Reservoir Status: અરવલ્લી અને સાબરકાંઠાના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક, જાણો, વાત્રક, હાથમતી, મેશ્વો અને માઝૂમની સ્થિતી

સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Aravalli) જીલ્લાના જળાશયોમાં છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન નવા નીરની આવકો નોંધાઇ હતી. જેને લઇને કેટલાક અંશે પિવાના અને સિંચાઇના પાણી માટે રાહત સર્જાઇ છે.

Reservoir Status: અરવલ્લી અને સાબરકાંઠાના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક, જાણો, વાત્રક, હાથમતી, મેશ્વો અને માઝૂમની સ્થિતી
Watrak Reservoir
Follow Us:
| Updated on: Sep 29, 2021 | 10:25 PM

અરવલ્લી (Aravalli) અને સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં છેલ્લા દશેક દિવસથી આવન જાવન વાળા વરસાદમાં, પણ જળાશયો (Reservoir) માં કેટલાક અંશે આવકો નોંધાઇ છે. જેને લઇને હવે પિવાના પાણીની સમસ્યામાં મહંમદ અંશે રાહત મળી શકશે. બંને જીલ્લાના મહત્વના જળાશયોમાં છેલ્લા એક સપ્તાહ દરમ્યાન નોંધપાત્ર આવક સ્થાનિક અને ઉપરવાસમાં વરસાદને પગલે નોંધાઇ છે.

અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લાના લોકો માટે પિવાના પાણીને લઇને હાશકારો થઇ શકશે. આ ઉપરાંત સિંચાઇના પાણી માટે પણ રવિ સિઝનમાં થોડી ઘણી રાહત સર્જાઇ શકે છે. મહત્વના જળાશયોમાં છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન નવી આવકો નોંધાવાને લઇને આ રાહત સર્જાઇ છે.

હિંમતનગર (Himatagar) શહેર અને આસપાસના ગામડાઓને પિવાનુ પાણી આપવામાં આવે છે તે, ગુહાઇ જળાશયમાં પણ પિવાના પાણીની સંકટ ભરી સ્થિતી વચ્ચે પાણીની આવક થઇ છે. આ ઉપરાંત મોડાસા (Modasa) ના માઝૂમ જળાશય (Mazam Reservoir ) માં પણ જળ ઝથ્થો 70 ટકાએ પહોંચતા રાહત સર્જાઇ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સિંચાઇ વિભાગના નાયબ એક્ઝ્યુકીટીવ એન્જીનીયર અર્પિત પટેલે કહ્યુ હતુ, છેલ્લા કેટલાક દિવસથી થયેલા વરસાદને લઇને નવા પાણીની આવકો જળાશયોમાં નોંધાઇ છે. જેનાથી પિવાના પાણીને લઇને રાહત રુપ આવક થઇ છે. વાત્રક, ગુહાઇ, માઝૂમ અને મેશ્વો જેવા મહત્વના જળાશયોમાં પાણીની નવી આવકો નોંધાઇ છે.

રવિ  સિઝમાં આપશે રાહત

સાબરકાંઠા જીલ્લામાં હાથમતી જળાશયમાં જળ ઝથ્થો 42 ટકાએ પહોંચતા રવિ સિઝનમાં ખેડૂતોને થોડાક ઘણાં અશે રાહત આપી શકવાની આશા બંધાઇ છે. ગુહાઇ જળાશય યોજના ચોમાસાની શરુઆતે સાવ તળીયા ઝાટક જેવી સ્થિતીમાં હતો એ 14 ટકા એ પહોંચ્યો છે. જેમાં નવી આવક થઇ રહી છે. હાથમતી જળાશયમાં 3.37 ટકા નો નવો જળઝથ્થો છેલ્લા 10 દિવસમાં નોંધાયો છે. જ્યારે ખેડવામાં 3.76 ટકા નવા પાણીની આવક છેલ્લા 10 દિવસમાં થઇ છે.

અરવલ્લી જીલ્લામાં વાત્રક જળાશયમાં છેલ્લા ત્રણેક દિવસ દરમ્યાન નવી આવકો સારી થઇ હતી. જેને લઇને વાત્રક જળાશયમાં 10 દિવસમાં 11 ટકા પાણીનો વધારો નોંધાયો છે. માઝૂમ જળાશયમાં 10 દિવસમાં 13.62 ટકાનો વધારો નોંધાયો છે. વૈડી જળાશયમાં 10 દિવસમાં 33.75 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે મેશ્વો જળાશયમાં 12.87 ટકાનો વધારો નોંધાયો છે.

સાબરકાંઠા જીલ્લાના જળાશયો

ગુહાઇ જળાશય 14.87 ટકા હાથમતી જળાશય 42.16 ટકા હરણાવ-2 જળાશય 62.81 ટકા ખેડવા જળાશય 75.39 ટકા ગોરઠીયા જળાશય 94.58 ટકા

અરવલ્લી જીલ્લાના જળાશયો

વાત્રક જળાશય 46.73 ટકા માઝૂમ જળાશય 70.21 ટકા મેશ્વો જળાશય 70.34 ટકા વૈડી જળાશય 92.98 ટકા વારાંશી જળાશય 64.66 ટકા

આ પણ વાંચોઃ Team India: ટીમ ઇન્ડીયામાં ફૂટ પડી, વિરાટ કોહલી સામે રહાણે અને પુજારા ઉતર્યા, BCCI ને કરાઇ ફરીયાદ, જાણો શુ છે પૂરો મામલો?

આ પણ વાંચોઃ BCCI: અનિલ કુંબલે નહી બની શકે ટીમ ઇન્ડીયાના નવા હેડ કોચ, સૌરવ ગાંગુલી પક્ષ લેવામાં એકલો પડ્યો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">