાણીમાં તણાવાથી અત્યાર સુધીમાં 10 કાળિયારના મોત

આ તરફ ભાલમાં પૂરના પાણીમાં અનેક વન્ય પ્રાણીઓ પણ તણાયા છે. વરસાદી પાણીમાં તણાઈ જતા ત્રણ કાળિયારના મોત થયા છે. આ પહેલા સવાઈનગરમાં ગઈકાલે 7 કાળિયારના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે સવાઈનગર અને દેવળિયાના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના પગલે જનજીવન પ્રભાવિત થયુ હતુ. આ પાણી કાળિયાર માટે મોતના પાણી સાબિત થયા છે. કાળિયાર ફસાયા હોવાની વિગતો મળતા મોબાઈલ સ્કવોડ ટીમે બે કાળિયારને રેસક્યુ કર્યા હતા. હાલ અન્ય વિસ્તારોમાં પણ સ્કેનિંગની કામગીરી ચાલી રહી છે.

પૂૂરના કારણે અંતિમ યાત્રા કાઢવામાં આવી ભારે મુશ્કેલી

ભાલ પંથકમા આવેલા પૂરને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયુ છે. માઢીયા ગામમાં પૂરના કારણે મૃતકની સ્મશાન યાત્રા કાઢવામાં ભારે મુશ્કેલી સામે આવી હતી. ઢીંચણ સમા પાણીમાંથી અંતિમયાત્રા કાઢવા માટે ગામલોકો મજબુર બન્યા હતા. ત્રણ દિવસથી ભાલ પંથકના ગામોમાં વરસાદના પાણી ફરી વળ્યા છે. જેના કારણે ગામલોકોનું જીવન ખોરવાયુ છે. સ્મશાન યાત્રાનો આ વીડિયો બતાવે છે કે જીવનપર્યંત સંઘર્ષ કર્યા બાદ મૃત્યુ પછી પણ મુક્તિ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

છોટાઉદેપુરમાં રસ્તો ન હોવાથી ફરી સગર્ભાને ઝોળીમાં ઉંચકીને લઈ જવાઈ, કાચા રસ્તાને કારણે ન પહોંચી શકી 108 – જુઓ Video– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
g clip-path="url(#clip0_868_265)">