ભરૂચ જિલ્લાના 5 ગામના લોકો માટે મોત સાથે બાથ ભીડવી એ કોઈ નવી વાત નથી, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ Video

ઝઘડિયા તાલુકાના રાજપરા, રૂપણીયા, મોટા સોરવા, નાના સોરવા, હરીપુરા અને ઉચ્છદ ગામોના લોકો ચોમાસાની શરૂઆત સાથે ચિંતામાં ગરક થઇ જાય છે.

ભરૂચ જિલ્લાના 5 ગામના લોકો માટે મોત સાથે બાથ ભીડવી એ કોઈ નવી વાત નથી, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 1:05 PM

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના 5 ગામના લોકો દરરોજ મોત સાથે બાથ ભીડવા મજબુર છે. 5 ગામને તાલુકામથક સાથે જોડતો માર્ગ ધસમસતા પાણીમાંથી પસાર થતો હોવાથી બાળકોના શાળાએ જવાથી લઈ નોકરિયાતોને કામ ઉપર જવા અને બીમારોને હોસ્પિટલ લઈ જવા પાણીમાંથી પસાર થવું પડે છે. ચોમાસાના ૪ મહિના વૃદ્ધોની તો એ હાલત થાય છે કે તેમણે ગામમાં કેદ રહેવું પડે છે. ગામના નાળા ઉપર મધુમતી ખાડીના પાણી ફરી વળવાથી આ પરિસ્થિતિ સર્જાય છે. સ્થાનિકો પરિસ્થિતિથી એ હદે કંટાળ્યા છે કે હવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ઝઘડિયા તાલુકાના રાજપરા, રૂપણીયા, મોટા સોરવા, નાના સોરવા, હરીપુરા અને ઉચ્છદ ગામોના લોકો ચોમાસાની શરૂઆત સાથે ચિંતામાં ગરક થઇ જાય છે. વરસાદ સાથે આ ગામોને તાલુકામથક સાથે જોડતો રસ્તો જોખમી બની જાય છે. ગામના નાળા ઉપર મધુમતી ખાડીના પાણી સામાન્ય વરસાદ દરમ્યાન પણ ધસમસતા વહે છે જયારે ભારે વરસાદ દરમ્યાન તો અહીં ફ્લેશ ફ્લડ જેવા દ્રશ્યો સર્જાય છે. ગામમાં રહેલા લોકો વરસાદ ધીમો ન પડે ત્યાં ત્યાં સુધી ગામમાં રહે છે અને ગામની ભાર ગયેલા લોકો પાણીનો પ્રવાહ ધીમો ન પડે ત્યાં સુધી ગામની બહાર રહે છે.

સૌથી બદતર હાલતતો ગામના બાળકોની થાય છે. શાળાએ જવા નીકળેલું બાળક હેમખેમ પરત ન ફરે ત્યાં સુધી પરિવારનો શ્વાસ અધ્ધર રહે છે. બાળકોને ખબે બેસાડી ગામલોકો નદી પસાર કરાવી આપે છે જે બાદ બાળકો શાળાએ જાય છે બીજી તરફ સાંજે પણ બાળકો વડીલોનો ઇંતેજાર કરે છે. બાળકો નદી પસાર કરતા હોય ત્યારે અચાનક તેજ પ્રવાહ આવી જવાનો સતત ભય રહે છે. સ્થાનિકો અનુસાર ૪ મહિના ગામમાં કોઈ બીમાર પડે તો એમ્બ્યુલન્સ પણ આવી શક્તિ નથી. બિમારને ટીંગાટોળી કરી પાણીની બહાર લવાય છે જે બાદ તેને હોસ્પિટલ રવાના કરાય છે.

વર્ષો જૂની સમસ્યાથી હવે ગ્રામજનો કંટાળ્યા છે જે આ ચોમાસા પછી પૂલની સમસ્યા હલ ન થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

Latest News Updates

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">