AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો જો, 1 મહિના સુધી અમદાવાદના આ રોડ પર જાઓ તો ટ્રાફિકમાં ફસાવાની તૈયારી રાખજો, તંત્રએ આ રોડ પર ચાલુ કર્યું છે ખોદકામ

આજકાલ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. અને એવામાં જો કોઈ વિસ્તારમાં કે રોડ પર બ્રિજનું કામ કે કોઈ પાઈપલાઈન નાખવાનું કામ ચાલી રહ્યું હોય તો તો પતી જ ગયું. અમદાવાદના અતિ વ્યસ્ત રોડમાંના એક ગણાતા શિવરંજનીથી નહેરૂનગર રોડ પર જો તમારે અવર જવર કરવાનું વારંવાર બનતું હોય કે […]

જો જો, 1 મહિના સુધી અમદાવાદના આ રોડ પર જાઓ તો ટ્રાફિકમાં ફસાવાની તૈયારી રાખજો, તંત્રએ આ રોડ પર ચાલુ કર્યું છે ખોદકામ
| Updated on: Feb 06, 2019 | 6:38 AM
Share

આજકાલ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. અને એવામાં જો કોઈ વિસ્તારમાં કે રોડ પર બ્રિજનું કામ કે કોઈ પાઈપલાઈન નાખવાનું કામ ચાલી રહ્યું હોય તો તો પતી જ ગયું.

અમદાવાદના અતિ વ્યસ્ત રોડમાંના એક ગણાતા શિવરંજનીથી નહેરૂનગર રોડ પર જો તમારે અવર જવર કરવાનું વારંવાર બનતું હોય કે પછી તમારી ઓફિસનો રસ્તો જ અહીંથી પસાર થતો હોય તો આગામી 1 મહિના માટે કોઈ અન્ય વિકલ્પ શોધીરાખજો.

કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવારે આ રોડ પર એક ખાડો ખોદ્યો છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ સર્જાય છે. એટલે સુધી કે આસપાસના રહીશો અને દુકાનદારોને પણ મુશ્કેલી પડી રહી છે.

શિવરંજની ઝાંસીની રાણીના પૂતળા પાસે પણ ખાડાની સમસ્યા સર્જાશે. આશરે એક મહિના સુધી કોર્પોરેશનની આ કામગીરી ચાલશે. જોકે અધિકારીઓ દ્વારા એ ધરપત અપાઈ છે કે નહેરૂનગર ખાતે કામ રાતના સમયે કરવામાં આવશે.

નહેરૂનગર ખોદાયેલો ખાડો ઝાંસીની રાણીના પૂતળા સુધી ખોદાશે. કોર્પોરેશન અધિકારી સાથે વાત કરતા માલૂમ પડ્યું કે વરસાદી પાણીના નિકાલ માટે ગટરલાઈન નાંખવાનું કામ નહેરૂનગરથી બીમા નગર સુધીના 800 મીટરના પટ્ટા પર થશે. જે પૂર્ણ થતાં આશરે એકાદ મહિનાનો સમય લાગશે.

ઉલ્લેખનીય છે કે રોડનો આ ભાગ સાંકડો હોવાથી અહીં ટ્રાફિકની વધુ મુશ્કેલી ઉભી થાય. પરંતુ આ વિસ્તારમાં મોટા ભાગનું કામ રાતના સમયે કરવામાં આવશે જેથી રાહદારીઓને ઓછામાં ઓછી તકલીફ થાય.

પણ કહેવાય છે ને કે, ચેતતો નર સદા સુખી. તેવામાં જો આગામી 1 મહિના માટે તમે પણ આ રોડ પર જવા કરતા કોઈ અન્ય વિકલ્પ પસંદ કરી ત્યાંથી અવર જવર કરો તો ટ્રાફિકમાં ફસાવાની સમસ્યામાંથી તમે બચી શકો છો.

[yop_poll id=1131]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">