નમામિ દેવી નર્મદે : આજે નર્મદા જયંતીની ઉજવણી કરાશે, લોકમાતાના પૂજન અને આસ્થાની ડૂબકી લગાવવા શ્રદ્ધાળુઓ ઉમટી પડશે

એક દંતકથા અનુસાર ભગવાન શિવ તપસ્યા કરવા માટે મૈકલ પર્વત પહોંચ્યા હતા. આ પર્વત છત્તીસગઢમાં આવેલો છે. તપ દરમિયાન તેમના પરસેવાના ટીપાથી આ પર્વત પર કુંડ રચાયું હતું. આ કુંડમાં એક દીકરીનો જન્મ થયો હતો. ભોલેનાથના આદેશ અનુસાર તે દીકરીને નર્મદાનું નામ અપાયું હતું.

નમામિ દેવી નર્મદે : આજે નર્મદા જયંતીની  ઉજવણી કરાશે, લોકમાતાના પૂજન અને આસ્થાની ડૂબકી લગાવવા શ્રદ્ધાળુઓ ઉમટી પડશે
Narmada Jayanti is being celebrated
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2023 | 7:58 AM

આજે પુણ્ય સલિલા તરીકે ઓળખાતી લોકમાતાની નર્મદા જયંતિ છે. આ પવન અવસરે ભરૃચમાં દશાશ્વમેઘ ઘાટ અને અંક્લેશ્વર રામકુંડ સ્થિત નર્મદા મંદિર અને નર્મદાના કિનારે આવેલ અનેક સ્થળોએ નર્મદા પૂજન સાથે પર્વનીઉજવણી કરવામાં આવશે. દેશમાં નર્મદા જયંતિના પર્વનું ખૂબ જ મહત્વ જોડાયેલું છે. આ પર્વ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવાય છે. નર્મદા જયંતિએ નર્મદા નદીને પૃથ્વીની પોષક અને તારણહાર તરીકે પૂજવામાં આવે છે. આજના દિવસે અમરકંટકમાં તેના માટે ખાસ આયોજન કરવામાં આવે છે કારણ કે તે નર્મદા માતાનું તે ઉત્પત્તિ સ્થાન છે. હિન્દુ કેલેન્ડર મુજબ નર્મદાનો જન્મ મહા મહિનાની શુક્લ પક્ષની સપ્તમીએ થયો હતો. રામાયણથી લઈને મહાભારત અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં નર્મદા નદીના મહત્વનું વર્ણન કરાયું છે.

લોકમાતા નર્મદાની ઉત્પત્તિ

એક દંતકથા અનુસાર ભગવાન શિવ તપસ્યા કરવા માટે મૈકલ પર્વત પહોંચ્યા હતા. આ પર્વત છત્તીસગઢમાં આવેલો છે. તપ દરમિયાન તેમના પરસેવાના ટીપાથી આ પર્વત પર કુંડ રચાયું હતું. આ કુંડમાં એક દીકરીનો જન્મ થયો હતો. ભોલેનાથના આદેશ અનુસાર તે દીકરીને નર્મદાનું નામ અપાયું હતું. નર્મદા દેશના એક મોટા હિસ્સામાં પ્રવાહિત થઇ લોક કલ્યાણ કરવા લાગી હતી. તે રવ એટલેકે અવાજ કરતી વહેવા લાગી અને તેથી માટે તેને રેવા નામથી પણ ઓળખ મળી હતી મૈકલ પર્વતમાંથી નીકળતી હોવાથી તેનું નામ મૈકલ સુતા પણ રાખવામાં આવ્યું હતું .

આ કથા અતિ પ્રચલિત છે

ચંદ્ર વંશના રાજા હિરણ્યતેજ હતા. રાજાને તેમના પૂર્વજોના તર્પણ દરમિયાન જ્ઞાન થયું હતું કે તેમના પૂર્વજ અતૃપ્ત છે. આ પૂર્વજોના ઉદ્ધાર અર્થે તેમણે શિવજીની ઉપાસના કરવાનું નક્કી કર્યું હતું. રાજાની તપસ્યાથી પ્રસન્ન થઇ શિવજીએ ફળ સ્વરૂપ વરદાન તરીકે નર્મદા પૃથ્વી પર અવતરિત કરી હતી. ભગવાન શિવએ લોકોના કલ્યાણ માટે ધરતી પર આવેલી નર્મદા લોકમાતાનું બિરુદ આપી વરદાન આપ્યું હતું કે તેમના દર્શનથી જ મનુષ્યને પુણ્ય મળશે. આ કારણોસર નર્મદા જયંતીનો દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ધાર્મિક ગ્રંથોમાં નર્મદાનું વર્ણન

ધાર્મિક ગ્રંથો અનુસાર નર્મદા નદી પ્રલય દરમિયાન પણ શાંત રહે છે અને તેના દર્શનથી જ લોકોનો ઉદ્ધાર થઇ જાય છે. તે દેશની પાંચ મોટી અને સાત પવિત્ર નદીઓની યાદીમાં સામેલ છે. ગંગા, યમુના, સરસ્વતીની સમાન નર્મદાનું મહત્વ છે. મહર્ષિ માર્કન્ડેય અનુસાર નર્મદાના કણ કણમાં ભગવાન શિવ છે. તેમાં સ્નાન, પાણીનો સ્પર્શ કરવો અથવા માત્ર દર્શનથી જ પુણ્ય મળે છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">