AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar: લીંબડી રાજ મહેલમાં તસ્કરો બારી તોડી અલગ અલગ 10 સ્ટ્રોગરૂમમાંથી એન્ટિક વસ્તુઓ સહિતની ચોરી કરી ફરાર

ચોરી થયેલા માલસામાનની કિમત અંદાજે 40 લાખથી 60 લાખ છે. પોલીસે શંકા સેવી હતી કે આ મોટી ચોરીમાં રાજ મહેલમાં દરેક જગ્યાએ સીસીટીવી હોવા છતાં એકપણ સીસીટીવીમાં તસ્કરો નહીં દેખાતા કોઇ જાણભેદુ પણ હોઇ શકે.

Surendranagar: લીંબડી રાજ મહેલમાં તસ્કરો બારી તોડી અલગ અલગ 10 સ્ટ્રોગરૂમમાંથી એન્ટિક વસ્તુઓ સહિતની ચોરી કરી ફરાર
Limbdi Raj Mahal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 5:16 PM

સુરેન્દ્રનગર (Surendranagar)  જીલ્લાના લીંબડી (Limbdi ) માં આવેલા રાજ મહેલ (Raj Mahal) માં તસ્કરો બારી તોડી અલગ અલગ 10 સ્ટ્રોગરૂમ (storageroom) માંથી એન્ટિક વસ્તુઓ સહિતની ચોરી કરી ફરાર થઇ ગયા છે. અંદાજે 56 કિલો ચાંદીના વાસણો તેમજ એન્ટિક (antique)  45 વસ્તુઓની ચોરી થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ઝાલાવાડ પંથકમાં અનેક નાના મોટા રજવાડાઓ આવેલા છે અને આ રાજવીઓ પાસે હાલ પણ રાજ મહેલમાં અમુલ્ય ચીજ વસ્તુઓનો ખજાનો ભરેલો છે. અનેક એન્ટીક વસ્તુઓ જે કિમતમાં ન આકી શકાય તેવી કિંમતી વસ્તુઓ પડી છે. ઝાલાવાડ પંથકમાં જો વાત કરવામાં આવે તો વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી, ચુડા, સહિત અનેક જગ્યાએ હજુ રાજાશાહી વખતના મહેલો ઉભા છે. રાજવી કુટુંબોના વારસદારો તેમાં વસવાટ કરે છે અને તેઓની પાસે અઢળક સંપતીઓ ધરબાયેલી છે. અગાઉ ધ્રાંગધ્રા, વઢવાણ, લખતર રાજ મહેલમાં પણ તસ્કરોએ હાથફેરો કરી કિંમતી માલ સામનની ચોરી કરી હતી. રાજ મહેલોમાં કોઇ ચોરી કરતી ગેંગ પણ સક્રીય હોઇ શકે અને આ રજવાડાના કિંમતી માલ સામાનની ચોરી કરી વિદેશમાં એન્ટિક વસ્તુઓ વેચાણ કરતા હોય તેવી શક્યતા છે.

લીંબડીની વચ્ચે આવેલ રાજ મહેલમાં પાછળની બારી તોડી અને તસ્કરોએ આવી કિંમતી અને જૂનવાણી વસ્તુઓની ચોરી કરી ફરાર થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડોગ સ્કવોડ, ફીગરપ્રિન્ટ નિષ્ણાંતની મદદ લઈ અને ચોરીનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે. લીંબડી પોલીસમાં લીંબડી રાજવીના સંચાલન કરતા નટુભા ઝાલાએ ફરીયાદ કરતા ફરીયાદમાં કોઇ અજાણ્યા તસ્કરોએ ગ્રાઉન્ડ ફલોરની બારી તિક્ષ્ણ હથિયારથી તોડી અને સતત અગીયાર દિવસ સુધી બંધ રાખવામાં આવેલ દશ રૂમના તાળા તોડી અને પતરાની પેટીમાં રાખવામાં આવેલ 56 કિલો સુધ્ધ ચાંદી, રાજશાહી વખતના એન્ટિક બે નંગ રેડીયો, હાર્મોનિયમ, બેન્જો, ફુલદાની, ચુસ્કી, જારી, ટ્રે, ફોટોફ્રેમ, પલંગ પાયા, સહિતની ચોરી કરી ફરાર થયા હોવાની ફરિયાદ આપી હતી.

Hidden Gold : તમારા ઘરની કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં હોય છે સોનું ? જાણો
AC Tips : સારી ઊંઘ માટે રાત્રે AC કેટલા પર રાખવું જોઈએ?
ચાખ્યા વગર કેવી રીતે ખબર પડે કે કાકડી કડવી છે કે નહીં ?
160 દિવસના પ્લાનમાં ફ્રી કોલિંગ અને દરરોજ 2GB ડેટા ! BSNL યુઝર્સની મોજ
જયદીપ અહલાવતના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ
10 ગ્રામ સોના પર કેટલા રૂપિયાની લોન મળી શકે છે?

ચોરી થયેલા માલસામાનની કિમત અંદાજે 40 લાખથી 60 લાખ છે. પોલીસે શંકા સેવી હતી કે આ મોટી ચોરીમાં રાજ મહેલમાં દરેક જગ્યાએ સીસીટીવી હોવા છતાં એકપણ સીસીટીવીમાં તસ્કરો નહીં દેખાતા કોઇ જાણભેદુ પણ હોઇ શકે. હાલ પોલીસે રાજ મહેલમાં કામ કરતા કર્મચારીઓની પણ પૂછપરછ હાથ ધરી છે. રાજ મહેલોમાં ચોરી કરતી ગેંગની પણ કુંડળી તપાસવાની શરૂ કરી છે, પરંતુ હવે આ લાખોની જૂનવાણી વસ્તુઓની ચોરી કરનાર ક્યારે ઝડપાય છે અને પોલીસને કયારે સફળતા મળે છે તે જોવાનું રહ્યુ.

આ પણ વાંચોઃ વિધાનસભા સત્રની શરૂઆત, રાજ્યપાલના ભાષણ દરમ્યાન જ કોંગ્રેસના ઉગ્ર દેખાવો, ગૃહમંત્રી રાજીનામુ આપે તેવા સૂત્રોચ્ચાર

આ પણ વાંચોઃ ચાલુ યુદ્ધમાં કચ્છની મહિલા પાયલોટે યુક્રેનમાં પ્લેન લેન્ડ કર્યુ, એક કલાકમાં 242 વિદ્યાર્થીને લઇ ભારત પરત ફરી, જાણો તેના સાહસની વાત

ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની કડક કાર્યવાહી
ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની કડક કાર્યવાહી
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
g clip-path="url(#clip0_868_265)">