Banaskantha : યાત્રાધામ અંબાજી નજીક ચિખલા ગામે યુવકની હત્યા કરી દેવાતા સમગ્ર પંથકમાં ચકચાર
યાત્રાધામ અંબાજી (Ambaji) નજીક ચિખલાના રાણપુરના સુરમાભાઇ પરમાર તેના પરીવાર સાથે તેના પિતરાઇ બહેનના લગ્નમાં ચિખલા ગામે આવ્યા હતા. જ્યાં સુરમાભાઇ પરમારના પિતરાઇ ભાઇઓએ ચપ્પાનાં ઘા સુરમાભાઈને મારી હત્યા કરી દેવાતા સમગ્ર લગ્નપ્રંસગ માતમમાં ફેરવાયો હતો
ગુજરાતમાં યાત્રાધામ અંબાજી(Ambaji)નજીક ચિખલા ગામે એક 22 વર્ષીય યુવકની(Youth)હત્યા(Murder)કરી દેવાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં બનાવની હકીકત મુજબ ગતરાત્રિએ રાણપુરના સુરમાભાઇ પરમાર તેના પરીવાર સાથે તેના પિતરાઇ બહેનના લગ્નમાં ચિખલા ગામે આવ્યા હતા. જ્યાં સુરમાભાઇ પરમારના પિતરાઇ ભાઇઓએ ચપ્પાનાં ઘા સુરમાભાઈને મારી હત્યા કરી દેવાતા સમગ્ર લગ્નપ્રંસગ માતમમાં ફેરવાયો હતો. જ્યાં ચિખલા ગામે લગ્નમાં સુરમાભાઇ તેના પિતરાઇ ભાઇ ખીમાભાઇ પરમારને મળ્યો હતો. પણ તેને પિતરાઇ ભાઇ હોવા છતાં ઓળખવાનો ઇન્કાર કરી તેનું ગળું પકડી લેતાં મામલો બિચક્યો હતો. જ્યાં એક તરફ લગ્નનાં ગીતો ગવાતા હતા ત્યાં સુરમાભાઇનાં ત્રણ પિતરાઇ ભાઇઓ સુરમાભાઇને ફોસલાવી પોતાના ઘરની પાછળ લઇ જઇ સુરમાભાઇને પીઠનાં ભાગે ચપ્પાનાં ઘા મારી તેની હત્યા કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.
જ્યાં ચપ્પાનાં ઘાથી ઇજાગ્રસ્ત બનેલો સુરમાભાઇ તરફડીયા મારતો ઘર આગળ જ તેનું મોંત નિપજ્યુ હતુ. જ્યાં સમગ્ર લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાતાં દોડધામ મચી હતી.આ બાબતની જાણ અંબાજી પોલીસને થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને મરનાર સુરમાભાઇ પરમારના મૃતદેહને અંબાજીની જનરલ હોસ્પિટલમાં લાવી તેનાં પોસ્ટમાર્ટમની તજવીજ હાથ ધરી હતી. આજે આદીવાસી સમાજના અનેક લોકો મહીલાઓ સહીત અંબાજીની જનરલ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો ને સમગ્ર મામલે અંબાજી પોલીસમાં ફરીયાદ આપતાં મરનારની માતા અને બહેનોએ પોતાના નિવેદન નોંધાવતા જણાવ્યુ હતુ કે આ હત્યા જમીન મામલે કરાઇ હોવાનું જણાવી આરોપીઓને સજા કરવાની માંગ કરી હતી.
જોકે આ સમગ્ર મામલે અંબાજી પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરીયાદ નોંધાતા પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડવાં શોધખોળ હાથ ધરી છે. એટલુંજ નહીં આ હત્યાનાં ગુના બાબતે પોલીસ અધિકારીએ મીડિયા સમક્ષ કશું પણ કહેવાનનો ઇન્કાર કર્યો હતો. તેમજ આ સમગ્ર હત્યાની પણ ઝીણવટથી તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ આ હત્યા થવા પાછળનું કારણ જાળવવાની પણ પોલીસે શરૂઆત કરી છે.
(With Input Chirag Agarwal, Ambaji)