AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘આણંદનું ગૌરવ’ નાયબ મામલતદાર ચૈતન્ય સંઘાણીનું મુખ્યમંત્રી દ્વારા કરાયું સન્માન

દેશન અનેક લોકો દ્વારા ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમને ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બિરદાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આણંદના જાણીતા તત્વચિંતક , લેખક અને પુરવઠા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચૈતન્ય સંઘાણીનું પણ મુખ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.

‘આણંદનું ગૌરવ’ નાયબ મામલતદાર ચૈતન્ય સંઘાણીનું મુખ્યમંત્રી દ્વારા કરાયું સન્માન
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Oct 29, 2023 | 6:59 PM
Share

આણંદના જાણીતા તત્વચિંતક , લેખક અને પુરવઠા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચૈતન્ય સંઘાણીને તેમની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપલક્ષમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના યુવા રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનની પ્રેરણાથી જે સંતો અને મહાનુભાવો દ્વારા ભારતીય સંસ્કૃતિ જીવંત રાખવાના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે તેમને ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બિરદાવવાનું નક્કી કરવામાં આવ્યું. સંસ્કૃતિ ટકશે તો દેશનો વિકાસ યોગ્ય દિશામાં ફળીભૂત થઈ શકશે તેવા વિચારને કેન્દ્રમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા ઇતિહાસમાં પહેલીવાર સંસ્કૃતિ માટે તલસ્પર્શી કાર્ય કરનાર લોકોને પુરસ્કાર આપવાનું નક્કી કરવામાં આવ્યું.

જે ગૌરવવંતો પુરસ્કાર જૈન સંત પદ્મભૂષણથી સન્માનિત પૂજ્ય રત્નસુંદર વિજયજી મહારાજ સાહેબ ,સ્વામી પરમાત્માનંદજી ની સાથે એવી યુવા પ્રતિભાવોને પણ આપવામાં આવ્યો કે જેમણે પોતાનું જીવન ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે વિભિન્ન રીતે સમર્પિત કર્યું છે.

આણંદના જાણીતા તત્વચિંતક, લેખક ચૈતન્ય સંઘાણીને તેમના દ્વારા કરવામાં આવતી અનેક આધ્યાત્મિક ,સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી, જાણીતી ટીવી સિરીઝના માધ્યમથી જેવા અનેક માધ્યમો દ્વારા ચૈતન્ય સંઘાણીએ ભારતીય જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવાની ઝુંબેશ ચલાવી છે. સમગ્ર ગુજરાતના અનુસંધાને આ પુરસ્કાર પ્રાપ્ત કરીને એક સરકારી અધિકારી તરીકે ચૈતન્ય સંઘાણીએ આણંદ જિલ્લા સરકારી આલમનું ગૌરવ પણ વધાર્યું છે.

આ પણ વાંચો : બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર આવતા સ્ટેશનોને તેના શહેરની ઓળખ પ્રમાણે અપાશે રંગ રૂપ

સમાજના અન્ય અનેક લોકો આવા સાંસ્કૃતિક યોદ્ધાઓ માંથી પ્રેરણા લઈને વધુ ઉત્તમ કાર્ય કરી શકે તથા સમાજના નાનામાં નાના વ્યક્તિને પણ સાંસ્કૃતિક યોદ્ધા બનવાની પ્રેરણા મળે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા આ નવીન ઐતિહાસિક પુરસ્કાર અર્પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.

આણંદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">