AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : શાકભાજીના ભાવમાં ઘટાડો ! આવક વધતા હોલસેલ બજારમાં સસ્તું, રિટેઇલ બજારમાં હજુ મોઘું

જમાલપુર APMC ખાતે હોલસેલ બજારમાં ભાવ ઘટ્યા છે. પરંતુ રિટેઇલ બજારોમાં શાકભાજીના ભાવ હજુ પણ વધુ છે. આવો જાણીએ હોલસેલ અને રિટેઇલ બજારમાં ભાવના તફાવત વિશે.

Ahmedabad : શાકભાજીના ભાવમાં ઘટાડો ! આવક વધતા હોલસેલ બજારમાં સસ્તું, રિટેઇલ બજારમાં હજુ મોઘું
Vegetable Price
Darshal Raval
| Edited By: | Updated on: Aug 14, 2023 | 6:52 PM
Share

Ahmedabad : શાકભાજી (Vegetable) કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે. જે લોકોના આરોગ્ય માટે ઉપયોગી છે તેમજ શાકભાજી શરીરને શક્તિ પણ પૂરી પાડે છે. ત્યારે શાકભાજીમાં ભાવમાં વધારો થાય તો લોકોના બજેટ તો ખોરવાય છે, પરંતુ આરોગ્યને પણ અસર પડે. જે શાકભાજીના ભાવમાં ઘટાડો થવાની લોકો ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. જેનો અંત આવ્યો છે અને બે મહિના બાદ શાકભાજીના ભાવમાં 30થી 40 ટકા ઘટાડો નોંધાયો છે. જોકે, હોલસેલ બજાર કરતા રિટેઇલ બજારમાં હજુ વધુ ભાવે શાકભાજી મળી રહ્યા છે.

આ પણ વાંચો AMC દ્વારા અમદાવાદના ચાણક્યપુરીમાં લગાવેલ ટાયર કિલર બમ્પ નિષ્ક્રિય, ફરીથી રોંગ સાઈડ વાહનો દોડવા લાગ્યા! જુઓ Video

અમદાવાદમાં વિસ્તાર પ્રમાણે ભાવ અલગ અલગ હોય છે. જ્યારે TV9એ આ બાબતે તપાસ કરી તો જાણવા મળ્યું કે હોલસેલ બજારમાં ખેડૂત પાસેથી સીધો માલ આવે છે જેના કારણે ત્યાં ભાવ ઓછા હોય છે. અને બાદમાં હોલસેલ બજાર APMCમાંથી શાકભાજી રિટેઇલ બજારમાં જાય ત્યારે તેમાં ટ્રાન્સપોર્ટેશન, મજૂરી અને દલાલી મળતા તે જ ભાવમાં 30થી 50 રૂપિયા જેટલો વધારો થઈ જાય છે. જેના કારણે જે શાકભાજી જમાલપુર APMCમાં 60ની કિલો મળે છે, તે રિટેઇલ બજારમાં 100 રૂપિયે કિલો મળે છે. જેના પર APMCનું પણ કોઈ નિયંત્રણ નહિ હોવાનું જમાલપુર APMCના સેક્રેટરીએ જણાવ્યું હતું.

રિટેઇલ બજાર અને APMCમાં શાકભાજીના ભાવમાં તફાવત

ટામેટા સપ્તાહ પહેલા રિટેઇલ બજારમાં કિલોના રૂ.200 અને બાદમાં રૂ.160 થયા હતા જેના હવે રૂ.100 થયા છે. તે જમાલપુર APMCમાં હાલ રૂ.70થી 80ના ભાવે મળે છે. તો વટાણા સપ્તાહ પહેલા રિટેઇલ બજારમાં રૂ.240ના મળતા હતા જેના રૂ.100 થયા છે. જે હાલ APMCમાં હાલ રૂ.80ના મળે છે. આજ રીતે અન્ય શાકભાજીમાં પણ APMC અને રિટેઇલ બજારમાં શાકભાજીના ભાવમાં તફાવત જોવા મળે છે.

શાકભાજીની આવક વધતાં ભાવ ઘટ્યા

મળતી માહિતી પ્રમાણે શાકભાજીના ભાવમાં એક સપ્તાહ પહેલાથી જ ઘટાડો થવાની શરૂઆત થઈ હતી. જેની શરૂઆત 7 ઓગસ્ટના રોજ શાકભાજીની આવક 1300 કવીંટલથી 2300 કવીંટલ થઈ હતી. જેના કારણે ભાવમાં ઘટાડો નોંધાયો છે. જોકે હોલસેલ અને રિટેઇલ બજારોના ભાવમાં તફાવતને લઈને ગ્રાહકોમાં નારાજગી જોવા મળી છે. જેના કારણે ગ્રાહકોએ ભાવ નિયંત્રણ રાખવા માંગ કરી છે. તો હજુ પણ વધુ ભાવને લઈને લોકો ઓછી ખરીદી કરીને કામ ચલાવી રહ્યા છે.

આ જ રીતે શહેરના પોશ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં શાકભાજીના ભાવ જમાલપુર રિટેઇલ બજાર કરતા પણ વધુ છે. જે ભાવ હજુ પણ લોકો માટે અસહ્ય છે. ત્યારે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે શાકભાજીના ભાવમાં હજુ ઘટાડો થાય જેથી શહેરીજનોને રાહત મળે. વેપારીની વાત માનીએ તો તેના માટે લોકોએ હજુ એક સપ્તાહ જેટલી રાહ જોવી પડશે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષે નિવૃતિ જાહેર કરી
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષે નિવૃતિ જાહેર કરી
બળદિયાની જેમ 25 વર્ષ કામ કરનાર રાજ્યસભામાં પહોંચ્યા
બળદિયાની જેમ 25 વર્ષ કામ કરનાર રાજ્યસભામાં પહોંચ્યા
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
g clip-path="url(#clip0_868_265)">