Anand : વરસાદ ખેંચાતા મેઘરાજાને મનાવવા માટે કરવામાં આવ્યો પર્જન્ય યજ્ઞ

વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આણંદ (Anand) જિલ્લાના કરમસદના ખેડૂતો દ્વારા પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 7:36 AM

ચોમાસાની (Monsoon) ઋતુનો પ્રારંભ થઇ ચુક્યો છે. વાવણીની સીઝન પણ ચાલુ થઇ ગઈ હોવા છતાં રાજ્યના ધરતીપુત્રોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ ખેંચાતા ખેડૂતોને (Farmers) જુદા જુદા પાકના વાવેતર કરવાની અને જ્યાં વાવેતર થઇ ગયું છે ત્યાં પાણી વગર પોતાનો પાક બળી જવાની ચિંતા સતાવી રહી છે. ત્યારે આણંદ(Anand) જીલ્લાના કરમસદ ગામમાં મેઘરાજાને મનાવવા પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો. ગામની મહિલાઓ દ્વારા જળના વધામણા કરવામાં આવ્યા હતા.

ગસામાન્ય રીતે જુન મહિનામાં ચોમાસાનો પ્રારંભ થઇ જતો હોય છે જેને એક મહિના જેટલો સમય થવા આવ્યો . પણ હજી સુધી રાજ્યમાં પાકના વાવેતર અને ઘણા પ્રદેશમાં પાકના વાવેતર પછી પોષણ માટે જરૂરી એવો વરસાદ ના વરસતા અને વરસાદ ખેંચાતા રાજ્યના ધરતીપુત્રોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

મેઘરાજાને રીઝવવા માટે કરમસદ ખાતે આવેલ તથ્ય આશ્રમમાં વરુણ દેવને રીઝવવા માટે પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ દ્વારા ગામના તળાવમાં જળના વધામણા કરવામાં આવ્યા હતા. પહેલાના જમાનામાં જયારે મેઘ મહેર ન થાય ત્યારે દુષ્કાળના સમયમાં 32 લક્ષણા માણસો પોતાના જીવની આહુતિ આપતા હતા. જોકે બાદમાં માણસના બદલે માટલું પધરાવીને મેઘરાજાને વિનવવાની પરંપરા ચાલુ થઇ હતી જે આજે પણ જોવા મળે છે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">