BHARUCH: ખેડૂત નેતા રાકેશ ટીકૈતના સમર્થનમાં ઉતર્યા BTPના ધારાસભ્ય છોટુ વસાવા
કેન્દ્ર સરકારના ખેડૂત કાયદાને લઈ છેલ્લા 60 કરતા વધુ દિવસોથી ખેડૂત સંગઠનો દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. ગુજરાતમાંથી ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના અધ્યક્ષ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
કેન્દ્ર સરકારના ખેડૂત કાયદાને લઈ છેલ્લા 60 કરતા વધુ દિવસોથી ખેડૂત સંગઠનો દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. ગુજરાતમાંથી ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના અધ્યક્ષ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. BTPના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂત આંદોલન મુદ્દે સરકારને ખુલ્લી ચેતણવી આપતા ખળભળાટ મચ્યો છે.
BTPના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે તેમની ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈત સાથે વાત થઈ છે. તેમણે રાકેશ ટિકૈતને આશ્વાસન આપ્યું છે કે જળ, જંગલ, જમીન માટે લડતા દેશના આદિવાસી ખેડૂતો પણ તમારી સાથે જ છે, તમે તમારી લડત ચાલુ રાખજો. આવનારા સમયમાં દેશના ખેડૂતો એક થઈ બંધારણીય અધિકારો માટે લડત લડશે. આંદોલનને સમર્થન આપવા બદલ રાકેશ ટીકૈતે છોટુભાઈ વસાવાનો આભાર પણ માન્યો હતો.
આ પણ વાંચો: ફિલ્મ ‘આકાશવાણી’ના સ્ક્રિનિંગ દરમિયાન અભિનેત્રી Nushrratt Bharuccha કેમ રડી પડી, કર્યો ખુલાસો