AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: ભાજપમાં જતાં કોંગ્રેસના આગેવાનોની સ્થિતિ શેરીના કૂતરા જેવી બની જાય છે : શક્તિસિંહ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આજે કોંગ્રેસના આગેવાન અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના આગેવાનોના કેસરિયા કરનારા પર આકરા પ્રહારો કર્યા હતા

Banaskantha: ભાજપમાં જતાં કોંગ્રેસના આગેવાનોની સ્થિતિ શેરીના કૂતરા જેવી બની જાય છે : શક્તિસિંહ
શક્તિસિંહ ગોહિલ આજે બનાસકાંઠાની મુલાકાતે હતા
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 2:12 PM
Share

રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન શક્તિસિંહ ગોહિલ આજે બનાસકાંઠાની મુલાકાતે હતા. જ્યાં ઉંડા જતા ભૂગર્ભ જળ મુદ્દે આંદોલન કરવાનું તેમજ ભાજપનો કેસરીયો કરતા કોંગ્રેસના આગેવાનો સામે બળાપો ઠાલવ્યો.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આજે કોંગ્રેસના આગેવાન અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના આગેવાનોના કેસરિયા મામલે તેમણે જણાવ્યું હતું કે ભાજપમાં ગયા બાદ કોંગ્રેસના મોટા આગેવાનો શેરીના કુતરા સમાન બની જાય છે. ભાજપમાં તેમને કોઈ સ્થાન મળતું નથી. માત્ર ભાજપમાં સામેલ કરી તેમની રાજકીય કારકિર્દી પૂરી કરી દેવામાં આવે છે.

બનાસકાંઠા જિલ્લામાં આગામી 28 તારીખ થી જળ આંદોલન ચાલુ થઈ રહ્યું છે. જે મામલે તેમણે જણાવ્યું ખનીજ ચોરી બેફામ બની છે. જેના કારણે ભૂગર્ભ જળ ઉંડા જઈ રહ્યા છે. સરકારની મિલીભગતના કારણે પર્યાવરણને નુકસાન થયું છે. ભાજપના રાજમાં માત્ર ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર જ પ્રજા વેઠી રહી છે.

જયરાજસિંહ પરમારે કૉંગ્રેસની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈને પક્ષ છોડી દીધો હતો અને આખરે ભાજપમાં જોડાયા છે. જયરાજસિંહ સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં સામેલ થયા છે. જયરાજસિંહ પરમારે ગાંધીનગરમાં સી.આર. પાટિલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં સામેલ થયા છે. તેના ઉપલક્ષમાં આજે શક્તિસિંહે તેમનું નામ લીધા વિના પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો : Kheda : માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી

આ પણ વાંચો : Mehsana : સો ટકા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવાનો નિર્ધાર છે : ઋષિકેશ પટેલ

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">