AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News:  મણીનગરમાં દક્ષિણી રોડ અંડર બ્રિજ વાહનોની અવર જવર માટે 3 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે- વાંચો રેલવેને લગતી મહત્વપૂર્ણ જાણકારી

Ahmedabad: મણિનગર વાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણી રોડ અંડરબ્રિજ વાહનોની અવરજવર માટે 3 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. અંડરબ્રિજમાં હાઈટગેજ બાંધકામના કામ માટે તાત્કાલિક અસરથી ત્રણ સપ્ટેમ્બર સુધી વાહનોનીઅવરજવર માટે બંધ રહેશે.

Railway News:  મણીનગરમાં દક્ષિણી રોડ અંડર બ્રિજ વાહનોની અવર જવર માટે 3 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે- વાંચો રેલવેને લગતી મહત્વપૂર્ણ જાણકારી
Darshal Raval
| Edited By: | Updated on: Aug 26, 2023 | 9:27 PM
Share

Ahmedabad: અમદાવાદમાં મણિનગરથી અવરજવર કરનારા લોકો માટે મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. દક્ષિણ રોડ અંડર બ્રિજ વાહનોની અવરજવર માટે 3 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર દક્ષિણી રોડ અંડર બ્રિજ હાઈટગેજ બાંધકામના કામ માટે તાત્કાલિક અસરથી 3 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. આ સમયગાળા માટે રોડ યુઝર્સ રેલવે ક્રોસિંગ નંબર 308 પરથી મુસાફરી કરી શકશે.

રેલવેને લગતી મહત્વપૂર્ણ જાણકારી-

  • પશ્ચિમ રેલવે ત્રણ જોડી ટ્રેનોમાં વધારાના સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ ઉમેરશે
  • પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે ત્રણ જોડી ટ્રેનોમાં વધારાના સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે.
  • પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો આ મુજબ છે
  1.  ટ્રેન નંબર 12267/12268 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 1લી સપ્ટેમ્બર, 2023થી અને હાપાથી 2જી સપ્ટેમ્બર, 2023 થી એક વધારાના સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સાથે દોડશે. આ સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ આરક્ષિત કોચ હશે અને ટ્રેન નંબર 12267 અને 12268 બંને માટે બુકિંગ 27મી ઓગસ્ટ, 2023થી તમામ PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર ખુલશે. જો કે, આ કોચમાં કોઈ કેટરિંગ સેવા ઉપલબ્ધ રહેશે નહીં.
  2. ટ્રેન નંબર 22969/22970 ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખાથી 31મી ઓગસ્ટ, 2023થી અને 2જી સપ્ટેમ્બર, 2023થી બનારસથી એક વધારાના સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સાથે દોડશે.
  3.  ટ્રેન નંબર 19573/19574 ઓખા-જયપુર એક્સપ્રેસ 4થી સપ્ટેમ્બર, 2023થી ઓખાથી અને 5મી સપ્ટેમ્બર, 2023થી જયપુરથી વધારાના સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સાથે દોડશે.
  4. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ તરફ પશ્ચિમ રેલ્વેએ ટ્રેન નંબર 22989/90 બાંદ્રા ટર્મિનસ – મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસ સાપ્તાહિક થી દ્વિ-સાપ્તાહિક સુધી વધારી છે.

પશ્ચિમ રેલ્વેએ ટ્રેન નંબર 22989 /22990 બાંદ્રા ટર્મિનસ – મહુવા એક્સપ્રેસની આવર્તન સાપ્તાહિકથી દ્વિ-સાપ્તાહિક સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 22989 બાંદ્રા ટર્મિનસ – મહુવા એક્સપ્રેસ જે હાલમાં દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી ઉપડે છે તે 27 ડિસેમ્બર, 2023 થી દર બુધવારે પણ બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. એ જ રીતે ટ્રેન નંબર 22990 મહુવા – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ, જે હાલમાં દર શનિવારે મહુવાથી ઉપડે છે, તે પણ 28 ડિસેમ્બર, 2023 થી દર ગુરુવારે મહુવાથી ઉપડશે.

તો ટ્રેન નં. 22989/22990ને સાપ્તાહિકથી દ્વિ-સાપ્તાહિકમાં રૂપાંતરિત કરવાના પરિણામે, ટ્રેન નં. 22993 બાંદ્રા ટર્મિનસ-મહુવા એક્સપ્રેસ 27મી ડિસેમ્બર, 2023થી બાંદ્રા ટર્મિનસથી નહીં ચાલે અને ટ્રેન નં. 22994 મહુવા-બંદ્રા એક્સપ્રેસ 28મી ડિસેમ્બર, 2023થી મહુવાથી ઉપડશે નહીં.

આ પણ વાંચો: Gujarati Video: દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો માટે રાહતના સમાચાર, 24 ક્લાકમાં પડી શકે છૂટોછવાયો વરસાદ, 5 દિવસ સુધી રહેશે વરસાદી માહોલ

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
g clip-path="url(#clip0_868_265)">