Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shamlaji: જન્માષ્ટમી મેળાને લઈ ST ની સ્પેશિયલ 70 બસ દોડાવાશે, રજાઓને લઈને ખાસ આયોજન કરાયુ

શામળાજીમાં જન્માષ્ટમીનો મેળો ગુરુવારે યોજાનાર છે. આ મેળામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. ભક્તો મોટી સંખ્યામાં અહીં શામળીયા ભગવાના દર્શન કરવા માટે આવતા હોય છે. ભગવાન શામળીયાના દરબારમાં આઠમની હાજરી ભરવા માટે ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે.

Shamlaji: જન્માષ્ટમી મેળાને લઈ ST ની સ્પેશિયલ 70 બસ દોડાવાશે, રજાઓને લઈને ખાસ આયોજન કરાયુ
ST ની સ્પેશિયલ 70 બસ દોડાવાશે
Follow Us:
| Updated on: Sep 04, 2023 | 10:12 PM

શામળાજીના મેળાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુરુવારે શામળાજીમાં જન્માષ્ટમીનો મેળો યોજાનાર છે. આ મેળામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. ભક્તો મોટી સંખ્યામાં અહીં શામળીયા ભગવાના દર્શન કરવા માટે આવતા હોય છે. ભગવાન શામળીયાના દરબારમાં આઠમની હાજરી ભરવા માટે ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે.

જેને લઈ એસટી નિગમ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. નિયમીત ઉપરાંત વધારાની ખાસ બસ શામળાજી અલગ અલગ રુટથી દોડાવવામાં આવશે. એસટી નિગમના વિભાગીય નિયામકે એક નિવેદન દ્વારા જણાવ્યુ છ કે, જન્માષ્ટમીના તહેવારોને લઈ જે રીતે શામળાજીમાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે, જેને લઈ તેમને સરળતાથી મુસાફરી થઈ શકે એ માટે આયોજન કરવામાં આવ્યુ છે.

70 બસ દોડાવાશે

જન્માષ્ટમીના તહેવાર દરમિયાન હિંમતનગર એસટી વિભાગ દ્વારા 70 જેટલી બસ દોડાવવામાં આવનાર છે. રજાઓનો દિવસ હોઈ સ્થાનિક વનવાસી વિસ્તારના લોકો રાજ્યભરમાં નોકરી કરતા હોઈ જન્માષ્ટમીને લઈ ખાસ વતન આવતા હોય છે. જન્માષ્ટમી એ સ્થાનિક આદીવાસી સમાજમાં મહત્વનો તહેવાર હોય છે. આ દિવસે કાળીયા ઠાકોરના દર્શન અચૂક કરતા હોય છે, આ માટે રાજ્ય ભરમાંથી આદીવાસી પરિવારો વતન ભણી વાટ પકડતા હોય છે.

રિષભ પંત માટે ઉર્વશી રૌતેલાએ પોતાની ફેવરિટ ટીમ જ બદલી નાખી
શ્રેયસ અય્યર સાથે કારમાં ફરતી છોકરીની 10 સુંદર તસવીરો
Jioનું સૌથી સસ્તું 84 દિવસનું રિચાર્જ, મળશે કોલિંગ અને SMSનો લાભ
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો
ટેરેન્સ લુઈસે કહ્યું, રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે
પુરુષોમાં HIV ના લક્ષણો કેવી રીતે દેખાય છે?

આમ આ દીવસોમાં મુસાફરોનો ધસારો વધારે રહેતો હોય છે. આ વખતે વિશેષ આયોજન કરવા સાથે એસટી વિભાગ દ્વારા વધારાની બસ રાજ્યના અલગ અલગ રુટથી શામળાજી સહિત ના વિસ્તારને જોડવામાં આવશે. 5, સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન વધારાની બસ અલગ અલગ રુટથી દોડાવવામાં આવશે.

અમદાવાદ-વડોદરાથી પણ સીધી બસ વધારાઈ

આ દરમિયાન એસટી વિભાગ દ્વારા અમદાવાદ,વડોદરા, નડીયાદ, ગાંધીનગર, લુણાવાડા, હિંમતનગર, મોડાસા, ભિલોડા, બાયડ સહિતના વિસ્તારને સાંકળતા રુટ તૈયાર કરવામાં આવ્યા છે. આ રુટ પર નવી વધારાની બસ આ દિવસો દરમિયાન સંચાલન કરવાને લઈ મુસાફરોને રાહત રહશે.

વધારાની બસને લઈ રિઝર્વેશનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. એસટી બસમાં રુટ મુજબ ઓન લાઈન બુકીંગ કરી શકાશે. આ ઉપરાંત એસટી બસ સ્ટેશન પર પણ રિઝર્વેશન કરી શકાશે. તેમજ એસટીની એપ્લીકેશન પર પણ રીઝર્વેશન કરી બસની ટિકિટ મેળવી શકાશે. આમ મુસાફરોની સરળતા ખાતર તમામ રીતે આયોજન કર્યાનુ હિંમતનગર એસટી વિભાગીય નિયામક એચએસ જોષીએ જણાવ્યુ છે.

આ પણ વાંચોઃ  Shamlaji: શામળાજીમાં જન્માષ્ટમી મેળાને લઈ કરાઈ તડામાર તૈયારીઓ, જાણો આઠમના દર્શનનો સમય

 અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">