Ambaji મંદિરને પ્રસાદની શ્રેષ્ઠ ગુણવત્તા માટે FSSAI દ્વારા પ્રમાણપત્ર અપાયું

અંબાજી મંદિરના પ્રસાદની(Prasad)  ગુણવત્તા માટે મંદિરને FSSAI દ્વારા પ્રમાણપત્ર અપાયું છે. આ માટે થર્ડ પાર્ટી ઓડિટ એજન્સીને તપાસ સોંપાઇ હતી. જેના અહેવાલ પરથી FSSAI દ્વારા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને FSSAI દ્વારા ‘‘BHOG’’ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 9:13 PM

ગુજરાતના (Gujarat) પવિત્ર યાત્રાધામ અંબાજીની (Ambaji)  યશકલગીમાં વધુ એક ઉમેરો થયો છે. જેમાં પ્રસાદની(Prasad)  ગુણવત્તા માટે મંદિરને FSSAI દ્વારા પ્રમાણપત્ર અપાયું છે. આ માટે થર્ડ પાર્ટી ઓડિટ એજન્સીને તપાસ સોંપાઇ હતી. જેના અહેવાલ પરથી FSSAI દ્વારા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને FSSAI દ્વારા ‘‘BHOG’’ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાયેલા એશિયા બિગેસ્ટ એવોર્ડ-2022ના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અંબાજી ગબ્બર પર્વત ખાતે શરૂ કરવામાં આવેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, કોરોના કાળમાં આપેલ સેવાઓ અને યાત્રાધામ અંબાજીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ અંબાજી ગુજરાતનુ સૌથી મોટું શક્તિપીઠ છે. જ્યાં વર્ષે કરોડો માઇભક્તો મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ મળવો એ શકિતપીઠ અંબાજી અને બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત છે.

કોરોના મહામારી જેવા કપરા સમયમાં પણ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તો માં અંબાના દર્શન કરી શકે તે માટે ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કોરોના મહામારી હળવી થતાં જ મંદિર ભક્તો માટે સરકાર ની ગાઈડલાઈન મુજબ ખોલવામાં આવ્યું. છેલ્લા બે વર્ષથી જે પ્રકારે કોરોનાનો કહેર રહ્યો તેમ છતાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સુચારૂ આયોજન થી અંબાજી નો વિકાસ અવિરત ચાલુ રહ્યું છે.

 

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">