AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch : ઘરડા ઘરના વડીલો સિંધવાઈ ગણેશ ઉત્સવમાં જોડાયા, ગરબે ઘૂમી આરતીનો લ્હાવો લીધો

ગણેશજીએ  માતા - પિતાનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારથી અલગ રહેતા વડીલોનું મહત્વ સમજતા ગણેશ પંડાલના આયોજકોએ ઉત્સવમાં વડીલોને જોડ્યા હતા.

Bharuch : ઘરડા ઘરના વડીલો સિંધવાઈ ગણેશ ઉત્સવમાં જોડાયા, ગરબે ઘૂમી આરતીનો લ્હાવો લીધો
More than 30 elders of Bharuch Gharda house were given the opportunity to perform Vighnaharta Aarti.
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 4:11 PM
Share

ભરૂચ(Bharuch) કસક સ્થિત વડીલોના ઘરમાં રહેતા વડીલો માટે શહેરના સિંધવાઈ ગણેશ યુવક મંડળે બુધવારે વિશેષ આયોજન કર્યું હતું. ગણેશોત્સવમાં વિઘ્નહર્તાની આરતીનો લ્હાવો ભરૂચ ઘરડા ઘરના 30 થી વધુ વૃધ્ધોને મળતા તેઓની ખુશીનો પાર રહ્યો ન હતો. સિંધવાઈ ગણેશ યુવક મંડળે તેમની કાળજી લઈ માન સન્માન આપતા આ વડીલો ખુશીના માર્યા ગદગદ થઈ ગયા હતા. ઘરડા ઘરના 30 વડીલોએ વિઘ્નહર્તાની આરતી ઉતારી હતી. તેઓ માટે ખાસ ગરબાનો કાર્યક્રમ પણ આયોજિત કરાયો હતો. જેમાં વર્ષો બાદ આ વૃધ્ધો મનભરીને ગરબે ઘૂમ્યા હતા. સાથે જ તેમની આગતા સ્વાગતા કરી ખાસ માન સન્માન આપવામાં આવ્યું હતું

સાચું સુખ અને સ્વર્ગ માતા-પિતાની સેવામાં અને તેમના ચરણોમાં જ રહ્યું હોવાનું જેમ ગણેશજીએ શિવ-પાર્વતીની પ્રદક્ષિણા કરી સૂચવ્યું હતું તેમ આ સિંધવાઈ ગણેશ મંડળે વડીલોને માન સન્માન આપી અનોખી રીતે ઉત્સવની ઉજવણી તેમની સાથે કરી વિભક્ત થતા સમાજ અને માં-બાપ ને તરછોડતા સંતાનોને સંદેશો આપ્યો હતો કે પરમ સુખ માતા-પિતા, વડીલોના આશ્રયમાં તેમની સાથે રહેવામાં જ સમાયેલું છે.

‘દેવતાઓમાં સૌથી પહેલા કોની પૂજા કરવી જોઈએ’ તે નિર્ણય કરવા બ્રહ્માજીએ મંથન શરૂ કર્યું ત્યારે નક્કી થયું કે જે પૃથ્વીની પરિક્રમા સૌથી પહેલા કરશે તેને સૌથી પહેલા પૂજવામાં આવશે. પુરાણાંતર અનુસાર ગણેશે ભગવાન શંકર અને પાર્વતીની પરિક્રમા કરી હતી. એટલે કે તેણે માતા-પિતાને આખી દુનિયા માની અને તેમના સાત ફેરા ફર્યા હતા. આ જોઈને શિવનું હૃદય ગદગદ થઈ ગયું અને આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી હતી. દેખીતી રીતે ભગવાન ગણેશ બાકીના દેવતાઓમાંથી પ્રથમ આવ્યા હતા. તેમની બુદ્ધિ જોઈને ભગવાન બ્રહ્માએ તેમને પ્રથમ ઉપાસક બનાવ્યા. તેથી દરેક ક્રિયામાં પ્રથમ તેમની પૂજા કરવામાં આવે છે.

ગણેશજીએ  માતા – પિતાનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારથી અલગ રહેતા વડીલોનું મહત્વ સમજતા ગણેશ પંડાલના આયોજકોએ ઉત્સવમાં વડીલોને જોડ્યા હતા.  કસક સ્થિત વડીલોના ઘરમાં રહેતા વડીલો માટે શહેરના સિંધવાઈ ગણેશ યુવક મંડળે બુધવારે વિશેષ આયોજન કર્યું હતું. ગણેશોત્સવમાં વિઘ્નહર્તાની આરતીનો લ્હાવો આપવામાં આવ્યો હતો. વડીલો માટે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વડીલો મનમુકીને ગરબે પણ ઘૂમ્યા હતા અને આનંદ માણ્યો હતો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">