AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shamlaji: શામળાજીમાં જન્માષ્ટમી મેળાને લઈ કરાઈ તડામાર તૈયારીઓ, જાણો આઠમના દર્શનનો સમય

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ઉજવણી કરવા માટે વિશેષ આયોજન શામળાજી ખાતે કરવામાં આવ્યા છે. આ માટે શામળાજીમાં મેળા અને જન્મોત્સવને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. શામળાજીમાં મોટી સંખ્યામાં જન્માષ્ટમીને લઈ ભક્તોની ભીડ ઉમટતી હોય છે. સ્થાનિક આદીવાસી સમાજમાં આઠમના મેળાનુ વિશેષ મહત્વ હોય છે.

Shamlaji: શામળાજીમાં જન્માષ્ટમી મેળાને લઈ કરાઈ તડામાર તૈયારીઓ, જાણો આઠમના દર્શનનો સમય
શામળાજી મંદિર દર્શન સમય
| Updated on: Sep 04, 2023 | 10:11 PM
Share

ગુરુવારે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ઉજવણી કરવા માટે વિશેષ આયોજન શામળાજી ખાતે કરવામાં આવ્યા છે. આ માટે શામળાજીમાં મેળા અને જન્મોત્સવને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. શામળાજીમાં મોટી સંખ્યામાં જન્માષ્ટમીને લઈ ભક્તોની ભીડ ઉમટતી હોય છે. સ્થાનિક આદીવાસી સમાજમાં આઠમના મેળાનુ વિશેષ મહત્વ હોય છે.

જન્માષ્ટમીને લઈ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. મંદિરને શણગારવા માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીને લઈ મંદિર પર વિશેષ લાઈટ દ્વારા ઝળહળતી રોશની કરવામાં આવશે.

તૈયારીઓ પૂરજોશમાં

હાલમાં શામળાજી વિષ્ણુ મંદિર ખાતે તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. મંદિરને ઝળહળતી લાઈટો વડે શણગારવામાં આવશે. આ ઉપરાંત મંદિરના તમામ ગેટ થી લઈને મંદિરના તમામ માર્ગોને પણ સ્વચ્છ કરીને શ્રદ્ધાળુઓને અગવડતા ના પડે એ માટે થઈને આયોજન કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક જિલ્લા પોલીસ દ્વારા પણ જન્માષ્ટમીને લઈ ભક્તોની ઉમટનારી ભીડને ધ્યાને રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

મંદિર પરિસર વિસ્તારમાં સુંદર આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે. મંદિર પરીસરમાં ભગવાન શ્રી કૃષ્ણના સુંદર ભજનની સંધ્યા યોજવા સહિત મંદિર પરિસરમાં પ્રાથમિક સુવિધાઓ અને સરળતાના આયોજન કરવામાં આવ્યા છે.

દિવ્ય શણગાર સજવામાં આવશે

ભગવાન શામળીયા એટલે કે કાળિયા ઠાકોરજીના દર્શન કરવા માટે આદીવાસી સમાજ અને વૈષ્ણવ સમાજ મોટી સંખ્યામાં ઉમટશે. કાળિયા ઠાકોરના દર્શન આ દિવસે કરવાનુ આદીવાસી સમાજમાં ખૂબ જ મહત્વ છે. જેને લઈ મોટી ભીડ અહીં રાજસ્થાન અને ગુજરાતથી ઉમટશે.

આ દિવસે ભગવાનને દિવ્ય શણગાર સજવામાં આવતો હોય છે. ભગવાનને સુંદર વાઘાથી સજાવવા સાથે સોના, ચાંદી અને હિરા જડીત આભૂષણોનો શણગાર કરવામાં આવશે. આ દિવસો ભગવાનને સોનાની વાંસળી અને હિરા જડીત મુગટ પણ સજાવવામાં આવશે. આમ અલભ્ય દર્શનનો લાભ આ દિવસે મળતો હોય છે.

દર્શનનો સમય

વિગત  દર્શનનો સમય
મંદિર ખુલશે સવારે 6.00 કલાકે
મંગળા આરતી સવારે સવારે 6.45લાકે
શણગાર આરતી સવારે સવારે 9.15 કલાકે
મંદિર બંધ થશે

રાજભોગ ધરાવવામાં આવશે.

સવારે 11.30 કલાકે
મંદિર ખુલશે રાજભોગ આરતી. બપોરે 12.15 કલાકે
મંદિર બંઘ થશે ઠાકોરજી પોઢી જશે બપોરે 01.00 કલાકે
ઉત્થાપન બપોરે 2.15 કલાકે
સંધ્યા આરતી સાંજે 7.00 કલાકે
શ્રીકૃષ્ણ જન્મોત્સવ રાત્રે 12.00 કલાકે
આરતી રાત્રે 12.00 કલાકે
શયન આરતી રાત્રે 12.45 કલાકે
મંદિર મંગલ મંદિર બંધ થશે રાત્રે 1.00 કલાકે

આ પણ વાંચોઃ  Shamlaji: જન્માષ્ટમી મેળાને લઈ ST ની સ્પેશિયલ 70 બસ દોડાવાશે, રજાઓને લઈને ખાસ આયોજન કરાયુ

 અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">