ચિરાગ પટેલના રાજીનામા પાછળ રાજસ્થાન કનેક્શન ! અમિત ચાવડાએ કહ્યું- પ્રજાહિતને બાજુએ મૂકી આર્થિક હિતને મહત્વ આપ્યું

આરએસએસ સાથે સંકળાયેલ ચિરાગ પટેલે ધારાસભ્ય પદે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાં સાથે જ તેમણે કોંગ્રેસની વિચારધારા, સંગઠન અને કેન્દ્રીય નેતૃત્વ પર આક્ષેપો કર્યા છે. જો કે, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ચિરાગ પટેલ પ્રજાહિતને બાજુએ મૂકી આર્થિક હિત માટે ભાજપમાં જોડાયા છે.

ચિરાગ પટેલના રાજીનામા પાછળ રાજસ્થાન કનેક્શન ! અમિત ચાવડાએ કહ્યું- પ્રજાહિતને બાજુએ મૂકી આર્થિક હિતને મહત્વ આપ્યું
Congress MLA
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Dec 19, 2023 | 4:42 PM

કોંગ્રેસના ખંભાત વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલે ચૂંટાયાના એક વર્ષ બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપે ત્યારે આક્ષેપ કરવામાં આવતા હોય છે કે ભાજપ સામ-દામ, દંડ-ભેદની રાજનીતિથી સભ્યોને ડરાવી તોડી રહ્યા છે. ફરી એકવાર ચિરાગ પટેલના રાજીનામા બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યા છે કે, ચિરાગ પટેલ રાજસ્થાનમાં કારોબાર કરે છે. જ્યાં કોંગ્રેસ સરકાર ગયા બાદ તેમને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું.

આરએસએસ સાથે સંકળાયેલ ચિરાગ પટેલે ધારાસભ્ય પદે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાં સાથે જ તેમણે કોંગ્રેસની વિચારધારા, સંગઠન અને કેન્દ્રીય નેતૃત્વ પર આક્ષેપો કર્યા છે. જો કે, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ચિરાગ પટેલ પ્રજાહિતને બાજુએ મૂકી આર્થિક હિત માટે ભાજપમાં જોડાયા છે. કારણ કે તેમની કંપની ગુજરાત અને રાજસ્થાનમાં સરકારી કોન્ટ્રાકટ ધરાવે છે.

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ગયા બાદ ભાજપ સરકારમાં કરોડો રૂપિયા ફસાય એવું લાગી રહ્યું હતું. જેના કારણે આર્થિક હિતને ધ્યાને લઇ તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો. તેઓ કમલમની સ્ક્રીપ્ટ મુજબ કોંગ્રેસની વિચારધારા અને સંગઠન પર આક્ષેપો કરી રહ્યા છે, પરંતુ તેમણે આર્થિક હિતના કારણે પ્રજાએ પાંચ વર્ષ માટે આપેલ જનાદેશનો દ્રોહ કર્યો છે.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

ચિરાગ પટેલના રાજસ્થાનમાં કરોડોના કોન્ટ્રાક્ટ

રાજીનામું આપનાર ધારાસભ્ય ચિરાગ પટેલ અને તેમના સહયોગીઓની પેઢી રાજસ્થાન અને ગુજરાતમાં મનપા, નગરપાલિકાઓમાં કરોડોના ડ્રેનેજ લાઇન અને સિંચાઈ માટેની લાઇનના કોન્ટ્રાકટ ધરાવે છે. થોડા સમય પૂર્વે રાજસ્થાનમાં કરોડોના બિલ પાસ નહોતા થઈ રહ્યા. હવે ભાજપની સરકાર આવ્યા બાદ ત્યાંના કરોડોના વ્યાપારને અસર થવાની ભીતિ સેવાઈ રહી હતી. સહયોગીઓના દબાણ અને આર્થિક હિતોને ધ્યાને રાખી તેમણે ભાજપમાં જવાનું પસંદ કર્યું હોવાની ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો કોંગ્રેસ ભગવાન રામના નામ મુદ્દે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી – ચિરાગ પટેલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">