AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હંમેશાં હરિયાળો રહેતો જિલ્લો છતાં, નવસારી શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે પાણીની સમસ્યા

ગત સીજનમાં સારો એવો વરસાદ જીલ્લામાં પડ્યો છે આ વરસાદને પગલે ડેમો અને તળાવોમાં નવાનીર આવ્યા હતા. પરંતુ પાલિકાની અણઆવડતના કારણે ઉનાળાની શરુઆતમાં જ પાણી બાબતે નવસારીના લોકો ત્રાસ ભોગવી રહ્યા છે.

હંમેશાં હરિયાળો રહેતો જિલ્લો છતાં, નવસારી શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે પાણીની સમસ્યા
હંમેશાં હરિયાળા રહેતો જિલ્લો છતાં, નવસારી શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે પાણીની સમસ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 4:29 PM
Share

પીવાનુ શુધ્ધ પાણી જનતાને મળી રહે એ વહીવટી કે શાસકપક્ષની પહેલી જવાબદારી છે. નવસારી શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે પાણીની સમસ્યાની શરૂઆત થઇ છે શહેરના વિજલપોર વિસ્તારમાં આવેલા વિસ્તારમાં પાલિકા દ્વારા પાણી આપવામાં આવતું નથી. બોરિંગનું પાણી આપવામાં આવે છે પરંતુ રેગ્યુલર ન આવવાના કારણે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

નવસારી વિજલપોર પાલિકાએ સિંચાઇ કેનાલ આધારિત બનાવેલી યોજના શહેરના 40% વિસ્તારને લાભ મળતો નથી. જેને કારણે મોટા ભાગના લોકો પાણી માટે હમેશા વલખા જ મારતા રહે છે. સરકારે સૌની યોજના જાહેર કરી લોકોને પાણી મળી રહે એવી વ્યવસ્થા કરી છે ત્યારે હરિયાળા અને તાપી નદીના કેનાલનો વિસ્તાર ગણાતા નવસારીના શહેરીજનોની સમસ્યામાં વધારો થયો છે. ગત સીઝનમાં સારો એવો વરસાદ જીલ્લામાં પડ્યો છે. આ વરસાદને પગલે ડેમો અને તળાવોમાં નવા નીર આવ્યા હતા. પરંતુ પાલિકાની અન આવડતના કારણે ઉનાળાની શરુઆતમાં જ પાણી બાબતે નવસારીના લોકો ત્રાસ ભોગવી રહ્યા છે.

બહુમતીવાળી સરકારના શાસનમાં કેટલાક વિસ્તારોમાં હેન્ડપંપ ઉપર લોકો જીવન જીવી રહ્યા છે ત્યારે વિકાસ ફક્ત કાગળના હાંસિયામાં દેખાય છે. ત્યારે બીજી તરફ પાલિકા દ્વારા ઉનાળાને ધ્યાને લઇ સર્વે કરી જે તે વિસ્તારોમાં જરૂરી પાણીની ડીમાન્ડ વોટર સપ્લાય શાખાને આપવામાં આવી છે. બીજી તરફ વિજલપોરમાં રામનગર જેવા વિસ્તારમાં WTP કાર્યરત થાય તે દિશામાં કામગીરી હાથ ધરી જીલ્લામાં લોકોને પાણીની તકલીફ નહી પડે તે માટેના તમામ પગલા યોગ્ય રીતે લીધા હોવાનું પાલિકાના ચીફ ઓફીસર દ્વારા જણાવવામાં આવ્યું છે.

સુવિધા માટે વલખા મારતી નવસારીની જનતા ઉનાળા દરમ્યાન પાણી માટે પણ વલખા મારશે કે પછી ચૂંટાયેલ શાસકો અને અધિકારીઓ લોકોની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવામાં પણ ઉણા ઉતરશે તે હવે અગામી સમયમાં નજરે પડશે. સરકારની પાણી અંગેની વિવિધ યોજનાઓનો લાભ ખરેખર લાભ લોકો સુધી નહિ પહોચે તો અગામી વિધાનસભાની ચૂંટણીમાં પાણીના પોકારના પડઘમ સંભળાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ ઉત્તર ગુજરાતના કોંગ્રેસ નેતા અને પાટીદાર આગેવાનો ખોડલધામની મુલાકાતે, નરેશ પટેલ સાથે કરી બેઠક

આ પણ વાંચોઃ નડિયાદ-અમદાવાદ હાઈ વે પર અકસ્માતમાં 4ના મોતમાં મોટો ઘટસ્ફોટ, બાઈક સવાર યુવકોની બાઈકને ટક્કર માર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">