AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : આંજણા ચૌધરી સમાજનું યુવાનોને ફેશનેબલ દાઢી ન રાખવા ફરમાન, દાઢી રાખશે તો રૂ.51 હજારનો દંડ

Banaskantha News : સમાજના આગેવાન નાથા પટેલ દ્વારા TV9 સમક્ષ જણાવવામાં આવ્યુ હતુ કે, તેમના સમાજ દ્વારા વારંવાર સુધારા કરવામાં આવતા હોય છે. ત્યારે આ વખતે પણ આંજણા ચૌધરી સમાજ સુધારણા માટે યોજાયેલી બેઠકમાં સુધારા સૂચવવામાં આવ્યા છે.

Banaskantha : આંજણા ચૌધરી સમાજનું યુવાનોને ફેશનેબલ દાઢી ન રાખવા ફરમાન, દાઢી રાખશે તો રૂ.51 હજારનો દંડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 1:17 PM
Share

લગ્ન પ્રસંગોમાં દેખા દેખી અને દેખાડો કરવામાં ખોટા ખર્ચા થઈ જતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં 54 ગામ આંજણા ચૌધરી સમાજે નવી પહેલ કરી છે. સમાજના યુવાઓને ફેશનેબલ દાઢી ન રાખવા ફરમાન કર્યું છે. જે યુવકો દાઢી રાખશે તેમની પાસેથી રૂપિયા 51 હજારનો દંડ વસૂલ કરવામાં આવશે. આ સિવાય પણ વિવિધ 22 જેટલા સુધારા કરી સમાજ સુધારણા માટે બેઠક યોજાઇ હતી.

આ પણ વાંચો- Surat: માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટમાં અપીલમાં જશે રાહુલ ગાંધી, આજે નિર્ણયની શક્યતા ઓછી, મુદ્દત પડવાની શક્યતા

વધુ સામાજિક સુધારણાની વાત કરીએ તો, મરણ પ્રસંગમાં વ્યસનને તીલાંજલિ નહીં આપનારને રૂપિયા 1 લાખનો દંડ કરાશે. મરણપ્રસંગમાં બારમાના દિવસે કોઈએ નહીં જવું. મહિલાઓએ રૂપિયા ન આપવા અને લેવા પણ નહીં. મરણ પામેલા સગાના ત્યાં વધુ લોકોને ભેગા નહીં થવું. મરણપ્રસંગમાં દીવો બાળવા માટે સગાઓને નહીં બોલાવવા સમાજની પહેલ છે અને પાછળથી રાખવામાં આવતો હાકો બંધ કરવાની સમાજની માગ છે.

કુરિવાજો બંધ કરવા લેવાયા નિર્ણયો

લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચ કરવા પર પ્રતિબંધ મુકયો છે. ફટાકડા લિમિટમાં ફોડવા અને પત્રિકા સાદી છપાવવા સમાજની અપીલ છે. લગ્નમાં ડીજે પર પ્રતિબંધ મુકયો છે. મામેરૂ ભરાય ત્યારે જમાઈને જાહેરમાં કપડા નહીં પહેરવા પણ રૂમમાં જઈને પહેરવા પર ભાર મુકાયો છે. સાથે જ મામેરૂ મીઠું કરવા ન જવું, ચૉરીમાં આવેલા રૂપિયા જાહેરમાં ન ગણવા, ભોજન પ્રસંગમાં પૌષ્ટિક ભોજન બનાવવા અને ભોજન પીરસવા માટે ભાડૂતી માણસો ના લાવવા સમાજે અપીલ કરી છે.

જન્મદિવસ હોટલમાં મનાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સમાજના તમામ લોકોએ સામાજિક સુધારણાને ટેકો આપ્યો હતો. ચૌધરી સમાજમાં સમાજ સુધારણા અને સમૂહલગ્ન બાબતે સભા યોજાઇ હતી.

સમાજ સુધારણા માટે થઇ વિચારણ-નાથા પટેલ

સમાજના આગેવાન નાથા પટેલ દ્વારા TV9 સમક્ષ જણાવવામાં આવ્યુ હતુ કે, તેમના સમાજ દ્વારા વારંવાર સુધારા કરવામાં આવતા હોય છે. ત્યારે આ વખતે પણ આંજણા ચૌધરી સમાજ સુધારણા માટે યોજાયેલી બેઠકમાં સુધારા સૂચવવામાં આવ્યા છે. સમાજના કોઇ માણસના મૃત્યુ પાછળનો ખર્ચ હોય કે પછી કુરિવાજો બંધ કરવા માટેની પ્રેરણા આપવામાં આવે છે. સમાજ શિક્ષણ પર ભાર આપે તે માટેની પણ પ્રેરણા આપવામાં આવી છે. આ વિચારોનું પાલન થશે સમાજ તેની પ્રગતિ કરી શકશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">