AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બહારનું ખાતા પહેલા ચેતજો, અમદાવાદમાં સાંભરમાંથી નીકળ્યો મરેલો ઉંદર તો ભરૂચમાં નામાંકિત હોટેલના શાકમાંથી નીકળી માખી- Video

સ્વાદના રસિયાઓને જ્યાં સુધી તે બહારનું ચટાકેદાર ભોજન ન લઈ લે. ત્યાં સુધી "મજા" ન પડે. પણ, સ્વાદ રસિયાઓ માટે આ મજા જ હવે "સજા" સાબિત થઈ રહી છે. કારણ કે સ્વાદિષ્ટ કહેવાથી વાનગીઓમાંથી જીવાતોના નીકળવાનો સિલસિલો યથાવત છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2024 | 7:16 PM

હજુ  બુધવારે 19 જુને  જામનગરમાં પ્રસિદ્ધ  બાલાજી બ્રાન્ડની વેફરના પેકેટમાંથી મૃત દેડકો મળ્યો હોવાની ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં આજે ફરી એકવાર ચીતરી ચઢાવનારા દૃશ્યો સામે આવ્યા છે. સંભારમાં મરેલો ઉંદર મળી આવવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દાવા મુજબ આ ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ “દેવી ઢોસા”માં ઘટી. અહીં ગ્રાહકે તેનો મનપસંદ ઓર્ડર તો આપ્યો. પણ, તેમાં સંભારમાંથી મરેલો ઉંદર નીકળ્યો. જેને જોતા જ ગ્રાહકનો રોષ ભભૂકી ઉઠ્યો.

આ તરફ ભરૂચમાં પણ ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં નેશનલ હાઈવે પરની નોવસ હોટેલના કાજુના શાકમાંથી માખી મળી આવી હતી. એટલું જ નહીં અન્ય એક શાકમાંથી દોરો નીકળ્યો હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ગ્રાહકનો આક્ષેપ છે કે સમગ્ર મામલે હોટલ સંચાલકને ફરિયાદ કરતાં તેને ઉડાઉ જવાબ મળ્યો હતો. જેને પગલે ગ્રાહકોએ હંગામો કર્યો હતો.

પ્રશ્ન એ છે કે શુદ્ધતાના નામે ઊંચી કિંમતો વસૂલવામાં આવતી હોવા છતાં શા માટે ભોજનની ગુણવત્તા સાથે અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવે છે ? આવી તો અનેક ઘટનાઓ આજકલ સામે આવી રહી છે.

વૈભવ સૂર્યવંશી પાસે શેના માટે સમય નથી?
સારા તેંડુલકર અને સિદ્ધાંતનું થયું બ્રેકઅપ ! જાણો કારણ
Video : ગરમીથી બચવા આ વ્યક્તિએ કર્યો ખતરનાક જુગાડ
સુપર હિટ છે Jioનો 90 દિવસનો પ્લાન! અનલિમિટેડ કોલિંગ, ડેટા અને મળશે ઘણું બધુ
Pregnancy દરમિયાન કઇ રસી લેવી જોઈએ?
કરણ જોહરના પરિવાર વિશે જાણો

ક્યાંક સંભારમાંથી મરેલો ઉંદર નીકળી રહ્યો છે. ક્યાંક પંજાબી સબ્જીમાંથી માખી નીકળી રહી છે. તો બીજી તરફ ઊંચું ભાડું વસૂલતી અને હાઈજીનના દાવા કરતી વંદેભારત ટ્રેનમાંથી પણ ચોંકાવનારી તસવીરો સામે આવી છે. 18 જૂનના રોજ ભોપાલથી આગ્રા સુધી વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કરી રહેલાં યાત્રીઓને ભોજન પીરસાયું હતું. જેમાંથી એક દંપતીને ભોજનમાંથી વંદો મળી આવ્યો હતો ! દંપતીના ભત્રીજાએ આ તસવીર સોશિયલ મીડિયામાં શેર કરીને ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ ઈન્ડિયન રેલવેએ પણ સમગ્ર પ્રકરણમાં માફી માંગતા યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. મુદ્દો એ છે કે આવી ખાતરીઓ તો ઘણી અપાય છે. પરંતુ, તેનું પાલન થાય છે કે કેમ. તે જ મોટો સવાલ છે ?

Input Credit- Ankit Modi- Bharuch

આ પણ વાંચો: ઘરે કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તીનો છોડ, જાણી લો આ સંપૂર્ણ પ્રોસેસ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
g clip-path="url(#clip0_868_265)">