AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: માનહાનિ કેસની સજા સામે અપીલમાં આજે નિર્ણયની શક્યતા ઓછી, મુદ્દત પડવાની શક્યતા વધુ, જાણો શુ થઈ શકે છે ?

Surat: મોદી સરનેમને લઈને માનહાનિ કેસમાં સુરત કોર્ટના ચુકાદા સામે રાહુલ ગાંધી આજે સુરત સેશન્સ કોર્ટમાં અપીલ કરવાના છે. આ કેસમાં આજે જ નિર્ણય આવવાની શક્યતા ઘણી ઓછી જણાઈ રહી છે. નિષ્ણાંત વકીલના જણાવ્યા મુજબ કેસમાં મુદ્દત પડી શકે છે.

Surat: માનહાનિ કેસની સજા સામે અપીલમાં આજે નિર્ણયની શક્યતા ઓછી, મુદ્દત પડવાની શક્યતા વધુ, જાણો શુ થઈ શકે છે ?
Narendra Rathod
| Edited By: | Updated on: Apr 03, 2023 | 1:10 PM
Share

રાહુલ ગાંધી સામે મોદી સરનેમને લઈને થયેલા માનહાનિ કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15000નો દંડ કર્યો છે. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પણ રદ્દ થઈ છે. ત્યારે સુરત કોર્ટના આ નિર્ણય બાદ આજે રાહુલ ગાંધી 11 દિવસ બાદ સુરત સેશન્સ કોર્ટમાં અપીલમાં જવા માટે આવી રહ્યા છે. જો કે આ કેસમાં આજે જ નિર્ણય આવવાની શક્યતા ઘણી ઓછી છે. હજુ વધુ એક મુદ્દત પડે તેની પ્રબળ શક્યતા છે. જો ફરિયાદી પક્ષ આજે કોર્ટમાં હાજર ન રહે તો આ કેસમાં આજે નિર્ણય આવવાની શક્યતા નહિવત છે. જો કે ફરિયાદી પક્ષ હાજર રહે તેવી પણ શક્યતા ઘણી ઓછી છે.

માનહાનિ કેસમાં સજા મોકુફી અને ગુનેગાર ઠેરવવા માટે સ્ટે માગવામાં આવશે

જાણીતા વકીલ અને કોંગ્રેસ નેતા બાબુ માંગુકિયાએ કાનુની લડત અંગે શું થઈ શકે તેના પર TV9 સાથે વાત કરી હતી. કાનુની લડતને સરળ ભાષામાં સમજાવતા જણાવ્યુ કે રાહુલ ગાંધી આજે નીચલી કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકારશે. નીચલી કોર્ટ સજા ફટકારે ત્યારે તેની અપીલ ઉપલી કોર્ટમાં કરાય છે. માનહાનિ કેસમાં 2 વર્ષની સજામાં અપીલ થયા બાદ આજે જજ એને સુનાવણીમાં લેશે. સજા મોકુફી અને ગુનેગાર ઠેરવ્યા છે, એમા રાહુલ ગાંધીના વકીલ દ્વારા સ્ટે માગવામાં આવશે.

આ પણ વાંચો: Rahul Gandhiના સમર્થનમાં ગુજરાતથી જ લડતના મંડાણ કરવાનું  કોંગ્રેસનું આયોજન, સત્યાગ્રહ માટે રાહુલ ગાંધીને આમંત્રણ

સેશન્સ કોર્ટમાંથી નિર્ણય ન આવે તો રાહુલ ગાંધીએ સ્ટેપ બાય સ્ટેપ ઉપલી કોર્ટમાં જવુ પડશે

TV9 સાથેની વાતચીતમાં માંગુકિયાએ મોટી વાત કરી. માગુકિયાનું માનીએ તો માનહાનિ કેસમાં જો કોઇને 2 વર્ષની સજા ફટકારવામાં આવી હોય તો, અરજી બાદ સજા આપો આપ મોકૂફ થઇ જતી હોય છે. પરંતુ જો આમ ન થાય તો આ ઘટના દેશના ન્યાયતંત્રની ઐતિહાસિક ઘટના હશે. અરજી કર્યા બાદ જો ફરિયાદી પક્ષ હાજર રહે તો આજે જ નિર્ણય આવી જાય. જો કે ફરિયાદી પક્ષ હાજર રહે તેવી શક્યતા ઓછી છે. મનાઈ હુકમ આવે તો આપોઆપ રાહુલ ગાંધીનું લોકસભાના સાંસદ તરીકેનું સસ્પેન્શન પણ રદ થાય. આ કેસમાં જો સેશન્સ કોર્ટમાંથી પણ નિર્ણય ન આવે તો સ્ટેપ બાય સ્ટેપ ઉપલી કોર્ટમાં તેમને જવાનુ રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">