Bharuch : હથિયારો સાથે બે શકશો ભરૂચ પહોંચ્યા અને પોલીસ દોડતી થઈ… જાણો કઈ રીતે પોલીસે હત્યાની ઘટનાને અંજામ પહેલા નિષ્ફ્ળ બનાવી

પોલીસ સૂત્રો અનુસાર દહેજમાં લગ્ન પ્રસંગમાં ૫ મે ના રોજ રવિન્દ્ર રાઠોડની દિલપ્રીતસિંઘ ઉર્ફે મહોબતપ્રીત દિવાનસિંઘ અને અજયપાલ નરેન્દ્રસિંઘ વચ્ચે તકરાર થઇ હતી. આ બોલાચાલીમાં બંનેએ રવિન્દ્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Bharuch : હથિયારો સાથે બે શકશો ભરૂચ પહોંચ્યા અને પોલીસ દોડતી થઈ... જાણો કઈ રીતે પોલીસે હત્યાની ઘટનાને અંજામ પહેલા નિષ્ફ્ળ બનાવી
Police stopped the crime before execution
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 12:39 PM

લગ્ન પ્રસંગમાં તકરારની સામાન્ય બાબતમાં હત્યાનો કારસો રચનાર બે શકશોને ભરૂચ(Bharuch) ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. આ બે લોકો  પાસેથી પોલીસે એક પિસ્ટલ , દેશી હાથ બનાવટનો તમંચો , મેગ્ઝીન અને 9 જીવતા કાર્ટીઝ કબ્જે કર્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય તકરારની ઘટનાને પણ પોલીસે ગંભીરતાથી લેવાના કારણે હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ પહેલા અટકાવી શકાયો હતો. બોલાચાલીની અરજીની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર કે ડી મંડોરાને(Crime Branch PI K.D.Mandora) ધ્યાને આવતા તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે શકશો ઉપર વોચ રખાવી હતી. પોલીસની દીર્ઘદ્રષ્ટિના કારણે વેપન લઈ હત્યા કરવા નીકળેલા બંને શકશોને ઘટના પહેલાજ ઝડપી પાડવામાં આવ્યા હતા.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે નર્મદા ચોકડી વિસ્તારમાં દિલપ્રીતસિંઘ ઉર્ફે મહોબતપ્રીત દિવાનસિંઘ ઉ.વ. – ૨૫ હાલ રહેવાસી માખણીયા ફળીયુ , દહેજ અને મૂળ રહેવાસી પંજાબ અને અજયપાલ નરેન્દ્રસિંઘ ઉ.વ. – ૨૫ હાલ રહેવાસી માખણીયા ફળીયુ , દહેજ અને મૂળ રહેવાસી પંજાબને એક પિસ્ટલ , દેશી હાથ બનાવટનો તમંચો , મેગ્ઝીન અને 9 જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યા હતા. આ બંને હત્યાના ગુનાને અંજામ આપવા વેપન લાવ્યા હતા જેમને ગુનાને અંજામ આપે તે પહેલાજ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પડ્યા છે.

પોલીસ સૂત્રો અનુસાર દહેજમાં લગ્ન પ્રસંગમાં ૫ મે ના રોજ રવિન્દ્ર રાઠોડની દિલપ્રીતસિંઘ ઉર્ફે મહોબતપ્રીત દિવાનસિંઘ અને અજયપાલ નરેન્દ્રસિંઘ વચ્ચે તકરાર થઇ હતી. આ બોલાચાલીમાં બંનેએ રવિન્દ્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતની અરજી રવિન્દ્રએ દહેજ પોલીસ સ્ટેશનમાં આપી હતી. પોલીસે પ્રારંભે સામાન્ય તકરાર તરીકે મામલાની તપાસ શરૂ કરી હતી. આ અરજી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર કે ડી મંડોરાને ધ્યાને આવતા તેમણે આરોપીઓની તપાસ કરાવી હતી જેમાં ધમકી આપનાર બન્ને લોકો કામથી બહારગામ ગયા હોવાની માહિતી મળી હતી. આ બાબતને શંકાથી જોઈ તેમના પરત આવવાની અને ત્યારબાદની હિલચાલ ઉપર વોચ રાખવા ટીમને સૂચના અપાઈ હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આરોપીઓ પંજાબથી બસમાં હથિયારો સાથે ભરૂચ આવી રહ્યા હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. દિલપ્રીતસિંઘ અને અજયપાલ જેવા બસમાંથી ઉતર્યા તો પોલીસે તેમની તલાશી લીધી હતી.બંનેના સામાનની તપાસ કરતા પોલીસ ચોકી ઉઠી હતી. આ બે શકશો પાસેથી પોલીસે એક પિસ્ટલ , દેશી હાથ બનાવટનો તમંચો , મેગ્ઝીન અને 9 જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા. આરોપીઓ સામાન્ય તકરારનો બદલો લેવા હત્યા સુધીના ગુનાને અંજામ આપવાની પેરવીમાં હતા જોકે પોલીસે ઘટનાને બનતા પહેલા જ આરોપીઓને ઝડપી પડ્યા છે.હત્યાના ગુનાને અંજામ આપતા પહેલા નિષ્ફ્ળ બનાવવામાં ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેકટર જે.એન ભરવાડ સાથે પોલીસકર્મીઓ ચેતનસિંહ, સંજયભાઇ , જયેશભાઇ ,નીમેશભાઇ અને મયુરભાઇએ ટીમવર્કથી કામગીરી કરી હતી

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">