AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં દર્દીઓ પર કરાતી હતી દવાની રિસર્ચ, વિજિલિન્સની તપાસમાં ફુટ્યો ભાંડો, 8 ડોક્ટર સસ્પેન્ડ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો ભાંડો હમણાં જ ફૂટ્યો હતો અને એમાંય હવે અમદાવાદ સ્થિત આ બીજી હોસ્પિટલની કાલાકાંડી બહાર આવી છે. હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખોની લેતીદેતી હતી.

અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં દર્દીઓ પર કરાતી હતી દવાની રિસર્ચ, વિજિલિન્સની તપાસમાં ફુટ્યો ભાંડો, 8 ડોક્ટર સસ્પેન્ડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2025 | 1:52 PM

થોડા સમય પહેલા જ હજુ તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો.  હવે અમદાવાદ સ્થિત આ બીજી હોસ્પિટલના કાંડ બહાર આવ્યા છે. વાત એમ છે કે, અમદાવાદની ખ્યાતનામ ‘વી. એસ. હોસ્પિટલ’નું મોટુ કૌભાંડ બહાર આવ્યું છે. આ હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખોની લેતીદેતી હતી.

હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર દવાનું ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવતું હતું. જો કે, થોડા સમય અગાઉ આ ઘટના અંગે ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે વિજિલન્સને તપાસ સોંપવામાં આવી હતી. વિજિલન્સની તપાસ બાદ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડૉ. મનિષ પટેલ છે, જે કૌભાંડને અંજામ આપી રહ્યો હતો તેવું કહેવાઈ રહ્યું છે. સૂત્રો મુજબ એ પણ જાણવા મળ્યું છે કે, ફાર્મેકોલોજિસ્ટ દેવાંગ રાણાના ઇશારે કૌભાંડ થતું હતું. બીજું કે, ‘વી. એસ. હોસ્પિટલ’માં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 8 ડૉક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શું રિસર્ચ થઈ રહ્યું હતું?

હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ માટે આવતી દવાઓનો દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવતો હતો અને લાખો રૂપિયા લઇને રિસર્ચનો રિપોર્ટ કંપનીને આપી દેવામાં આવતો હતો. જો કે, આ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો પણ બહાર આવ્યો છે. ખુલાસો એમ છે કે, એક જ ટેસ્ટ માટે તબીબોએ રૂપિયા 32 લાખ એઠ્યા હતા. રિસર્ચના બદલામાં જે રૂપિયા મળતા તે તબીબોના પરિવારજનોને અને સંબંધીઓના ખાતામાં જમા કરાવવામાં આવતા હતા, જેના થકી કૌભાંડને અંજામ અપાતો હતો. તદુપરાંત એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે કે, આ કૌભાંડમાં સુપરિન્ટેન્ડન્ટ અને ડીનનો પણ હાથ છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2025
Lakshmi Yantra : તુલસીના છોડમાં લક્ષ્મી યંત્ર રાખવાથી શું થાય છે?
વાત દોષ શું છે? લક્ષણો અને તેમને સંતુલિત કરવાના ઉપાયો જાણો
શું છે Jio Home, જેમાં ચાલશે આખા ઘરનું ઇન્ટરનેટ, જાણો પ્લાન
બોલિવૂડના સૌથી પ્રિય સિંગરના પરિવાર વિશે જાણો
litchi: લીચી કોણે ન ખાવી જોઈએ?

હાલ તો સમગ્ર મામલો સામે આવ્યો છે જેને લઈને ઘણા બધા પ્રશ્નો હોસ્પિટલ પર અને તેના મેનેજમેન્ટ પર થઈ રહ્યા છે. જો કૌભાંડની તટસ્થ અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો મહાકૌભાંડનો ખુલાસો થવાની શક્યતા છે.

કોના વિરૂદ્ધ કાર્યવાહી ?

ડૉ. યાત્રી પટેલ (સાયકિયાટ્રિસ્ટ), ડૉ. ધૈવત શુક્લ (સ્કિન સ્પેશિયાલિસ્ટ), ડૉ.રોહન શાહ (ENT), ડૉ.કૃણાલ સથવારા (સર્જિકલ), ડૉ.શાલીન શાહ (ડાયાબિટિસ સ્પેશિયાલિસ્ટ), ડૉ. દર્શિલ શાહ (યુરોલોજિસ્ટ) અને ડૉ.કંદર્પ શાહ (કાર્ડિયોલોજિસ્ટ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધ આગળ કાર્યવાહી કરવામાં આવશે.

શું છે ક્લિનિકલ ટ્રાયલ ?

ફાર્મા કંપની દવાની શોધ માટે રિસર્ચ કરે છે. હવે આ રિસર્ચ બાદ દવાનું પ્રાણીઓ પર પરિક્ષણ થાય છે. પરીક્ષણ બાદ જો સફળતા મળે છે તો તેના પછી મેડિકલ કાઉન્સિલની મંજૂરી લેવાય છે. ત્યારબાદ માણસો પર ટ્રાયલ કરવા માટે દવાઓ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. તબીબોની હાજરીમાં દર્દીને દવા અપાય છે અને દવા આપ્યા બાદ તેના રિપોર્ટની નોંધ થાય છે. આ રિપોર્ટ ફાર્મા કંપનીને મોકલવામાં આવે છે અને છેલ્લે કાઉન્સિલની મંજૂરી બાદ દવાનું ઉત્પાદન શરૂ થઇ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સાયબર કૌભાંડમાં હિરલબા સહિત 6 સામે ફરિયાદ, 3 આરોપીની ધરપકડ
સાયબર કૌભાંડમાં હિરલબા સહિત 6 સામે ફરિયાદ, 3 આરોપીની ધરપકડ
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ
વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી
રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી
ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા
ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">