AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : આગામી પાંચ દિવસ બાદ ગગડશે તાપમાનનો પારો, રાત્રિના સમયે થશે ઠંડીનો અનુભવ

ડિસેમ્બરમાં કોલ્ડવેવની કોઈ આગાહી નથી. ડિસેમ્બર દરમિયાન સામાન્ય કે તેનાથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ન હોવાથી ઠંડીની અસર પણ નહીંવત્ છે. હાલમાં અમદાવાદનું તાપમાન ઘટીને 19 ડિગ્રી પર પહોંચ્યું છે. જે ડિસેમ્બરના સામાન્યથી 5 ડિગ્રી ઊંચું છે.

Ahmedabad : આગામી પાંચ દિવસ બાદ ગગડશે તાપમાનનો પારો, રાત્રિના સમયે થશે ઠંડીનો અનુભવ
winter in Gujarat
Darshal Raval
| Edited By: | Updated on: Dec 21, 2022 | 3:04 PM
Share

રાજ્યમાં હજુ પણ શિયાળો જામ્યો નથી અને ડિસેમ્બરના 20 દિવસ બાદ પણ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટાડો થશે, પરંતુ ઠંડીનો ખરો અહેસાસ જાન્યુઆરીમાં થશે. તેમજ રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તેમજ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાત્રિનું તાપમાન ઘટવાની શકયતાઓ છે તેમજ 2થી 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટે તેવી શકયતા છે. તો આગામી સમયમાં તાપમાનનો પારો ઘટતા ઠંડીનો અનુભવ થઈ શકે છે.

આગામી સમયમાં માવઠાની શકયતા નથી

ડિસેમ્બરમાં કોલ્ડવેવની કોઈ આગાહી નથી. ડિસેમ્બર દરમિયાન સામાન્ય કે તેનાથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ન હોવાથી ઠંડીની અસર પણ નહીંવત્ છે. હાલમાં અમદાવાદનું તાપમાન ઘટીને 19 ડિગ્રી પર પહોંચ્યું છે. જે ડિસેમ્બરના સામાન્યથી 5 ડિગ્રી ઊંચું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 16 ડિગ્રી આસપાસ છે. રાજ્યમાં હાલ વાતાવરણ સૂકું રહેશે. કમોસમી વરસાદની કોઈ આગાહી નથી.

ગત રાત્રે  લઘુત્તમ તાપમાન નોંધાયું નીચું

ગત રાત્રે  અમદાવાદનું લઘુત્તમ તાપમાન  14 ડિગ્રી અને ગાંધીનગર. 12.4 ડિગ્રી તાપમાન, તો નલિયાનું  સૌથી ઓછું 10 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું જ્યારે  સુરત. 18.8 ડિગ્રી. વડોદરા. 16.6 ડિગ્રી. રાજકોટમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેના કારણે મોડી રાત્રે  તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થતો હતો.

આજે રહેશે હૂંફાળું હવામાન

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી ઠંડીનો અનુભવ થશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 21 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે.  સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે.

Follow Us
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
g clip-path="url(#clip0_868_265)">