BHARUCH : વિદેશથી 1257 લોકો 41 દિવસમાં ભરૂચ પહોંચ્યા, તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો

ભરૂચ(Bharuch)માં ઓમિક્રોન(Omicron)ની આફત વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં જ 141 લોકો હાઈરીસ્ક કન્ટ્રીમાંથી આવ્યા છે.

BHARUCH : વિદેશથી 1257 લોકો 41 દિવસમાં ભરૂચ પહોંચ્યા, તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો
In one week, 141 people reached Bharuch from the high-risk country
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 8:08 AM

ભરૂચ(Bharuch) ઉદ્યોગનગરી તરીકે ઓળખાય છે જ્યાં દેશ – વિદેશના અલગ – અલગ પ્રાંતથી લોકો આવીને વસ્યા છે. ભરૂચ જિલ્લામાં આવેલી દેશની સૌથી મોટી અને ઝડપી વિકસિત ઔદ્યોગિક વસાહતોમાં મળતી નેશનલ કંપનીઓમાં વિદેશી અધિકારીઓ અને ટેક્નિકલ એક્સપર્ટ સમયાંતરે વિઝીટ કરતા હોય છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં NRI લોકો વસે છે જે સમયાંતરે વતનની મુલાકાત લેતા હોય છે.

ભરૂચ જિલ્લામાંથી ખાસ કરી દક્ષિણ આફ્રિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, સાઉદી, રશિયા અને અમેરિકામાં વધુ લોકો વેપાર, ધંધા, રોજગાર અને અભ્યાસ માટે આવાગમન કરતા હોય છે તેમાં પણ સાઉથ આફ્રિકા ઠરીઠામ થયેલા લોકોનો વર્ગ વિશેષ છે. કોરોનાના નવા એમિક્રોન વેરિયન્ટની આફતને લઈ જિલ્લાનું પ્રશાસન પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. નવા વેરિયન્ટ બાદ વિદેશથી જિલ્લામાં આવેલા 1257 લોકોને લઇ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટને લઈ ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં વિદેશથી આવેલા 1257 લોકોને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. એરપોર્ટ ઉપર જ અન્ય દેશોમાંથી આવતા લોકોનું સ્ક્રેનિગ અને કોરોના રિપોર્ટ કાઢવામાં આવે છે. જેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને એરપોર્ટ બહાર પ્રવેશ જવાનો માર્ગ અપાઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કોરોનાના નવા એમિક્રોન વેરિયન્ટને લઈ સરકારી ગાઈડલાઈન મુજબ ભરૂચ જિલ્લા તંત્ર પણ તકેદારીના તમામ પગલાં લઈ રહ્યું છે. ખાસ કરી જિલ્લામાં વિદેશથી આવેલા લોકોના સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. નવા વેરિએન્ટની દસ્તક બાદ જિલ્લામાં અત્યાર સુધી છેલ્લા 41 દિવસમાં વિદેશથી 1257 લોકો આવ્યા છે. જે તમામના એરપોર્ટ ઉપર ટેસ્ટિંગ બાદ 8 દિવસ પૂર્ણ થતા રિપોર્ટ કરાતાં નેગેટિવ આવ્યો છે. હાલ વિદેશથી આવેલા તમામ લોકોને હોમ આઇસોલેટ કરી જિલ્લાનું આરોગ્ય ખાતું તકેદારી અને સલામતીના તમામ પગલાં લઈ રહ્યું છે.

ઓમિક્રોનની આફત વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં જ 141 લોકોહાઈરીસ્ક કન્ટ્રીમાંથી આવ્યા છે. બીજી તરફ ભરૂચ જિલ્લામાંથી વિદેશ ગયેલા લોકોને લઈ પરિવારજનો ચિંતિત થઈ ગયા છે. હાલમાં જ વિદેશ ગયેલા જિલ્લાના લોકોના પરિવારજનો પણ નવા વેરિયન્ટ ને લઈ તેમના સ્વજન માટે ચિંતામાં મુકાઈ ગયા છે.

આ પણ વાંચો :  રાજ્યમાં 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમય વધારાયો, રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધી રેહેશે રાત્રિ કરફ્યૂ

આ પણ વાંચો : OMICRON : અમદાવાદમાં ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાયા, શહેરમાં કુલ 9 કેસ થયા

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">