AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Breaking News : આણંદના ઉમરેઠમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં થયો પથ્થરમારો, અજાણ્યા શખ્સોએ મૂર્તિ ખંડિત કરવાનો કર્યો પ્રયાસ, જુઓ Video

રાજ્યમાં અવારનવાર પથ્થરમારાની ઘટના સામે આવતી હોય છે. ત્યાં ફરી એક વાર રાજ્યમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. આણંદના ઉમરેઠમાં નવરાત્રી પહેલા અસામાજિક તત્વોઓ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉમરેઠના ઓડ બજારમાં આવેલા તળાવ પાસેના સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં અજાણ્યા શખ્સોએ પથ્થરો નાખવામાં આવ્યા હતા.

Anand Breaking News : આણંદના ઉમરેઠમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં થયો પથ્થરમારો, અજાણ્યા શખ્સોએ મૂર્તિ ખંડિત કરવાનો કર્યો પ્રયાસ, જુઓ Video
Anand
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2023 | 2:28 PM
Share

Anand Breaking News : રાજ્યમાં અવારનવાર પથ્થરમારાની ઘટના સામે આવતી હોય છે. ત્યાં ફરી એક વાર રાજ્યમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. આણંદના ઉમરેઠમાં નવરાત્રી પહેલા અસામાજિક તત્વોઓ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉમરેઠના ઓડ બજારમાં આવેલા તળાવ પાસેના સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં અજાણ્યા શખ્સોએ પથ્થરો નાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Anand News : તાજેતરમાં પડેલા વરસાદની અસર શાકભાજી પાકો પર જોવા મળી, છેલ્લા ચાર દિવસથી ભાવમાં ભડકો

ગઈ કાલે રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થર નાખી મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે. આજે વહેલી સવારે ભક્તો અને પૂજારી મંદિર પહોંચ્યા ત્યારે પથ્થરો દેખાયા હતા. તો મહાદેવની ધજાની શોધખોળ કરતા ગટરના ખાડામાંથી મળી આવી છે. આ સમગ્ર ઘટના અંગે પૂજારીએ ઉમરેઠ પોલીસને જાણ કરી છે.

વડોદરાના મંજુસર ગામે ગણેશવિસર્જનમાં થયો હતો પથ્થરમારો

તો આ અગાઉ વડોદરા જિલ્લામાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી. વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે કોમી અથડામણની ઘટના બની હતી.મંજૂસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો.મંજૂસર ગામમાં ગણપતિની વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થરમારાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ગ્રામજનોએ પંચાયત પાસેના ચોકમાં બેસી રામધુન બોલાવી પથ્થરમારો કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

બીજી તરફ ખેડાના ઠાસરા ગામમાં શિવજીની સવારી નીકળી હતી તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં બે જૂથના લોકો સામ સામે આવી જતા પથ્થરમારાની ઘટના બની હતી. ખેડા જિલ્લાના ઠાસરાના  ડાકોર સેવાલિયા સહિતની પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.

( વીથ ઈનપુટ – ધર્મેન્દ્ર કપાસી ) 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">