Ahmedabad : આગામી પાંચ દિવસ બાદ ગગડશે તાપમાનનો પારો, રાત્રિના સમયે થશે ઠંડીનો અનુભવ

ડિસેમ્બરમાં કોલ્ડવેવની કોઈ આગાહી નથી. ડિસેમ્બર દરમિયાન સામાન્ય કે તેનાથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ન હોવાથી ઠંડીની અસર પણ નહીંવત્ છે. હાલમાં અમદાવાદનું તાપમાન ઘટીને 19 ડિગ્રી પર પહોંચ્યું છે. જે ડિસેમ્બરના સામાન્યથી 5 ડિગ્રી ઊંચું છે.

Ahmedabad : આગામી પાંચ દિવસ બાદ ગગડશે તાપમાનનો પારો, રાત્રિના સમયે થશે ઠંડીનો અનુભવ
winter in Gujarat
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Dec 21, 2022 | 3:04 PM

રાજ્યમાં હજુ પણ શિયાળો જામ્યો નથી અને ડિસેમ્બરના 20 દિવસ બાદ પણ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટાડો થશે, પરંતુ ઠંડીનો ખરો અહેસાસ જાન્યુઆરીમાં થશે. તેમજ રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તેમજ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાત્રિનું તાપમાન ઘટવાની શકયતાઓ છે તેમજ 2થી 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટે તેવી શકયતા છે. તો આગામી સમયમાં તાપમાનનો પારો ઘટતા ઠંડીનો અનુભવ થઈ શકે છે.

આગામી સમયમાં માવઠાની શકયતા નથી

ડિસેમ્બરમાં કોલ્ડવેવની કોઈ આગાહી નથી. ડિસેમ્બર દરમિયાન સામાન્ય કે તેનાથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ન હોવાથી ઠંડીની અસર પણ નહીંવત્ છે. હાલમાં અમદાવાદનું તાપમાન ઘટીને 19 ડિગ્રી પર પહોંચ્યું છે. જે ડિસેમ્બરના સામાન્યથી 5 ડિગ્રી ઊંચું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 16 ડિગ્રી આસપાસ છે. રાજ્યમાં હાલ વાતાવરણ સૂકું રહેશે. કમોસમી વરસાદની કોઈ આગાહી નથી.

ગત રાત્રે  લઘુત્તમ તાપમાન નોંધાયું નીચું

ગત રાત્રે  અમદાવાદનું લઘુત્તમ તાપમાન  14 ડિગ્રી અને ગાંધીનગર. 12.4 ડિગ્રી તાપમાન, તો નલિયાનું  સૌથી ઓછું 10 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું જ્યારે  સુરત. 18.8 ડિગ્રી. વડોદરા. 16.6 ડિગ્રી. રાજકોટમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેના કારણે મોડી રાત્રે  તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થતો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આજે રહેશે હૂંફાળું હવામાન

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી ઠંડીનો અનુભવ થશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 21 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે.  સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">