The Kashmir Files : અમદાવાદના મોટા ભાગના થિયેટરોમાં ભીડ,થિયેટર સંચાલકોએ હાઉસફુલના બોર્ડ લગાવ્યા

વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માં અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી અભિનીત ફિલ્મ  દર્શકો થિયેટરોમાં જોવા જઇ રહ્યા છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની વ્યથા પર આધારીત છે.

The Kashmir Files : અમદાવાદના મોટા ભાગના થિયેટરોમાં ભીડ,થિયેટર સંચાલકોએ હાઉસફુલના બોર્ડ લગાવ્યા
Ahmedabad Cinema Housefull (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 5:00 PM

તાજેતરમાં રિલિઝ થયેલી વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને((The Kashmir Files)  ગુજરાતના થિયેટરોમાં સારો આવકાર મળી રહ્યો છે. તેમાં ફિલ્મ રીલીઝ થયાના પ્રથમ રવિવારે અમદાવાદમાં(Ahmedabad)  આ ફિલ્મના શો ધરાવતા મોટાભાગના થિયેટરો હાઉસફૂલ(Housefull)  જોવા મળી રહ્યા છે. તેમજ જેના પગલે થિયેટર સંચાલકોએ હાઉસફુલના બોર્ડ લગાવવાની ફરજ પડી છે. તેમજ જ્યારે રાજ્ય સરકારે ફિલ્મને કરમુક્ત કર્યા બાદ આગામી દિવસોમાં પણ સતત શો હાઉસફુલ રહેશે તેવો થિયેટર સંચાલકોનો મત છે. જો કે આજે વાઈડ એન્ગલ થિયેટરમાં દર્શકોના ધસારાને લઈને શો વધારવામાં આવ્યા છે. તેમજ ફિલ્મ જોવા આતુર 500 લોકોની ક્ષમતા વાળા વધુ શો તાત્કાલિક શરુ કરવામાં આવ્યા હતા.

કાશ્મીરી પંડિતોની વ્યથા પર આધારીત ફિલ્મ

વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માં અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી અભિનીત ફિલ્મ  દર્શકો થિયેટરોમાં જોવા જઇ રહ્યા છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની વ્યથા પર આધારીત છે.ધ કાશ્મીર ફાઇલ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોને 1990ની સાલમાં ઘરમાંથી કઈ રીતે  બહાર ફેંકી દેવામાં આવ્યા હતા તે દુઃખદ ઘટનાને વિસ્તારમાં દર્શાવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રાજ્યમાં ફિલ્મને  કરમુકત કરવાનો  નિર્ણય

ગુજરાત સરકારે ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ટેક્સ ફ્રી કરી હોવાની જાહેરાત કરી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન  ભૂપેન્દ્ર પટેલે   ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મમાં આર્ટિકલ ૩૭૦ (Article 20)થી લઇને કાશ્મીરના ઇતિહાસને સમાવામાં આવ્યો છે. તેમજ કાશ્મીરી પંડિતોને 1990ના વર્ષમાં કઇ રીતે ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા, તે વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરિયાણાની સાથે સાથે મધ્ય પ્રદેશે પણ ધ કશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રીની જાહેરાત કરી છે.

શું છે ફિલ્મની વાર્તા?

ફિલ્મ (The Kashmir Files) ની વાર્તા કાશ્મીરના શિક્ષક પુષ્કરનાથ પંડિત (અનુપમ ખેર)ના જીવનની આસપાસ ફરે છે. કૃષ્ણ (દર્શન કુમાર) તેમના દાદા પુષ્કરનાથ પંડિતની છેલ્લી ઈચ્છા પૂરી કરવા દિલ્હીથી કાશ્મીર આવે છે. કૃષ્ણ તેમના દાદાના શ્રેષ્ઠ મિત્ર બ્રહ્મા દત્ત (મિથુન ચક્રવર્તી) પાસે રોકાય છે. તે દરમિયાન પુષ્કરના અન્ય મિત્રો પણ કૃષ્ણાને મળવા આવે છે. આ પછી ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે.

1990 પહેલા કાશ્મીર કેવું હતું તે ફ્લેશબેકમાં બતાવવામાં આવ્યું છે. આ પછી 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોને મળનારી ધમકી અને જબરદસ્તી કાશ્મીર અને તેમના ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા તેની દર્દનાક કહાની દર્શાવવામાં આવી છે. કૃષ્ણને ખબર નથી કે તે સમય દરમિયાન તેનો પરિવાર કેવા મુશ્કેલ સમયમાંથી પસાર થયો છે. આ પછી, 90ના દાયકાની ઘટનાઓના સ્તરો તેમની સામે ઉજાગર કરવામાં આવે છે અને બતાવવામાં આવે છે કે તે દરમિયાન કાશ્મીરી પંડિતો કેવી પીડામાંથી પસાર થયા હતા. આખી વાર્તા આની આસપાસ ફરે છે.

આ પણ  વાંચો : ડાંગના પરંપરાગત ભાતીગળ લોકમેળા ‘ડાંગ દરબાર’ની શરૂઆત, 16મી સુધી ચાલશે

આ પણ  વાંચો : કચ્છ: છે કોઇનો ડર ? કચ્છમાં બેફામ દોડતા ઓવરલોડ વાહનો ! હવે બોર્ડર નજીકથી 41 વાહનો ઝડપાયા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">