બહારનું ખાતા પહેલા ચેતજો, અમદાવાદમાં સાંભરમાંથી નીકળ્યો મરેલો ઉંદર તો ભરૂચમાં નામાંકિત હોટેલના શાકમાંથી નીકળી માખી- Video

સ્વાદના રસિયાઓને જ્યાં સુધી તે બહારનું ચટાકેદાર ભોજન ન લઈ લે. ત્યાં સુધી "મજા" ન પડે. પણ, સ્વાદ રસિયાઓ માટે આ મજા જ હવે "સજા" સાબિત થઈ રહી છે. કારણ કે સ્વાદિષ્ટ કહેવાથી વાનગીઓમાંથી જીવાતોના નીકળવાનો સિલસિલો યથાવત છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2024 | 7:16 PM

હજુ  બુધવારે 19 જુને  જામનગરમાં પ્રસિદ્ધ  બાલાજી બ્રાન્ડની વેફરના પેકેટમાંથી મૃત દેડકો મળ્યો હોવાની ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં આજે ફરી એકવાર ચીતરી ચઢાવનારા દૃશ્યો સામે આવ્યા છે. સંભારમાં મરેલો ઉંદર મળી આવવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દાવા મુજબ આ ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ “દેવી ઢોસા”માં ઘટી. અહીં ગ્રાહકે તેનો મનપસંદ ઓર્ડર તો આપ્યો. પણ, તેમાં સંભારમાંથી મરેલો ઉંદર નીકળ્યો. જેને જોતા જ ગ્રાહકનો રોષ ભભૂકી ઉઠ્યો.

આ તરફ ભરૂચમાં પણ ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં નેશનલ હાઈવે પરની નોવસ હોટેલના કાજુના શાકમાંથી માખી મળી આવી હતી. એટલું જ નહીં અન્ય એક શાકમાંથી દોરો નીકળ્યો હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ગ્રાહકનો આક્ષેપ છે કે સમગ્ર મામલે હોટલ સંચાલકને ફરિયાદ કરતાં તેને ઉડાઉ જવાબ મળ્યો હતો. જેને પગલે ગ્રાહકોએ હંગામો કર્યો હતો.

પ્રશ્ન એ છે કે શુદ્ધતાના નામે ઊંચી કિંમતો વસૂલવામાં આવતી હોવા છતાં શા માટે ભોજનની ગુણવત્તા સાથે અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવે છે ? આવી તો અનેક ઘટનાઓ આજકલ સામે આવી રહી છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ક્યાંક સંભારમાંથી મરેલો ઉંદર નીકળી રહ્યો છે. ક્યાંક પંજાબી સબ્જીમાંથી માખી નીકળી રહી છે. તો બીજી તરફ ઊંચું ભાડું વસૂલતી અને હાઈજીનના દાવા કરતી વંદેભારત ટ્રેનમાંથી પણ ચોંકાવનારી તસવીરો સામે આવી છે. 18 જૂનના રોજ ભોપાલથી આગ્રા સુધી વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કરી રહેલાં યાત્રીઓને ભોજન પીરસાયું હતું. જેમાંથી એક દંપતીને ભોજનમાંથી વંદો મળી આવ્યો હતો ! દંપતીના ભત્રીજાએ આ તસવીર સોશિયલ મીડિયામાં શેર કરીને ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ ઈન્ડિયન રેલવેએ પણ સમગ્ર પ્રકરણમાં માફી માંગતા યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. મુદ્દો એ છે કે આવી ખાતરીઓ તો ઘણી અપાય છે. પરંતુ, તેનું પાલન થાય છે કે કેમ. તે જ મોટો સવાલ છે ?

Input Credit- Ankit Modi- Bharuch

આ પણ વાંચો: ઘરે કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તીનો છોડ, જાણી લો આ સંપૂર્ણ પ્રોસેસ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">