AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુખ્યમંત્રીનો શહેરી વિસ્તારમાં જન સુખાકારીનો મહત્વપૂર્ણ નિર્ણય, ધારાસભ્ય દીઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે

આણંદ નગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે પાણી પૂરવઠા યોજનાના ૧૩૦ કરોડના કામો મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, માત્ર પાતાળ કૂવાનો જ જળસ્ત્રોત ધરાવતા આણંદ નગરને મળશે પાણીનો વૈકલ્પિક સ્ત્રોત

મુખ્યમંત્રીનો શહેરી વિસ્તારમાં જન સુખાકારીનો મહત્વપૂર્ણ નિર્ણય, ધારાસભ્ય દીઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે
An important decision of the Chief Minister for public welfare in urban areas, a grant of Rs. 2 crore per MLA will be allotted
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 4:10 PM
Share

રાજ્યના શહેરી વિસ્તારના ધારાસભ્યોને શહેરી ક્ષેત્રોમાં માર્ગ મરામત-માર્ગ વિકાસના કામો માટે ૨૦૨૧-૨૨ ના વર્ષમાં ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને ધારાસભ્ય દીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના શહેરી મત વિસ્તાર ધરાવતા આવા ૩૫ ધારાસભ્યો-જન પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિસાદ આપતાં ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે.

આણંદ નગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે પાણી પૂરવઠા યોજનાના ૧૩૦ કરોડના કામો મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, માત્ર પાતાળ કૂવાનો જ જળસ્ત્રોત ધરાવતા આણંદ નગરને મળશે પાણીનો વૈકલ્પિક સ્ત્રોત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ નગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે પાણી પુરવઠાના કામો માટે ૧૩૦.૩૫ કરોડના કામોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. આણંદ નગરપાલિકાની પ્રવર્તમાન પાણીની જરૂરિયાત ૩૭.૭૦ એમ.એલ.ડી છે અને ૨૪ એમ.એલ.ડી પાણી પુરું પાડવામાં આવે છે. એટલું જ નહિ, માત્ર પાતાળ કૂવાનો જ જળસ્ત્રોત ધરાવતા આણંદ માટે હવે આ સૂચિત યોજનામાંથી મહી નદીમાંથી ઈનટેક અને રાઈઝિંગ મેઈન દ્વારા પાણી અપાશે. મુખ્યમંત્રીએ આણંદ નગરની આગામી ૨૦૫૦ ના વર્ષની અંદાજિત વસ્તીની ૭૮.૩૩ એમ.એલ.ડી. પાણીની જરૂરિયાત ધ્યાનમાં રાખીને આ મહત્વાકાંક્ષી યોજના માટેની સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.

આ પણ વાંચો : Agnes Tirop : વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2 મેડલ જીતનાર સ્ટાર ખેલાડીની હત્યા, ટોક્યો ઓલિમ્પિકમાં 4થા સ્થાને રહી હતી, પતિએ છરીના ઘા માર્યા!

આ પણ વાંચો  : Vadodara : ગાંધીજી અને નહેરું અંગે વિવાદીત ટિપ્પણી કરનાર શિક્ષક સસ્પેન્ડ, શિક્ષકનો વીડિયો થયો હતો વાયરલ

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">