AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha Ambaji: અંબાજીમાં ભક્તોની આસ્થા સાથે ચેડાં! મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીના નમૂના ફેલ, મોહિની કેટરર્સના માલિક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, Video

અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ બનાવવાનું કામ મોહિની કેટરર્સ કરે છે. કેટરર્સના માણસોએ નકલી ઘી બનાવી તેની પર ખોટુ લેબલ લગાવ્યું. આ નકલી ઘીનો ઉપયોગ મોહનથાળનો પ્રસાદ બનાવવામાં કરવાના હતા. પરંતુ, એ પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરાયેલા ચેકિંગમાં નકલી ઘીનો જથ્થાનો પર્દાફાશ થયો હતો.

Banaskantha Ambaji: અંબાજીમાં ભક્તોની આસ્થા સાથે ચેડાં! મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીના નમૂના ફેલ, મોહિની કેટરર્સના માલિક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, Video
Ambaji
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 12:02 AM
Share

Ambaji : થોડા સમય પહેલા અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને યથાવત રાખવા માટે ભારે હોબાળો થયો હતો. ત્યારે પ્રસાદને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે. હવે અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીના નમૂના ફેલ નીકળ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 28 ઓગસ્ટે લીધેલા ઘીના નમૂના ફેલ થયા છે. 15 સપ્ટેમ્બરે આવેલા રિપોર્ટમાં ઘીમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ, ભેળસેળવાળા ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો.

આ પણ વાંચો Ambaji: ભાદરવી પૂનમના મેળા બાદ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાઈ, ગર્ભગૃહ અને માતાજીના આભૂષણોની સાફસફાઈ કરાઈ, જુઓ Video

ત્યારે સવાલ થાય કે શું મોહનથાળના પ્રસાદમાં આવું ઘી ઉપયોગમાં લેવાયું? ભક્તોને આવા ઘીનો પ્રસાદ અપાયો? જો કે મંદિરનું વહીવટી તંત્ર આ વાતનો રદિયો આપે છે. મંદિર તંત્રએ દાવો કર્યો છે કે મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે બનાસ ડેરીમાંથી ઘીનો જથ્થો મંગાવ્યો હતો. ભાદરવી પૂનમના મેળા દરમિયાન કે એ પછી જે મોહનથાળનો પ્રસાદ બનાવાયો છે, તે ઉચ્ચ ગુણવતાયુક્ત ઘીમાંથી બનાવાયો છે. ઘીમાં ભેળસેળ સામે આવતા મોહિની કેટરર્સના માલિક સામે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મંદિરમાંથી 28 ઓગસ્ટે 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા. તે ડબ્બા પર અમૂલ લખેલું હતું અને ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, હિંમતનગરનો માર્કો હતો. તેથી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સાબરકાંઠા દૂધ ઉત્પાદક સંઘને નોટિસ અપાઈ હતી. સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા તપાસ કરવામાં આવી છે. તે દરમિયાન નવો ખુલાસો એ થયો કે, જપ્ત કરાયેલા 180 ઘીના ડબ્બા સાબરકાંઠા દૂધ ઉત્પાદક સંઘના નથી.

અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ બનાવવાનું કામ મોહિની કેટરર્સ કરે છે. કેટરર્સના માણસોએ નકલી ઘી બનાવી તેની પર ખોટુ લેબલ લગાવ્યું. આ નકલી ઘીનો ઉપયોગ મોહનથાળનો પ્રસાદ બનાવવામાં કરવાના હતા. પરંતુ, એ પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરાયેલા ચેકિંગમાં નકલી ઘીનો જથ્થાનો પર્દાફાશ થયો હતો. તેથી, આ મામલે મોહિની કેટરર્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કે મોહનથાળનો પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ 30 સપ્ટેમ્બરે પૂરો થયો, તે કોન્ટ્રાક્ટ મંદિર ટ્રસ્ટ દ્વારા રિન્યૂ કરાયો નથી.

(With Input : Atul Trivedi) 

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
g clip-path="url(#clip0_868_265)">