Anand : તારાપુર હાઇવે થયો રક્તરંજિત, ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત

આણંદ-તારાપુર હાઇવે પર ઇન્દ્રણજની દુરાવેટ ફેકટરી નજીક સવારે ટ્રક અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં 10 હતભાગી મોતને ભેટ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 16, 2021 | 9:11 AM

Anand: આણંદ-તારાપુર હાઇવે પર ઇન્દ્રણજની દુરાવેટ ફેકટરી નજીક સવારે ટ્રક અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં 10 હતભાગી મોતને ભેટ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

આણંદના તારાપુર નજીક ઇન્દ્રણજ દુરાવેટ ફેક્ટરી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા 10 લોકો મોતને ભેટ્યા છે. આજે વહેલી સવારે ટ્રક અને ઈકો કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 1 બાળકી સહિત તમામ 10 લોકો મોતનો કોળિયો બની ગયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો છે.  જોકે આ પરિવાર કોણ છે એની માહિતી મળી શકી ના હતી.

તમામ મૃતકોને તારાપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ભયંકર અકસ્માતને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કારમાં સવાર નાની બાળકી સહિત 10 વ્યક્તિનાં મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતને પગલે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. હતભાગીઓની ઓળખ કરી પરિવારજનોને જાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, ઈકોમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. એટલે કે કાર તારાપુરથી વટામણ તરફ જઈ રહી હતી અને ટ્રક વટામણ તરફથી તારાપુર તરફ આવી રહી હતી. તે દરમિયાન ટ્રક માતેલા સાંઢની જેમ રોંગ સાઈડમાં ધસી આવ્યો હતો અને કારચાલક કઈ વિચારે તે પહેલા તો કારનો ભૂકો બોલાઈ ગયો હતો.

Follow Us:
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">