AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : શાકભાજીના ભાવમાં ઘટાડો ! આવક વધતા હોલસેલ બજારમાં સસ્તું, રિટેઇલ બજારમાં હજુ મોઘું

જમાલપુર APMC ખાતે હોલસેલ બજારમાં ભાવ ઘટ્યા છે. પરંતુ રિટેઇલ બજારોમાં શાકભાજીના ભાવ હજુ પણ વધુ છે. આવો જાણીએ હોલસેલ અને રિટેઇલ બજારમાં ભાવના તફાવત વિશે.

Ahmedabad : શાકભાજીના ભાવમાં ઘટાડો ! આવક વધતા હોલસેલ બજારમાં સસ્તું, રિટેઇલ બજારમાં હજુ મોઘું
Vegetable Price
Darshal Raval
| Edited By: | Updated on: Aug 14, 2023 | 6:52 PM
Share

Ahmedabad : શાકભાજી (Vegetable) કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે. જે લોકોના આરોગ્ય માટે ઉપયોગી છે તેમજ શાકભાજી શરીરને શક્તિ પણ પૂરી પાડે છે. ત્યારે શાકભાજીમાં ભાવમાં વધારો થાય તો લોકોના બજેટ તો ખોરવાય છે, પરંતુ આરોગ્યને પણ અસર પડે. જે શાકભાજીના ભાવમાં ઘટાડો થવાની લોકો ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. જેનો અંત આવ્યો છે અને બે મહિના બાદ શાકભાજીના ભાવમાં 30થી 40 ટકા ઘટાડો નોંધાયો છે. જોકે, હોલસેલ બજાર કરતા રિટેઇલ બજારમાં હજુ વધુ ભાવે શાકભાજી મળી રહ્યા છે.

આ પણ વાંચો AMC દ્વારા અમદાવાદના ચાણક્યપુરીમાં લગાવેલ ટાયર કિલર બમ્પ નિષ્ક્રિય, ફરીથી રોંગ સાઈડ વાહનો દોડવા લાગ્યા! જુઓ Video

અમદાવાદમાં વિસ્તાર પ્રમાણે ભાવ અલગ અલગ હોય છે. જ્યારે TV9એ આ બાબતે તપાસ કરી તો જાણવા મળ્યું કે હોલસેલ બજારમાં ખેડૂત પાસેથી સીધો માલ આવે છે જેના કારણે ત્યાં ભાવ ઓછા હોય છે. અને બાદમાં હોલસેલ બજાર APMCમાંથી શાકભાજી રિટેઇલ બજારમાં જાય ત્યારે તેમાં ટ્રાન્સપોર્ટેશન, મજૂરી અને દલાલી મળતા તે જ ભાવમાં 30થી 50 રૂપિયા જેટલો વધારો થઈ જાય છે. જેના કારણે જે શાકભાજી જમાલપુર APMCમાં 60ની કિલો મળે છે, તે રિટેઇલ બજારમાં 100 રૂપિયે કિલો મળે છે. જેના પર APMCનું પણ કોઈ નિયંત્રણ નહિ હોવાનું જમાલપુર APMCના સેક્રેટરીએ જણાવ્યું હતું.

રિટેઇલ બજાર અને APMCમાં શાકભાજીના ભાવમાં તફાવત

ટામેટા સપ્તાહ પહેલા રિટેઇલ બજારમાં કિલોના રૂ.200 અને બાદમાં રૂ.160 થયા હતા જેના હવે રૂ.100 થયા છે. તે જમાલપુર APMCમાં હાલ રૂ.70થી 80ના ભાવે મળે છે. તો વટાણા સપ્તાહ પહેલા રિટેઇલ બજારમાં રૂ.240ના મળતા હતા જેના રૂ.100 થયા છે. જે હાલ APMCમાં હાલ રૂ.80ના મળે છે. આજ રીતે અન્ય શાકભાજીમાં પણ APMC અને રિટેઇલ બજારમાં શાકભાજીના ભાવમાં તફાવત જોવા મળે છે.

શાકભાજીની આવક વધતાં ભાવ ઘટ્યા

મળતી માહિતી પ્રમાણે શાકભાજીના ભાવમાં એક સપ્તાહ પહેલાથી જ ઘટાડો થવાની શરૂઆત થઈ હતી. જેની શરૂઆત 7 ઓગસ્ટના રોજ શાકભાજીની આવક 1300 કવીંટલથી 2300 કવીંટલ થઈ હતી. જેના કારણે ભાવમાં ઘટાડો નોંધાયો છે. જોકે હોલસેલ અને રિટેઇલ બજારોના ભાવમાં તફાવતને લઈને ગ્રાહકોમાં નારાજગી જોવા મળી છે. જેના કારણે ગ્રાહકોએ ભાવ નિયંત્રણ રાખવા માંગ કરી છે. તો હજુ પણ વધુ ભાવને લઈને લોકો ઓછી ખરીદી કરીને કામ ચલાવી રહ્યા છે.

આ જ રીતે શહેરના પોશ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં શાકભાજીના ભાવ જમાલપુર રિટેઇલ બજાર કરતા પણ વધુ છે. જે ભાવ હજુ પણ લોકો માટે અસહ્ય છે. ત્યારે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે શાકભાજીના ભાવમાં હજુ ઘટાડો થાય જેથી શહેરીજનોને રાહત મળે. વેપારીની વાત માનીએ તો તેના માટે લોકોએ હજુ એક સપ્તાહ જેટલી રાહ જોવી પડશે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">