હંમેશાં હરિયાળો રહેતો જિલ્લો છતાં, નવસારી શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે પાણીની સમસ્યા

ગત સીજનમાં સારો એવો વરસાદ જીલ્લામાં પડ્યો છે આ વરસાદને પગલે ડેમો અને તળાવોમાં નવાનીર આવ્યા હતા. પરંતુ પાલિકાની અણઆવડતના કારણે ઉનાળાની શરુઆતમાં જ પાણી બાબતે નવસારીના લોકો ત્રાસ ભોગવી રહ્યા છે.

હંમેશાં હરિયાળો રહેતો જિલ્લો છતાં, નવસારી શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે પાણીની સમસ્યા
હંમેશાં હરિયાળા રહેતો જિલ્લો છતાં, નવસારી શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે પાણીની સમસ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 4:29 PM

પીવાનુ શુધ્ધ પાણી જનતાને મળી રહે એ વહીવટી કે શાસકપક્ષની પહેલી જવાબદારી છે. નવસારી શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે પાણીની સમસ્યાની શરૂઆત થઇ છે શહેરના વિજલપોર વિસ્તારમાં આવેલા વિસ્તારમાં પાલિકા દ્વારા પાણી આપવામાં આવતું નથી. બોરિંગનું પાણી આપવામાં આવે છે પરંતુ રેગ્યુલર ન આવવાના કારણે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

નવસારી વિજલપોર પાલિકાએ સિંચાઇ કેનાલ આધારિત બનાવેલી યોજના શહેરના 40% વિસ્તારને લાભ મળતો નથી. જેને કારણે મોટા ભાગના લોકો પાણી માટે હમેશા વલખા જ મારતા રહે છે. સરકારે સૌની યોજના જાહેર કરી લોકોને પાણી મળી રહે એવી વ્યવસ્થા કરી છે ત્યારે હરિયાળા અને તાપી નદીના કેનાલનો વિસ્તાર ગણાતા નવસારીના શહેરીજનોની સમસ્યામાં વધારો થયો છે. ગત સીઝનમાં સારો એવો વરસાદ જીલ્લામાં પડ્યો છે. આ વરસાદને પગલે ડેમો અને તળાવોમાં નવા નીર આવ્યા હતા. પરંતુ પાલિકાની અન આવડતના કારણે ઉનાળાની શરુઆતમાં જ પાણી બાબતે નવસારીના લોકો ત્રાસ ભોગવી રહ્યા છે.

બહુમતીવાળી સરકારના શાસનમાં કેટલાક વિસ્તારોમાં હેન્ડપંપ ઉપર લોકો જીવન જીવી રહ્યા છે ત્યારે વિકાસ ફક્ત કાગળના હાંસિયામાં દેખાય છે. ત્યારે બીજી તરફ પાલિકા દ્વારા ઉનાળાને ધ્યાને લઇ સર્વે કરી જે તે વિસ્તારોમાં જરૂરી પાણીની ડીમાન્ડ વોટર સપ્લાય શાખાને આપવામાં આવી છે. બીજી તરફ વિજલપોરમાં રામનગર જેવા વિસ્તારમાં WTP કાર્યરત થાય તે દિશામાં કામગીરી હાથ ધરી જીલ્લામાં લોકોને પાણીની તકલીફ નહી પડે તે માટેના તમામ પગલા યોગ્ય રીતે લીધા હોવાનું પાલિકાના ચીફ ઓફીસર દ્વારા જણાવવામાં આવ્યું છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

સુવિધા માટે વલખા મારતી નવસારીની જનતા ઉનાળા દરમ્યાન પાણી માટે પણ વલખા મારશે કે પછી ચૂંટાયેલ શાસકો અને અધિકારીઓ લોકોની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવામાં પણ ઉણા ઉતરશે તે હવે અગામી સમયમાં નજરે પડશે. સરકારની પાણી અંગેની વિવિધ યોજનાઓનો લાભ ખરેખર લાભ લોકો સુધી નહિ પહોચે તો અગામી વિધાનસભાની ચૂંટણીમાં પાણીના પોકારના પડઘમ સંભળાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ ઉત્તર ગુજરાતના કોંગ્રેસ નેતા અને પાટીદાર આગેવાનો ખોડલધામની મુલાકાતે, નરેશ પટેલ સાથે કરી બેઠક

આ પણ વાંચોઃ નડિયાદ-અમદાવાદ હાઈ વે પર અકસ્માતમાં 4ના મોતમાં મોટો ઘટસ્ફોટ, બાઈક સવાર યુવકોની બાઈકને ટક્કર માર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">