Video: પાટડીના રણમાં નર્મદાનું પાણી પહોંચી જતા અગરિયાઓની મુશ્કેલી વધી, અગરમાં પાણી ભરાઈ જતા લાખોનું નુકસાન

Surendranagar: અગરિયાઓની મુશ્કેલી ફરી વધી છે. નર્મદાનું પાણી અગરમાં ફરી વળતા મીઠુ પકવતા અગરિયાઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અગરિયાઓની 6થી7 મહિનાની કાળી મજૂરી પર પણ પાણી વળ્યા છે.

Video: પાટડીના રણમાં નર્મદાનું પાણી પહોંચી જતા અગરિયાઓની મુશ્કેલી વધી, અગરમાં પાણી ભરાઈ જતા લાખોનું નુકસાન
નર્મદાના પાણી ફરી વળ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 11:44 PM

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓની મુશ્કેલી પણ ઓછી થવાને બદલે વધી રહી છે કેમકે રણમાં નર્મદાનું પાણી પહોંચી જતાં અગરમાં પાણી પાણી થઈ ગયું છે, જેના કારણે અગરીયાઓની સ્થિતિ દયનીય છે અને રણ જાણે બેટમાં ફેરવાયુ છે.

દર ચોમાસા પછી પાણી સુકાતા ખારાઘોઢા, પાટડી, કુડા, નિમંકનગર, ઝીંઝુવાડા સહિતના અગરીયાઓ રણમાં પહોંચી છથી સાત મહિના સુધી કાળી મજૂરી કરી મીઠું પકવતા હોય છે. એક અંદાજ મુજબ સમગ્ર દેશની ખાધ સામે સુરેન્દ્રનગર જીલ્લામાં જ 20 ટકા જેટલું મીઠાનું ઉત્પાદન થાય છે અને આ અગરીયાઓ રણમાં પચાસ ડીગ્રી તાપમાન હોય તો પણ ધોમધખતા તાપમાં રણમાં રહીને મીઠું પકવતા હોય છે.

સરકાર દ્વારા રણમાં અગરીયાઓના બાળકો માટે બસ શાળા પણ શરૂ કરાઈ છે. જેથી અગરીયાઓના બાળકોનું ભણતર ન બગડે, પરંતુ તંત્રની અણ આવડતના લીધે અગરીયાઓ પોતે જ મુશ્કેલીમાં મુકાયા છે. રણમાં હાલ નર્મદા કેનાલનું પાણી પહોંચી જતાં મીઠાના અગરમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે રણ બેટમાં ફેરવાઈ ગયું છે.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

નર્મદા કેનાલનું લાખો કયુસેક પાણી છોડાતા રણમાં પાણી ફરી વળ્યુ છે. અગરિયાઓના પાટા ધોવાયા છે. રણમાં જવા માટે હોડકાનો સહારો લેવો પડી રહ્યો છે. એટલું જ નહીં શાળામાં પણ પાણી ભરાયા છે. રણમાં પાણી ભરાયેલું હોવાથી પીવાના પાણીનું ટેન્કર બંધ થયું છે. લોકોને પીવાના પાણી માટે પણ ફાંફા મારવા પડી રહ્યા છે. આરોગ્યની સેવાઓ પ્રભાવિત થઈ છે. લોકોને યોગ્ય સારવાર પણ નથી મળી રહી. અગરિયાનું કહેવું છે કે તેમના પાટામાં પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે. જો સરકાર મદદ નહીં કરે તો ખાવાના પણ ફાંફા પડશે.

આ પણ વાંચો: Video : સુરેન્દ્રનગરના લીંબડીમાં થયેલી 1 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, મધ્યપ્રદેશથી 6 આરોપીની ધરપકડ

હાલ અગરીયાઓની સ્થિતિ ઉપર આભ અને નીચે ધરતી જેવી છે. આ અગરિયાઓ સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે. વર્ષ 2017 અને 2020માં પણ અગરમાં પાણી ભરાઈ જતાં સરકારે કમીટી નીમી હતી, પરંતુ હજુ સુધી કોઈ સહાય મળી નથી. ત્યારે દિવસ રાત મહેનત કરીને રોજી રોટી કમાતા આ અગરિયા સામે સરકાર ક્યારે જુએ છે. એ એક મોટો સવાલ છે.

ઈનપુટ ક્રેડિટ- સાજીદ બેલીમ- સુરેન્દ્રનગર

Latest News Updates

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
g clip-path="url(#clip0_868_265)">