AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના જાણીતા ઉદ્યોગકાર મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસ, ઓઝોન બિલ્ડરના માલિક દિપક પટેેલે મીડિયા સામે મોંઢુ છુપાવ્યું

ઓઝોન બિલ્ડર પર લાગેલા આક્ષેપ પગલે ટીવીનાઇન ટીમ અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસે આવેલ પાર્શ્વ કોમ્પ્લેક્ષમાં ઓઝોન બિલ્ડરના માલિક દિપક પટેલને મળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મીડિયાને જોઈ કશું બોલવાનો ઇનકાર કર્યો હતો.

રાજકોટના જાણીતા ઉદ્યોગકાર મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસ, ઓઝોન બિલ્ડરના માલિક દિપક પટેેલે મીડિયા સામે મોંઢુ છુપાવ્યું
Rajkot industrialist Mahendra Faldu suicide case
Mihir Soni
| Edited By: | Updated on: Mar 02, 2022 | 5:45 PM
Share

રાજકોટના (Rajkot) જાણીતા ઉધોગકાર મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસમાં (Mahendra Faldu suicide case)સુસાઈટ નોટમાં આક્ષેપ થયેલ ઓઝોન બિલ્ડરના (Ozone Builder)માલિક દિપક પટેલ (Deepak Patel)મીડિયાને જોઈ દોટ મૂકી. ટીવીનાઇન ટીમે દિપક પટેલનો સંપર્ક કરી તેમના પર લાગેલા આરોપ વિશે પૂછતાં બિલ્ડર દિપક પટેલ કશું બોલવાનો ઇનકાર કર્યો અને કેમેરો જોઈ રીતસરના ભાગ્યા, જે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આત્મહત્યા કરતા પહેલા મહેન્દ્ર ફળદુએ મિડીયાને એક પ્રેસનોટ મોકલી હતી. જેમાં અમદાવાદ જિલ્લાની બાવળા તાલુકાની “ધ તસ્કની બીચ સીટી” નામના પ્રોજેક્ટમાં મહેન્દ્ર ફળદુ અને તેના પરિવારજનોએ 1 લાખ વાર જગ્યા ખરીદીને કરોડોનું રોકાણ કર્યું હતું, જેમાં મહેન્દ્ર ફળદુના કહેવાથી 2007 માં ત્રણ કરોડથી વધારે રૂપિયાનું ઓઝોન ગ્રુપમાં રોકાણ કરાયુ હતું. જોકે ઓઝોન ગ્રુપના બિલ્ડર એમ.એમ.પટેલ,અમિત ચૌહાણ,અતુલ મહેતા,અમદાવાદના ઓઝોન ગ્રુપના જયેશ પટેલ,દિપક પટેલ ,પ્રણય પટેલ અને પ્રકાશ પટેલ જમીનના દસ્તાવેજ કરી આપતા ન હતા જેનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ મૃતક મહેન્દ્ર પટેલ સામે ખોટી ફરિયાદો કરીને ધાકધમકી આપીને હેરાન પરેશાન કરતા હોવાનો પ્રેસનોટમાં ઉલ્લેખ છે. આશરે 33 કરોડ રૂપિયાની જમીનના દસ્તાવેજ ન કરી આપવામાં આવતા હોવાનો ઉલ્લેખ મહેન્દ્ર ફળદુને તેને કરાવેલા રોકાણકારો રૂપિયા પરત આપવા દબાણ કરાતું હતું. જેના લીધે મહેન્દ્ર પટેલ આર્થિક સંકળામણમાં આવી ગયા હોવાથી આ પગલું ભર્યું છે.

ઓઝોન બિલ્ડર પર લાગેલા આક્ષેપ પગલે ટીવીનાઇન ટીમ અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસે આવેલ પાર્શ્વ કોમ્પ્લેક્ષમાં ઓઝોન બિલ્ડરના માલિક દિપક પટેલને મળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મીડિયાને જોઈ કશું બોલવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં મીડિયાકર્મી જોઈ જતા ઓઝોન ગ્રુપના માલિક દિપક પટેલ ડરી ગયા હતા. જેથી પોતાની ઓફિસના ત્રીજા માળેથી રીતસરના ભાગ્યા. જો બિલ્ડર દિપક પટેલને કોઈ પ્રશ્ન ન કરે તે માટે ઓફીસ સ્ટાફએ દિપક પટેલને કોર્ડન કરી દીધા અને દિપક પટેલ ઓફિસમાંથી બહાર નીકળી દોટ લગાવી. બિલ્ડર દિપક પટેલે કોઈ કાળું કામ કર્યું હોય એમ મોઢું છુપાવી ભાગ્યા હતા. જે સમગ્ર ઘટના ટીવીનાઇન કેમેરામાં કેદ થઈ હતી.

ઓઝોન ગ્રુપ દ્વારા મહેન્દ્ર ફળદુને ધમકી અપાતી

તેઓના રાજ્યના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્ય ભાગીદાર છે. આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે,તેવું કહીને ધમકી આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે મહેન્દ્ર ફળદુ ક્લબ યુવી ગ્રુપના ચેરમેન તથા જાણીતા એડવોકેટ અને કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્થા સાથે જોડાયેલા છે. ત્યારે પોલીસે હાલ વધુ તપાસ શરૂ કરી છે પરંતુ સ્યુસાઇડ નોટમાં આરોપ લાગેલ ઓઝોન ગ્રુપના બિલ્ડર ઓફીસ બંધ કરી ભાગી ગયા હોવાથી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

આ પણ વાંચો : વિધાનસભાના દસમા સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રીએ શોક પ્રસ્તાવ રજૂ કર્યો, દિવંગતોને ગૃહે મૌન પાળી શોકાંજલી આપી

આ પણ વાંચો : Surendranagar: લીંબડી રાજ મહેલમાં તસ્કરો બારી તોડી અલગ અલગ 10 સ્ટ્રોગરૂમમાંથી એન્ટિક વસ્તુઓ સહિતની ચોરી કરી ફરાર

Follow Us
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
g clip-path="url(#clip0_868_265)">