રાજકીય પક્ષો હવે શહેરની દિવાલો પર પાર્ટીના સિમ્બોલ ચિતરી શકશે નહીં, દિવાલ ચિતરશે તો AMC કરશે કાર્યવાહી

અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ અમદાવાદ શહેરમાં વિવિધ રાજકીય પક્ષ પોતાના પાર્ટી સિમ્બોલ સરકારી કે અન્ય દિવાલો ઉપર ચીતરી નહીં શકે.

રાજકીય પક્ષો હવે શહેરની દિવાલો પર પાર્ટીના સિમ્બોલ ચિતરી શકશે નહીં, દિવાલ ચિતરશે તો AMC કરશે કાર્યવાહી
AMC
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Sep 24, 2022 | 4:27 PM

વિધાનસભા ચૂંટણી (Assembly elections) નજીકમાં છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. પોતાના પક્ષના પ્રચાર માટે વિવિધ પાર્ટીઓ શહેરમાં ઠેર ઠેર પાર્ટીના સિમ્બોલ દિવાલો અને બ્રિજના પીલરો ઉપર ચિતરાવતા હોય છે. જો કે ભાજપ (BJP) હોય, કોંગ્રેસ (Congress) હોય, આમ આદમી પાર્ટી (AAM ADAMI PARTY) હોય કે પછી ભલે અન્ય કોઈ પક્ષ હોય, તે દિવાલો પર પોતાના પાર્ટીનું સિમ્બોલ ચિતરાવી શકશે નહીં. હવે આ પાર્ટીઓ દિવાલો ચિતરીને પોતાના પક્ષનો પ્રચાર કરી શકશે નહીં. જો તેમ કરશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવાનો નિર્ણય AMC દ્વારા લેવામાં આવ્યો છે. કોર્પોરેશન નું માનવું છે કે આ પ્રકારના કાર્યથી અમદાવાદ શહેરમાં સરકારી તેમજ અન્ય પ્રોપર્ટીના રંગ રોગાનને નુકસાન થાય છે. શહેરની મિલકતોને આ પ્રકારે નુકસના ન થાય તે ખૂબ જરૂરી હોવાનું AMCનું માનવુ છે. જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય કર્યો છે.

AMCએ શું નિર્ણય કર્યો ?

અમદાવાદ કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ અમદાવાદ શહેરમાં વિવિધ રાજકીય પક્ષ પોતાના પાર્ટી સિમ્બોલ સરકારી કે અન્ય દીવાલો ઉપર ચીતરી નહીં શકે. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં અમદાવાદની દિવાલો પર ચિતરાયેલા રાજકીય પક્ષોના સિમ્બોલ તેના પર બીજો કલર કરીને તેને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જે કામગીરી પાછળ એક ઝોનમાં દસ લાખનો ખર્ચ અંદાજે મળી કુલ સાત ઝોનમાં 70 લાખના અંદાજિત ખર્ચમાં આ કામગીરી કરવામાં આવી રહી છે.

જોકે અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ખર્ચ બાબતે કોઈપણ ફોડ ન પાડી કામગીરી કરાઈ રહી હોવાનું રટણ રટ્યું હતું. તેમજ જો કોઈપણ પાર્ટી ફરી આવું કાર્ય કરે તો તેની સામે કયા પ્રકારની દંડકીય કાર્યવાહી કરવાની છે તે મામલે પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કોઈ પણ માહિતી આપી ન હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

હાલ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અમદાવાદ શહેરમાં ચીતરવામાં આવેલા વિવિધ પાર્ટીના લોગો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં છે. જોકે હવે જોવાનું એ રહે છે કે ફરીવાર આ પાર્ટીઓ જ્યાં ત્યાં સિમ્બોલ ચીતરશે તો તેની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કયા પ્રકારની દંડકીય કાર્યવાહી કરશે, કે પછી આ કાર્યવાહીની વાત માત્ર કાગળ પર જ રહી જાય છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">