AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: આદિવાસી સમાજના વરિષ્ઠ નેતા છોટુ વસાવાએ કહ્યુ, ‘હું ચૂંટણી લડીશ અને BTPના કાર્યકરોને પણ ચૂંટણી લડાવીશ’

વિધાનસભા ચૂંટણીને (Assembly election) લઇને BTP એ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. વિધાનસભાની ચૂંટણી માટે BTPએ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. નાંદોદ બેઠક પર BTPએ મહેશ વસાવાને ટિકિટ આપી છે. તો ઝઘડીયા અને ડેડીયાપાડા બેઠક પર ઉમેદવારોને જાહેર નથી કર્યા.

Gujarat Election: આદિવાસી સમાજના વરિષ્ઠ નેતા છોટુ વસાવાએ કહ્યુ, 'હું ચૂંટણી લડીશ અને BTPના કાર્યકરોને પણ ચૂંટણી લડાવીશ'
આદિવાસી સમાજના નેતા છોટુ વસાવાએ ચૂંટણી લડવાનો હુંકાર કર્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2022 | 10:17 AM
Share

BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી)  નેતા છોટુ વસાવા ચૂંટણી લડશે કે કેમ તેની અટકળો પર અંત આવ્યો છે. આદીવાસી સમાજના વરિષ્ઠ નેતા છોટુ વસાવા આગામી ચૂંટણી લડશે. છોટુ વસાવા કહ્યું કે, મારા વિરુદ્ધ ખોટા પ્રચારનું કાવતરું રચાયું હતું, હું ચૂંટણી લડીશ અને BTPના કાર્યકરોને પણ ચૂંટણી લડાવીશ. તો બીજી તરફ AAP પર પ્રહાર કરતા કહ્યુ કે, “AAPએ ભાજપની B ટીમ છે. ભાજપ અને AAP એક જ સમાન છે.”

આ પહેલા એવી ચર્ચાઓ થઇ રહી હતી કે છોટુ વસાવા ચૂંટણી લડવાના નથી. જો કે છોટુ વસાવાએ આ અંગે સ્પષ્ટતા કરી છે. છોટુ વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યુ છે કે હું આગામી વિધાનસભાની ચૂંટણી લડવાનો છું. તેમણે ખોટી ચર્ચાઓનું ખંડન કરતા કહ્યુ કે, હું ચૂંટણી લડીવાનો છુ અને BTPના કાર્યકરોને પણ ચૂંટણી લડાવવાનો છું.

BTPએ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. ત્યારે હવે દરેક પક્ષ પોતાના ઉમેદવારોની પસંદગીમાં લાગી ગયા છે. તો કેટલાક રાજકીય પક્ષોએ તો ઉમેદવારોની કેટલીક યાદી પણ જાહેર કરી દીધી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કેટલાક ઉમેદાવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે આજે બીટીપી દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, બીટીપીએ 12 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે.

વિધાનસભા ચૂંટણીને લઇને BTP એટલે તે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. વિધાનસભાની ચૂંટણી માટે BTPએ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. નાંદોદ બેઠક પર BTPએ મહેશ વસાવાને ટિકિટ આપી છે. તો ઝઘડીયા અને ડેડીયાપાડા બેઠક પર ઉમેદવારોને જાહેર નથી કર્યા. ગુજરાતના કુલ મત પૈકી 14 ટકા મત આદિવાસી સમુદાયના છે. રાજ્યમાં આદિવાસીઓ માટે કુલ 27 બેઠકો અનામત છે, આ સિવાય 19 બેઠકો પર આદિવાસી મતદારો નિર્ણાયક ભૂમિકામાં હશે, એટલે કે આ 19 બેઠકો પર જીતવું હોય તો આદિવાસી મતદારોને રિઝવવા પડશે.

BTPના ઉમેદવારોની યાદી

  1. ડૉ. માર્ક કટારા – ભિલોડા
  2. મનસુખ કટારા – ઝાલોદ
  3. મેડા દેવેન્દ્ર લક્ષમણભાઇ – દાહોદ
  4. ફૂરકન બલજી રાવઠા – સંખેડા
  5. ઘનશ્યામ વસાવા – કરજણ
  6. નાંદોદ – મહેશ વસાવા
  7. મણીલાલ પંડ્યા – જંબુસર
  8. વિજય વસાવા – ઓલપાડ
  9. સુનિલ ગામી – વ્યારા
  10. સમીર નાઇક – નિઝર
  11. મિલેશ ઝાંબરે – ડાંગ
  12. સુરેશ પટેલ – ધરમપુર

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">