AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : પાલનપુરથી આબુરોડ જતો માર્ગ ભયજનક બન્યો, સુરક્ષા નિયમોની દરકાર વગર બ્રિજની કામગીરીથી વાહનચાલકોને હાલાકી

પાલનપુના RTO સર્કલ પર વિશાળ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ સુરક્ષા નિયમોની કોઈ જ દરકાર લેવામાં આવી નથી. ઉપર મોટા-મોટા સિમેન્ટના બોક્સ, લોખંડની રેલિંગ અને આસપાસમાં લોખંડના થાંભલા ઉભા કરી દેવામાં આવ્યા છે.

Banaskantha : પાલનપુરથી આબુરોડ જતો માર્ગ ભયજનક બન્યો, સુરક્ષા નિયમોની દરકાર વગર બ્રિજની કામગીરીથી વાહનચાલકોને હાલાકી
Banaskantha
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 7:57 AM
Share

બનાસકાંઠા પાલનપુરથી આબુરોડ ( Abu Road) જતો માર્ગ ભયજનક બન્યો છે. આરટીઓ સર્કલ પર વિશાળ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ સુરક્ષા નિયમોની કોઈ જ દરકાર લેવામાં આવી નથી. ઉપર મોટા-મોટા સિમેન્ટના બોક્સ, લોખંડની રેલિંગ અને આસપાસમાં લોખંડના થાંભલા ઉભા કરી દેવામાં આવ્યા છે. જેની ઉપર અને આસપાસમાં મોટી સંખ્યામાં મજૂરો સેફ્ટી વગર કામ કરતા જોવા મળે છે.

આ પણ વાંચો : Banaskantha: પાલનપુરા નગરપાલિકાએ બનાવ્યો પ્રી-મોન્સુન પ્લાન, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

તો બ્રીજ નીચે રોજિંદા હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે. ભગવાન ન કરે કોઈ સિમેન્ટનું બોક્સ કે લોખંડનો સળિયો નીચે પડે તો કોઈ વાહનમાં સવાર લોકો સીધા અંતિમધામ પહોંચી શકે છે. હજારો વાહન ચાલકો પર જોખમ છે. અંદાજે બાર મહિના કરતા વધુ સમયથી કામ ચાલુ હોવા છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા લોકોની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા કરાઈ નથી. કે ન તો સલામત રીતે લોકો જઈ શકે તેવું ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે.

નેશનલ હાઈ-વે ઓથોરિટી, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર કે પાલનપુર નગરપાલિકાના અધિકારીઓ પણ પસાર થાય છે. આ નિર્માણાધીન પુલ નીચે ટ્રાફિકમાં વાહનો અડધો કલાક સુધી ફસાય છે. સૌથી કફોડી સ્થિતિ તો એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીઓની થાય છે. આ પૂર્વે એરોમા સર્કલ પર ઓવરબ્રિજના નિર્માણ દરમિયાન પણ પાલનપુરના નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. વહીવટી તંત્ર નાગરિકોને ભોગવવી પડતી સમસ્યાનો ઝડપથી અંત લાવે તેવી લોકોનીમાંગ ઉઠી છે.

રાજ્યમાં અન્ય શહેરોમાં રસ્તાની કફોડી હાલત

તો બીજી તરફ રાજકોટના મોટામવાથી ભીમનગરને જોડાતા રોડનું કામ શરુ કરવામાં આવ્યું હતું. જે સમયસર પુરુ કરવામાં ન આવતા સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મોટામવાથી ભીમનગરને જોડતા રોડ બનાવવા માટે ખોદકામ કરીને કામને માળિયે મુકવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ખોદકામ કરતા રોડની નીચે ભૂગર્ભ ગટર હોવાનું સામે આવી રહ્યું હતું.

આ અગાઉ જામનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા 7 ગામના લોકોની અવરજવર માટે રસ્તો બનાવવાનું કામ શરૂ કર્યું હતુ. પરંતુ તે દરમિયાન પાણી પુરવઠા વિભાગની મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતુ. જેને લઈ રસ્તાનું કામ તો અટકી ગયુ હતુ. સાથો સાથ પાઈપલાઈનનું સમારકામ પણ હાથ ધરાતુ નથી. પાણી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની લાઈનમાં સમારકામ થયું નથી.

 બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અને તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">