BCCI: અનિલ કુંબલે નહી બની શકે ટીમ ઇન્ડીયાના નવા હેડ કોચ, સૌરવ ગાંગુલી પક્ષ લેવામાં એકલો પડ્યો

અનિલ કુંબલે ન હાલમાં IPL માં પંજાબ કિંગ્સના કોચ છે. તે ટીમ સાથે યુએઈમાં છે. આઈપીએલ 2020 થી કુંબલે પંજાબના કોચ છે.

BCCI: અનિલ કુંબલે નહી બની શકે ટીમ ઇન્ડીયાના નવા હેડ કોચ, સૌરવ ગાંગુલી પક્ષ લેવામાં એકલો પડ્યો
Anil Kumble
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 9:00 AM

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના નવા કોચની શોધ ચાલી રહી છે. BCCI એ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્તમાન કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ T20 વર્લ્ડ કપ (T20 World Cup) બાદ ભારતીય ટીમના કોચ પદેથી અલગ થવાની જાહેરાત કરી છે. અનિલ કુંબલે (Anil Kumble), વીવીએસ લક્ષ્મણ જેવા દિગ્ગજોના નામ નવા કોચ માટે ચાલી રહ્યા છે. પરંતુ હવે તાજા સમાચાર એ છે કે કુંબલે ફરી ટીમ ઇન્ડિયાના કોચ બની શકશે નહીં.

BCCI ના ઘણા અધિકારીઓ આ દિગ્ગજને કોચ પદ આપવા માટે સહમત નથી. કુંબલેએ 2017 માં ભારતીય ટીમના કોચ પદેથી રાજીનામું આપ્યું હતું. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સાથે તેના અણબનાવના અહેવાલો હતા. એવું કહેવામાં આવ્યું હતું કે કુંબલે અને કોહલી વચ્ચે કોઈ સમજૂતી નહોતી અને ઘણી વસ્તુઓ પર બંને વચ્ચે મતભેદો હતા. આવી સ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનના હાથે હાર બાદ કુંબલેએ પદ છોડ્યું હતું. આ પછી રવિ શાસ્ત્રી કોચ બન્યા. તેઓ અગાઉ ટીમ ડાયરેક્ટર હતા.

અનિલ કુંબલે હાલમાં IPL માં પંજાબ કિંગ્સના કોચ છે. તે ટીમ સાથે UAE માં છે. IPL 2020 થી કુંબલે પંજાબના કોચ છે. જો કે, તે આ ટીમને ફેરવી શક્યો નથી. છેલ્લી સીઝનમાં પણ પંજાબ પ્લેઓફમાં નહોતું ગયું અને IPL 2021 માં પણ એવું જ થઈ રહ્યું છે. એવું કહેવાય છે કે ગાંગુલી ઇચ્છતો હતો કે કુંબલે 2017 માં પણ કોચ રહે. તેણે કોહલીની દલીલોને પડતી મૂકી હતી. ગાંગુલી તે સમયે BCCI ની ક્રિકેટ સુધારણા સમિતિના સભ્ય હતા. પરંતુ બાદમાં કોહલી સફળ રહ્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વિદેશી કોચ શોધી રહ્યા છીએ

મીડિયા અહેવાલ મુજબ કુંબલે પણ ટીમ ઈન્ડીયાના કોચ બનવા માટે ઉત્સુક નથી. રિપોર્ટમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ન તો કુંબલે પાછા આવવા માંગે છે અને ન તો BCCI ના અધિકારીઓ એમ ઇચ્છે છે. માત્ર BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી જ કુંબલેના પક્ષમાં હતા. હવે બોર્ડ એક વિદેશી કોચને શોધી રહી છે.

આગળ કહ્યુ, કુંબલે જાણે છે કે તેણે ટીમ ઇન્ડીયામાં એ જ જૂના ચહેરાઓ સાથે કામ કરવું પડશે. અહીં કંઈ નવું થયું નથી. તો પછી તે પાછો કેમ આવશે? દાદા (ગાંગુલી) દ્વારા તેમના નામની ભલામણ કરવામાં આવી હતી પરંતુ બાકીના અધિકારીઓ અસંમત હતા.

વીવીએસ લક્ષ્મણને પણ આ પદ નહીં મળે. જો કે, તે માટે માત્ર એકાદ મહિનાનો જ સમય છે. તેથી તે જોવાનું રહેશે કે કોઈ ફેરફાર આવે છે કે નહીં. વળી, કુંબલેનો રેકોર્ડ પણ જોવો જોઈએ. તે એટલો સારો નથી. IPL માં પંજાબ કિંગ્સ સાથે શું થઈ રહ્યું છે તે જુઓ. એવું માનવામાં આવે છે કે વર્તમાન બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અરજી કરવાની તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ IPL 2021 ને લઇ મોટા સમાચાર, શિડ્યૂલમાં કર્યા ફેરફાર, આઇપીએલ ઇતિહાસમાં પ્રથમ વાર એક સમયે બે મેચ રમાશે

આ પણ વાંચોઃ IPL માં નવી 2 ટીમો ઉમેરવાને લઇને આ તારીખે BCCI કરશે એલાન, આગામી સિઝનમાં 8 ને બદલે 10 ટીમો મેદાને ઉતરશે

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">