AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિપરજોય વાવાઝોડા બાદ વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા જીવના જોખમે ફરજ બજાવતા વીજ કર્મચારીઓ, જુઓ Video

વાવાઝોડાના કારણે ગુજરાતમાં વીજ કંપનીઓને ઘણું નુકશાન પહોંચ્યું છે. જેમાં સૌથી વધુ નુકશાન PGVCLને પહોંચ્યું છે. ત્યારે હવે વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ વીજ પુરવઠાને સત્વરે પુનઃ સ્થાપિત કરવા માટે જીવના જોખમે વીજ કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે.

બિપરજોય વાવાઝોડા બાદ વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા જીવના જોખમે ફરજ બજાવતા વીજ કર્મચારીઓ, જુઓ Video
UGVCL
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2023 | 2:18 PM
Share

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાએ (Cyclone Biparjoy) બાદ ગુજરાતમાં ઘણો વિનાશ વેર્યો હતો. ગુજરાતમાં ઠેર ઠેર વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. વાવાઝોડાના કારણે ગુજરાતમાં વીજ કંપનીઓને ઘણું નુકશાન પહોંચ્યું છે. જેમાં સૌથી વધુ નુકશાન PGVCLને પહોંચ્યું છે. ત્યારે હવે વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ વીજ પુરવઠાને સત્વરે પુનઃ સ્થાપિત કરવા માટે જીવના જોખમે વીજ કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે.

ગુજરાતમાં વાવાઝોડાના પગલે ભારે વરસાદ પડ્યો હતો. વાવાઝોડું પસાર થયા બાદ બનાસકાંઠામાં તેની સૌથી વધુ અસર વર્તાઈ હતી અને ધોધમાર વરસાદ પડ્યો હતો. ખાસ કરીને રાજસ્થાન બોર્ડરે આવેલા બનાસકાંઠાના ગામડાઓમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી.

વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજપોલ ધરાશાયી થયા હતા. જેના કારણે લગભગ છેલ્લા 4થી 5 દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે. હજુ અમુક એવા વિસ્તારો છે જ્યાં હજુ પણ પાણી ઓસર્યા નથી. વીજ કર્મચારીઓને કામગીરી માટે મુશ્કેલી પડી રહી છે.

વીજ કર્મચારીઓની કામગીરીની સોશિયલ મીડિયામાં સરાહના

વીજ કર્મચારીઓની આ સાહસભરી કામગીરીની સોશિયલ મીડિયામાં સરાહના થઈ રહી છે. લોકો તેમની કામગીરીને બિરદાવી રહ્યા છે. તો બનાસકાંઠામાં આવેલું નડાબેટનું રણ જે ભારે વરસાદના કારણે દરિયામાં ફેરવાયું છે, ત્યાં પણ UGVCLને મોટું નુકશાન પહોંચ્યું છે.

આ રણમાં જ જલોયા ફિડર આવેલું છે, જેની વીજ લાઈનના અનેક વીજ પોલ આ રણમાં ભરાયેલા પાણીમાં ધરાશાયી થયા છે, ત્યારે UGVCLના કર્મચારીઓ જીવના જોખમે વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવા રાત-દિવસ સતત કામગીરી કરી રહ્યા છે.

વાવાઝોડાના કારણે PGVCLને સૌથી વધુ નુકશાન

ગુજરાતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીને તાઉતે વાવાઝોડા બાદ ફરી મોટું નુકસાન થયું છે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાના કારણે કુલ 23,340 વીજપોલ ધરાશાયી થયા છે. જેમાં સૌથી વધારે જામનગર સર્કલમાં 21,115 વીજપોલને નુકસાન થયું છે. તો 4582 ટીસીને નુકશાન પહોંચ્યું છે.

તેમજ કુલ 3889 ફિડર હાલમાં બંધ હોવાથી અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજપૂરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમુક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી હજુ વીજ પુરવઠો કાર્યરત થયો નથી ત્યારે વીજ કર્મચારીઓ ઝડપથી વીજ પુરવઠો કાર્યરત કરવા કામગીરી કરી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
g clip-path="url(#clip0_868_265)">