Railway News: જેતલસર, ગાંધીધામ, ભાવનગર વિભાગમાં પ્રથમ વખત ઈલેકટ્રિક એન્જિનનું થયું ટ્રાયલ રન
રેલવે ઈલેક્ટ્રિફિકેશન પૂર્ણ કરવાનો ફાયદો ઘણો પ્રભાવશાળી છે. કારણ કે તે ઇંધણની આયાત સાથે સંકળાયેલ નાણાકીય બોજ અને તેની નિર્ભરતામાં ઘટાડો કરશે જે કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં મદદ કરશે. આનો અર્થ એ છે કે જ્યારે રેલ્વે નેટવર્ક સંપૂર્ણપણે ઇલેક્ટ્રિફાઇડ થઈ જશે, ત્યારે ડીઝલ લોકોમોટિવથી ચાલતી ટ્રેનો કામ કરવાનું બંધ કરશે,
ભચાઉ-ગાંધીધામ-આદિપુર, ચુલી-હળવડ અને જેતલસર-લુશાળા અને ભાવનગર-ભાવનગર જેટી વિભાગમાં પશ્ચિમ રેલવે દ્વારા પ્રથમ વખત ઈલેક્ટ્રીક એન્જિનના ટ્રાયલ રન સાથે PCEE નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર રેલ્વે ઈલેક્ટ્રિફિકેશન (CORE) હેઠળના રેલ્વે ઈલેક્ટ્રિફિકેશન, અમદાવાદ યુનિટે અમદાવાદ ડિવિઝનના ભચાઉ-ગાંધીધામ-આદિપુર, ચૂલી-હળવદ અને જેતલસર-લુશાળા અને ભાવનગર-ભાવનગર જેટી સેક્શનને કમિશન કરીને પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં વધુ એક સિદ્ધિ મેળવી છે.
29 માર્ચથી 31 માર્ચ સુધી સતત નિરીક્ષણો સાથે RKMની દ્રષ્ટિએ એકંદર લંબાઈ 178 અને 289 TKM છે. પશ્ચિમ રેલ્વેના પ્રિન્સિપાલ ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (PCEE) જી.એસ. ભાવરિયા દ્વારા સફળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ફરજિયાત તપાસમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ અને ભાવનગર વિભાગના શાખા અધિકારી સાથે હતા.
PCEE/WR ને એન્જિન સોંપતા પહેલા ટ્રાયલ વિભાગ દ્વારા પરીક્ષણ સફળતા પૂર્વક પૂ્ણ કરવામાં આવ્યું છે. જી એસ ભાવરિયા, PCEE/WR એ વિભાગનું નિરીક્ષણ કર્યું અને OHE સિસ્ટમની વિશ્વસનીયતા અને સલામતીમાં તકનીકી પાસાઓ અને સુધારાઓ માટે સૂચનો પણ કર્યા હતા. અમદાવાદના રેલવે ઈલેક્ટ્રિફિકેશન એકમ દ્વારા કમિશ્ડ સેક્શનની સિદ્ધિ, આ વિભાગ સહિત એકંદરે 2022-23ના આ નાણાકીય વર્ષમાં પશ્ચિમ રેલવેના 670 રૂટ કિલોમીટર અને 1009 ટ્રેક કિલોમીટરનો સમાવેશ થાય છે.
આ ટ્રેક રૂટમાં ઈલેક્ટ્રિક ટ્રેક્શન શરૂ થયા બાદ નજીકના ભવિષ્યમાં ઝડપી અને સારી ટ્રેન સેવાઓ શક્ય છે. આ GREEN INDIA ના મહત્વાકાંક્ષી ધ્યેયને પણ સમર્થન આપશે, જે ભારતીય રેલ્વેની સૌથી તાજેતરની ગ્રીન પહેલ છે. એકવાર 100 ટકા ઇલેક્ટ્રિફિકેશન હાંસલ કરી લીધા પછી, ભારતીય રેલ્વે ભારતીય ઉર્જા ક્ષેત્રે એક ગેમ ચેન્જર બનવા જઈ રહી છે.
રેલવે ઈલેક્ટ્રિફિકેશન પૂર્ણ કરવાનો ફાયદો ઘણો પ્રભાવશાળી છે. કારણ કે તે ઇંધણની આયાત સાથે સંકળાયેલ નાણાકીય બોજ અને તેની નિર્ભરતામાં ઘટાડો કરશે જે કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં મદદ કરશે. આનો અર્થ એ છે કે જ્યારે રેલ્વે નેટવર્ક સંપૂર્ણપણે ઇલેક્ટ્રિફાઇડ થઈ જશે, ત્યારે ડીઝલ લોકોમોટિવથી ચાલતી ટ્રેનો કામ કરવાનું બંધ કરશે, આમ પ્રદૂષણને નાબૂદ કરવામાં અને આયાતી ઇંધણ પરની ભારતની નિર્ભરતાને ઘટાડવામાં ફાળો આપશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…