Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાને જવાબદારી, ઉપનેતા તરીકે શૈલેષ પરમારને પસંદગી

Ahmedabd: ગુજરાત વિધાનસભામાં માત્ર 17 સભ્યો ધરાવનાર કોંગ્રેસે આખરે તેના વિધાનસભા પક્ષના નેતા તરીકે અમિત ચાવડાની અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરી છે. કોંગ્રેસે તો નેતાની પસંદગી કરી લીધી છે પરંતુ બંધારણીય રીતે સરકાર વિધાનસભામાં નેતા વિપક્ષનો દરજ્જો કોંગ્રેસને આપશે કે નહીં એને લઈ હજીપણ અનિશ્ચિતતા બનેલી છે.

ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાને જવાબદારી, ઉપનેતા તરીકે શૈલેષ પરમારને પસંદગી
નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાને જવાબદારી
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Jan 17, 2023 | 10:27 PM

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ અધિકૃત રીતે કરેલ પત્રથી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા કોણ હશે એની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહેલ અમિત ચાવડાને વિધાનસભાના કોંગ્રેસ દળના નેતા તરીકે જવાબદારી સોંપાઈ છે તો ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરાઈ છે. અમિત ચાવડાની વિધાનસભા નેતા તરીકે પસંદગી થતા જ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે તેમના સમર્થકોએ ઉજવણી કરી હતી.

અમિત ચાવડાએ જણાવ્યું કે વિધાનસભા ચૂંટણીમાં મળેલ જનાદેશનો સ્વીકાર કરી કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોને રચનાત્મક રીતે વાચા આપવાનું કામ કરશે. સરકાર સારા કાયદા લાવશે તો તેનું સમર્થન કરીશું, પરંતુ જો ભ્રષ્ટાચાર અને લોકોના અધિકારોનું હનન થશે તો કોંગ્રેસ સડકથી લઈ વિધાનસભા સુધી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસને મળી માત્ર 17 બેઠકો

નિયમ મુજબ નેતાવિપક્ષનું પદ મેળવવા પર્યાપ્ત બેઠકો કોંગ્રેસ મેળવી શક્યું નથી અને માત્ર 17 બેઠકો જ કોંગ્રેસને મળી છે, ત્યારે સરકાર કોંગ્રેસને અધિકૃત નેતા વિપક્ષનું પદ આપશે કે નહીં એને લઈ વિસંગતતાઓ છે. જો સરકાર નેતા વિપક્ષનું પદ નહીં આપે તો રાજભવનમાં સરકારી બંગલો અને સરકારી ગાડી નહીં મળે.

રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલું ભણેલી છે?
સુનિતા વિલિયમ્સની નેટવર્થ કેટલી છે, જાણો
ગરમીની ઋતુમાં કાચી ડુંગળી કેમ ખાવી જોઈએ? જાણો કારણ
Snake Seeing Sign: ઘરમાં સાપ નીકળે તો શુભ કે અશુભ? જાણો શું સંકેત આપે છે

આ બાબતે અમિત ચાવડાએ જણાવ્યું કે વિરોધપક્ષના નેતાનું સંવૈધનિક પદ સરકારી સુવિધાઓ મેળવવા માટે નથી, પદના માધ્યમથી અમે લોકોના પ્રશ્નોની લડત લાડીશું. ફાળવેલ બજેટ યોગ્ય રીતે વપરાય અને સરકાર તાયફાઓના બદલે સુખાકારી માટે કામ કરે એ માટે એમને સચેત કરીશું.

આ પણ વાંચો: કોંગ્રેસની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના સભ્યો આવ્યા અમદાવાદ, ગુજરાત ચૂંટણીમાં હારનું ઠીકરું પક્ષની નીતિ અને EVM પર ઢોળાયુ

કોણ છે અમિત ચાવડા?

અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે અને છેલ્લી 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. આ સિવાય ચાવડા પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પરિવાર સાથે પરિવારિક સંબંધો રહ્યા છે અને તેમના દાદા સાંસદ રહી ચૂક્યા છે. માત્ર 17 સભ્યદળ વાળી ટીમના સુકાની તરીકે જવાબદારી મળી છે, ત્યારે અનેક પડકારો રહેશે.

ગુજરાત વિધાનસભામાં માત્ર 17 સભ્યો ધરાવનાર કોંગ્રેસે આખરે તેના વિધાનસભા પક્ષના નેતા તરીકે અમિત ચાવડાની અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરી છે. કોંગ્રેસે તો નેતાની પસંદગી કરી લીધી છે, પરંતુ બંધારણીય રીતે સરકાર વિધાનસભામાં નેતા વિપક્ષનો દરજ્જો કોંગ્રેસને આપશે કે નહીં એને લઈ હજીપણ અનિશ્ચિતતા બનેલી છે.

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
g clip-path="url(#clip0_868_265)">