AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: પાટડીના રણમાં નર્મદાનું પાણી પહોંચી જતા અગરિયાઓની મુશ્કેલી વધી, અગરમાં પાણી ભરાઈ જતા લાખોનું નુકસાન

Surendranagar: અગરિયાઓની મુશ્કેલી ફરી વધી છે. નર્મદાનું પાણી અગરમાં ફરી વળતા મીઠુ પકવતા અગરિયાઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અગરિયાઓની 6થી7 મહિનાની કાળી મજૂરી પર પણ પાણી વળ્યા છે.

Video: પાટડીના રણમાં નર્મદાનું પાણી પહોંચી જતા અગરિયાઓની મુશ્કેલી વધી, અગરમાં પાણી ભરાઈ જતા લાખોનું નુકસાન
નર્મદાના પાણી ફરી વળ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 11:44 PM
Share

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓની મુશ્કેલી પણ ઓછી થવાને બદલે વધી રહી છે કેમકે રણમાં નર્મદાનું પાણી પહોંચી જતાં અગરમાં પાણી પાણી થઈ ગયું છે, જેના કારણે અગરીયાઓની સ્થિતિ દયનીય છે અને રણ જાણે બેટમાં ફેરવાયુ છે.

દર ચોમાસા પછી પાણી સુકાતા ખારાઘોઢા, પાટડી, કુડા, નિમંકનગર, ઝીંઝુવાડા સહિતના અગરીયાઓ રણમાં પહોંચી છથી સાત મહિના સુધી કાળી મજૂરી કરી મીઠું પકવતા હોય છે. એક અંદાજ મુજબ સમગ્ર દેશની ખાધ સામે સુરેન્દ્રનગર જીલ્લામાં જ 20 ટકા જેટલું મીઠાનું ઉત્પાદન થાય છે અને આ અગરીયાઓ રણમાં પચાસ ડીગ્રી તાપમાન હોય તો પણ ધોમધખતા તાપમાં રણમાં રહીને મીઠું પકવતા હોય છે.

સરકાર દ્વારા રણમાં અગરીયાઓના બાળકો માટે બસ શાળા પણ શરૂ કરાઈ છે. જેથી અગરીયાઓના બાળકોનું ભણતર ન બગડે, પરંતુ તંત્રની અણ આવડતના લીધે અગરીયાઓ પોતે જ મુશ્કેલીમાં મુકાયા છે. રણમાં હાલ નર્મદા કેનાલનું પાણી પહોંચી જતાં મીઠાના અગરમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે રણ બેટમાં ફેરવાઈ ગયું છે.

નર્મદા કેનાલનું લાખો કયુસેક પાણી છોડાતા રણમાં પાણી ફરી વળ્યુ છે. અગરિયાઓના પાટા ધોવાયા છે. રણમાં જવા માટે હોડકાનો સહારો લેવો પડી રહ્યો છે. એટલું જ નહીં શાળામાં પણ પાણી ભરાયા છે. રણમાં પાણી ભરાયેલું હોવાથી પીવાના પાણીનું ટેન્કર બંધ થયું છે. લોકોને પીવાના પાણી માટે પણ ફાંફા મારવા પડી રહ્યા છે. આરોગ્યની સેવાઓ પ્રભાવિત થઈ છે. લોકોને યોગ્ય સારવાર પણ નથી મળી રહી. અગરિયાનું કહેવું છે કે તેમના પાટામાં પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે. જો સરકાર મદદ નહીં કરે તો ખાવાના પણ ફાંફા પડશે.

આ પણ વાંચો: Video : સુરેન્દ્રનગરના લીંબડીમાં થયેલી 1 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, મધ્યપ્રદેશથી 6 આરોપીની ધરપકડ

હાલ અગરીયાઓની સ્થિતિ ઉપર આભ અને નીચે ધરતી જેવી છે. આ અગરિયાઓ સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે. વર્ષ 2017 અને 2020માં પણ અગરમાં પાણી ભરાઈ જતાં સરકારે કમીટી નીમી હતી, પરંતુ હજુ સુધી કોઈ સહાય મળી નથી. ત્યારે દિવસ રાત મહેનત કરીને રોજી રોટી કમાતા આ અગરિયા સામે સરકાર ક્યારે જુએ છે. એ એક મોટો સવાલ છે.

ઈનપુટ ક્રેડિટ- સાજીદ બેલીમ- સુરેન્દ્રનગર

ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">