Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: હવે ભાવિકો કરી શકશે 51 શક્તિપીઠની પરિક્રમા, અંબાજી ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ

અંબાજીમાં ગબ્બર તળેટીની પરિક્રમા કરીને અંબાજી દર્શને આવતા કરોડો માઈભક્તોને હવે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લ્હાવો લઇ શકશે. ત્રણ દિવસીય પરિક્રમા દરમિયાન માઈભક્તોને અગવડ ન પડે તે માટે વ્યવસ્થા જાળવવા માટે 14 સમિતિઓ બનાવવામાં આવી છે.

Banaskantha: હવે ભાવિકો કરી શકશે 51 શક્તિપીઠની પરિક્રમા, અંબાજી ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ
Ambaji gabbar (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 6:27 PM

અસંખ્ય ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી (Ambaji) સ્થિત ગબ્બર તળેટીની પરિક્રમાં હવે શરૂ થવા જઈ રહી છે. યાત્રાધામ અંબાજી ખાતે આગામી 8થી 10 એપ્રિલના રોજ 51 શક્તિપીઠ મહોત્સવ યોજાશે. ત્યારે અંબાજી ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમવાર 51 શક્તિપીઠની પરિક્રમાનું આયોજન કરાયું છે. ત્રણ દિવસીય પરિક્રમા દરમિયાન માઈભક્તોને (Devotees)અગવડ ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)ની ઉપસ્થિતિમાં 51 શક્તિપીઠની પરિક્રમાનો શુભારંભ થશે. પરિક્રમા સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, ગરબા તેમજ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારતના સૌથી મોટા લાઈટ એન્ડ લેઝર શૉનું ઉદઘાટન કરવામાં આવશે.

યાત્રાધામ અંબાજીમાં તમામ 51 શક્તિપીઠોના દર્શન એક સાથે ભક્તો કરી શકે તેવી એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશ અને વિદેશોમાં શ્રીલંકા, બાંગલાદેશ, નેપાળ, પાકિસ્તાન વગેરે દેશોમાં આવેલા માતાજીના શક્તિપીઠો પ્રમાણે આબેહુબ 51 શક્તિપીઠોનું નિર્માણ અંબાજીમાં કરવામાં આવેલું છે. મનુષ્યના એક જ જન્મમાં દેશ અને વિદેશોમાં આવેલા આ શક્તિપીઠોમાં જઇ માતાજીના દર્શન કરવા એ દરેક મનુષ્ય માટે સંભવ નથી, તેથી મૂળ સ્થાનક જેવા જ 51 શક્તિપીઠોનું અંબાજી ગબ્બર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

અંબાજીમાં ગબ્બર તળેટીની પરિક્રમા કરીને અંબાજી દર્શને આવતા કરોડો માઈભક્તોને હવે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લ્હાવો લઇ શકશે. ત્રણ દિવસીય પરિક્રમા દરમિયાન માઈભક્તોને અગવડ ન પડે તે માટે વ્યવસ્થા જાળવવા માટે ભાદરવી પૂનમના મેળાની જેમ અલગ અલગ 14 સમિતિઓ બનાવવામાં આવી છે.

જેમાં આરોગ્ય સમિતિ, ઇમરજન્સી સારવાર સમિતિ, ઇમરજન્સી રિસ્પોન્સ, સ્વચ્છતા સમિતિ, રસ્તા મરામત સમિતિ, પાણી પુરવઠા સમિતિ, વિદ્યુત પ્રવાહ સમિતિ, અંબાજી તથા ગબ્બર તરફના પ્રવેશ માર્ગ પરના નિયંત્રણ અને પાર્કિગ સમિતિ, ગબ્બર ટોચ 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ ઉપર સંચાલન સમિતિ, રખડતાં ઢોરોનું નિયંત્રણ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, વી.આઇ.પી. પ્રોટોકોલ અને લાયઝન સમિતિ, વિભિન્ન સંસ્થાઓનું સંકલન, મહાઆરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનું સંકલન સમિતિનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો-

Kheda: રાજ્યમાં વધુ એક ધોરણ 10ના વિદ્યાર્થીનું પરીક્ષા દરમિયાન મોત, દિવ્યાંગ વિદ્યાર્થી ચાલુ પરીક્ષામાં જ ઢળી પડ્યો

આ પણ વાંચો-

ગુજરાતના 8 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આજે પ્રચંડ ગરમીનું મોજું યથાવત રહેશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
g clip-path="url(#clip0_868_265)">