AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : દાંતીવાડા ડેમમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી ટોળકી સક્રિય, શિકારનો Video viral

બનાસકાંઠાના (Banaskantha) દાંતીવાડા ડેમમાં યાયાવર પક્ષીઓનો મોટાપાયે શિકાર થઈ રહ્યો છે. ડેમમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી એક ખાસ ટોળકી સક્રિય બની છે. શિયાળામાં દાંતીવાડા ડેમના કાંઠા વિસ્તારના છીછરા પાણીમાં રાજહંસ સહિતના વિદેશી પક્ષી મોટાપાયે મહેમાન બન્યા છે.

Banaskantha : દાંતીવાડા ડેમમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી ટોળકી સક્રિય, શિકારનો Video viral
બનાસકાંઠામાં વિદેશી પક્ષીઓનો શિકાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2023 | 11:18 AM
Share

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં દર વર્ષે શિયાળામાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવતા હોય છે. જેના કારણે દર વર્ષે અહીં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે. જો કે બીજી તરફ બનાસકાંઠામાં વિદેશી મહેમાન બનેલા આ પક્ષીઓનો શિકાર થતુ હોવાનું સામે આવ્યુ છે. શિકાર કરતી એક ટોળકી અહીં સક્રિય થઇ હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે વિદેશી પક્ષીના શિકારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેના પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજહંસ અને હાડ પક્ષીનો શિકાર વધુ થાય છે

બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં યાયાવર પક્ષીઓનો મોટાપાયે શિકાર થઈ રહ્યો છે. ડેમમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી એક ખાસ ટોળકી સક્રિય બની છે. શિયાળામાં દાંતીવાડા ડેમના કાંઠા વિસ્તારના છીછરા પાણીમાં રાજહંસ સહિતના વિદેશી પક્ષી મોટાપાયે મહેમાન બન્યા છે. આ વિદેશી પક્ષીઓને નિહાળવા દૂર-દૂરથી લોકો મોટી સંખ્યામાં પહોંચે છે. તો બીજી તરફ સુંદર પક્ષીઓના શિકાર અને તેના વેચાણની પ્રવૃત્તિ પણ વધી રહી છે. જેમાં ખાસ કરીને રાજહંસ અને હાડ પક્ષીનો શિકાર થતો હોવાનું સામે આવી રહ્યુ છે.

શિકારી ટોળકી અંગે ડેમના સત્તાવાળા અજાણ

એક વાયરલ થયેલા વીડિયોમાં ડેમમાં હોડી ચલાવતો એક શખ્સ પોતે જ પક્ષીઓના શિકાર કરતો હોવાનું જણાવે છે. શિકારી રોજ ત્રણથી ચાર વિદેશી પક્ષી અને રાજહંસને નિશાન બનાવે છે અને તેનું તાજુ માંસ ડેમમાં ફરવા આવતા લોકોને વહેંચે છે. દાંતીવાડા ડેમમાં ધમધમતી શિકારની પ્રવૃત્તિ અંગે વન વિભાગના કર્મચારીઓ અજાણ છે. વન વિભાગના કર્મચારીઓએ શિકાર અંગે કડક તપાસ કરીને દોષિતોને સજા આપવી જોઈએ. વિદેશી પક્ષીઓના શિકારની પ્રવૃત્તિ પર તાત્કાલિક અંકુશ આવે તે જરૂરી છે.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">