AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવરાત્રી-દાંડિયામાં મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમોના પ્રવેશને લઈને VHPએ કરેલા એલાન બાદ મહારાષ્ટ્રમાં ગરમાયું રાજકારણ

Maharashtra Navratri Row : VHP દ્વારા ગરબા અને નવરાત્રીના આયોજકોને કાર્યક્રમમાં પ્રવેશ આપતા પહેલાં આધારકાર્ડની ચકાસણી કરવા તેમજ પ્રવેશ સમયે માથા પર તિલક લગાવવાની સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સૂચનાઓનું કડકપણે પાલન કરવા માટે આયોજકોને VHP દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે.

નવરાત્રી-દાંડિયામાં મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમોના પ્રવેશને લઈને VHPએ કરેલા એલાન બાદ મહારાષ્ટ્રમાં ગરમાયું રાજકારણ
| Updated on: Sep 07, 2026 | 2:10 PM
Share

ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં પણ નવરાત્રી અને ગરબા આયોજનને લઈને મુસ્લિમોના પ્રવેશનો મુદ્દો રાજકીય વિવાદનુ કેન્દ્ર બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા નવરાત્રી દરમિયાન યોજાતા ગરબા સહિતના કાર્યક્રમોમાં મુસ્લિમોને પ્રવેશ ના આપવા માટે એલાન કરવામાં આવ્યું છે. VHPના આ આહ્વાન બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે અને વિપક્ષી નેતાઓએ શાસક પક્ષને નિશાન બનાવ્યો છે.

VHP દ્વારા ગરબા અને નવરાત્રીના આયોજકોને કાર્યક્રમમાં પ્રવેશ આપતા પહેલાં આધારકાર્ડની ચકાસણી કરવા તેમજ પ્રવેશ સમયે માથા પર તિલક લગાવવાની સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સૂચનાઓનું કડકપણે પાલન કરવા માટે આયોજકોને VHP દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે.

VHPના આ એલાન બાદ શિવસેના (UBT), કોંગ્રેસ અને AIMIM સહિતના વિપક્ષી પક્ષોએ આકરા સવાલો ઉઠાવ્યા છે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે VHPના આ VHPના આવા ફરમાનને ભાઈચારાને નુકસાન પહોંચાડનારું ગણાવ્યું છે. જ્યારે આદિત્ય ઠાકરેએ આરોપ લગાવ્યો છે કે ભાજપ મહારાષ્ટ્રમાં માહોલ ખરાબ કરવા અને રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

કોંગ્રેસ નેતા નાના પટોલેએ પણ આ પ્રકારનું એલાન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ પોતાની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે વારંવાર હિન્દુ-મુસ્લિમ મુદ્દાને આગળ લાવે છે.

બીજી તરફ, AIMIM દ્વારા પણ VHPના એલાનને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પક્ષનું કહેવું છે કે ભારત સૌનું છે અને કોઈ સંગઠનને આ પ્રકારનું ફરમાન જાહેર કરવાનો અધિકાર કોણે આપ્યો છે? વિપક્ષે RSS વડા મોહન ભાગવત દ્વારા તાજેતરમાં અમેરિકામાં આપવામાં આવેલા નિવેદનનો પણ ઉલ્લેખ કરીને સવાલો ઉઠાવ્યા છે.

નવરાત્રીના તહેવારને હજુ થોડાક દિવસોની વાર છે ત્યારે જ ગરબા કાર્યક્રમોમાં પ્રવેશ અને ઓળખની ચકાસણીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. VHPના આ એલાન બાદ મહારાષ્ટ્રમાં ધાર્મિક તહેવારના આયોજન સાથે જોડાયેલો મુદ્દો હવે સીધો રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે.

Maharashtra Breaking News : દહી હંડીના ઉત્સવનો આનંદ શોકની છાયામાં ફેરવાયો! મુંબઈમાં બે ગોવિંદાના મોત, 306 ગોવિંદા ઘાયલ; 49ની સારવાર ચાલુ

Follow Us
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
g clip-path="url(#clip0_868_265)">