AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News: 2 અને 3 જૂનની સાબરમતી -જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

સાબરમતી -જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેમાં 2 અને 3 જૂન 2023 ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.1 અને 2 જૂન, 2023ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

Railway News: 2 અને 3 જૂનની સાબરમતી -જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે
Sabarmati Jodhpur Express Train
Darshal Raval
| Edited By: | Updated on: Jun 01, 2023 | 8:16 AM
Share

Ahmedabad : અમદાવાદથી(Ahmedabad)  ઉપડતી ટ્રેન નંબર 14822/14821 સાબરમતી -જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ (Sabarmati-Jodhpur-Sabarmati Express Train) રહેશે. જેમાં ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળના મદાર-પાલનપુર સેક્શનના સ્વરૂપ ગંજ-ભીમાના સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 771 કિમી 578/01-02 પર આરસીસી બોક્સ લોંચિંગ કરવાના કામને કારણે ટ્રેન નંબર 14822/14821 સાબરમતી -જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

જેમાં 2 અને 3 જૂન 2023 ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.1 અને 2 જૂન, 2023ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

2 થી 6 જૂન સુધી કલોલ યાર્ડ રેલવે ક્રોસિંગ નં.232 ‘B’ બંધ રહેશે

અમદાવાદ મંડળ પર કલોલ યાર્ડ ખાતે આવેલ રેલવે ક્રોસિંગ નં.232 ‘B’કિમી 759/25-27 અપ લાઇન અને 759/26-28 ડાઉન લાઇન પર ઓવર હૉલિંગ (સમારકામ અને જાળવણી) કામ માટે 2 જૂન 2023 ના રોજ સવારે 8 વાગ્યા થી 6 જૂન સાંજે 20:00 વાગ્યા સુધી બંધ રહેશે.

માર્ગ વપરાશકર્તાઓ આ સમયગાળા દરમિયાન રોડ અંડર બ્રિજ નંબર 1037 B Km.758/38-40 અને રોડ ઓવરબ્રિજ નંબર 1037 A Km.758/16-18 નો ઉપયોગ કરી શકે છે.

અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે

આ ઉપરાંત અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે. ઉત્તર પૂર્વ રેલવે ના ઔંડિયાર-ભટની સેક્શન પર પેચ ડબલિંગ કાર્ય અને ઔંડિયાર સ્ટેશન યાર્ડ રિમોડલિંગ હેતુ નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે.

ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન તારીખ 2,3,6,7,9,10,14,15, 16,17 અને 18 જૂન 2023 ના રોજ તેના નિર્ધારિત માર્ગ વારાણસી-ઔંડિયાર-મઉ જંકશનને બદલે પરિવર્તિત માર્ગ વાયા વારાણસી-શાહગંજ-મઉ થઈને ચાલશે.

નબીપુર – વરેડિયા વિભાગ વચ્ચે અવરોધિત થવાને કારણે થોડી WR ટ્રેનો પ્રભાવિત થશે

જ્યારે નબીપુર – વરેડિયા વિભાગ વચ્ચે અવરોધિત થવાને કારણે થોડી WR ટ્રેનો પ્રભાવિત થશે. જેમાં બ્રિજ નંબર 520 ના મજબૂતીકરણ ની કામગીરી હાથ ધરવા માટે બુધવાર 31 મે ના રોજ નબીપુર – વરેડિયા સેક્શન વચ્ચે ડાઉન લાઇન પર એક બ્લોક હાથ ધરવામાં આવશે. આ કાર્યના અમલીકરણને કારણે પશ્ચિમ રેલવેની થોડી ટ્રેનો અસર પામે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">