AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shamlaji: જન્માષ્ટમી મેળાને લઈ ST ની સ્પેશિયલ 70 બસ દોડાવાશે, રજાઓને લઈને ખાસ આયોજન કરાયુ

શામળાજીમાં જન્માષ્ટમીનો મેળો ગુરુવારે યોજાનાર છે. આ મેળામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. ભક્તો મોટી સંખ્યામાં અહીં શામળીયા ભગવાના દર્શન કરવા માટે આવતા હોય છે. ભગવાન શામળીયાના દરબારમાં આઠમની હાજરી ભરવા માટે ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે.

Shamlaji: જન્માષ્ટમી મેળાને લઈ ST ની સ્પેશિયલ 70 બસ દોડાવાશે, રજાઓને લઈને ખાસ આયોજન કરાયુ
ST ની સ્પેશિયલ 70 બસ દોડાવાશે
| Updated on: Sep 04, 2023 | 10:12 PM
Share

શામળાજીના મેળાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુરુવારે શામળાજીમાં જન્માષ્ટમીનો મેળો યોજાનાર છે. આ મેળામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. ભક્તો મોટી સંખ્યામાં અહીં શામળીયા ભગવાના દર્શન કરવા માટે આવતા હોય છે. ભગવાન શામળીયાના દરબારમાં આઠમની હાજરી ભરવા માટે ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે.

જેને લઈ એસટી નિગમ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. નિયમીત ઉપરાંત વધારાની ખાસ બસ શામળાજી અલગ અલગ રુટથી દોડાવવામાં આવશે. એસટી નિગમના વિભાગીય નિયામકે એક નિવેદન દ્વારા જણાવ્યુ છ કે, જન્માષ્ટમીના તહેવારોને લઈ જે રીતે શામળાજીમાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે, જેને લઈ તેમને સરળતાથી મુસાફરી થઈ શકે એ માટે આયોજન કરવામાં આવ્યુ છે.

70 બસ દોડાવાશે

જન્માષ્ટમીના તહેવાર દરમિયાન હિંમતનગર એસટી વિભાગ દ્વારા 70 જેટલી બસ દોડાવવામાં આવનાર છે. રજાઓનો દિવસ હોઈ સ્થાનિક વનવાસી વિસ્તારના લોકો રાજ્યભરમાં નોકરી કરતા હોઈ જન્માષ્ટમીને લઈ ખાસ વતન આવતા હોય છે. જન્માષ્ટમી એ સ્થાનિક આદીવાસી સમાજમાં મહત્વનો તહેવાર હોય છે. આ દિવસે કાળીયા ઠાકોરના દર્શન અચૂક કરતા હોય છે, આ માટે રાજ્ય ભરમાંથી આદીવાસી પરિવારો વતન ભણી વાટ પકડતા હોય છે.

આમ આ દીવસોમાં મુસાફરોનો ધસારો વધારે રહેતો હોય છે. આ વખતે વિશેષ આયોજન કરવા સાથે એસટી વિભાગ દ્વારા વધારાની બસ રાજ્યના અલગ અલગ રુટથી શામળાજી સહિત ના વિસ્તારને જોડવામાં આવશે. 5, સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન વધારાની બસ અલગ અલગ રુટથી દોડાવવામાં આવશે.

અમદાવાદ-વડોદરાથી પણ સીધી બસ વધારાઈ

આ દરમિયાન એસટી વિભાગ દ્વારા અમદાવાદ,વડોદરા, નડીયાદ, ગાંધીનગર, લુણાવાડા, હિંમતનગર, મોડાસા, ભિલોડા, બાયડ સહિતના વિસ્તારને સાંકળતા રુટ તૈયાર કરવામાં આવ્યા છે. આ રુટ પર નવી વધારાની બસ આ દિવસો દરમિયાન સંચાલન કરવાને લઈ મુસાફરોને રાહત રહશે.

વધારાની બસને લઈ રિઝર્વેશનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. એસટી બસમાં રુટ મુજબ ઓન લાઈન બુકીંગ કરી શકાશે. આ ઉપરાંત એસટી બસ સ્ટેશન પર પણ રિઝર્વેશન કરી શકાશે. તેમજ એસટીની એપ્લીકેશન પર પણ રીઝર્વેશન કરી બસની ટિકિટ મેળવી શકાશે. આમ મુસાફરોની સરળતા ખાતર તમામ રીતે આયોજન કર્યાનુ હિંમતનગર એસટી વિભાગીય નિયામક એચએસ જોષીએ જણાવ્યુ છે.

આ પણ વાંચોઃ  Shamlaji: શામળાજીમાં જન્માષ્ટમી મેળાને લઈ કરાઈ તડામાર તૈયારીઓ, જાણો આઠમના દર્શનનો સમય

 અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
g clip-path="url(#clip0_868_265)">