AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, અમદાવાદમાં તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, હજુ ગરમી વધશે

હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી પ્રમાણે હજુ પણ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં સુરત જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર, વેરાવળ અને ગીરસોમનાથમાં હિટવેવની આગાહી કરી છે.

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, અમદાવાદમાં તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, હજુ ગરમી વધશે
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 9:35 AM
Share

રાજ્યમાં કાળઝાળ ગરમી (heat) નો પ્રકોપ યથાવત્ છે. 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો, તો અમદાવાદમાં આ સિઝનમાં પ્રથમ વખત ગરમી 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાઇ છે. હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી પ્રમાણે હજુ પણ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં સુરત જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર, વેરાવળ અને ગીરસોમનાથમાં હિટવેવની આગાહી કરી છે. આ સાથે જ કચ્છમાં પણ ગરમી વધવાના એંધાણ છે. વાત અમદાવાદની કરીએ તો આગામી બે દિવસોમાં અમદાવાદ (Ahmedabad) ના તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. અમદાવાદમાં કોર્પોરેશને આગામી ચાર દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે રાજ્યના લોકોએ હજી પણ આગામી બે દિવસ તપવા માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગના અધિકારીનું માનીએ તો ઉત્તરી પવન ફૂંકાવાના કારણે ગરમીમાં નોંધપાત્ર વધારો થયો છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે પવનની દિશા ઉત્તર પશ્ચિમના પવન ફુંકાઈ રહ્યા છે. જેના કારણે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના સૂરત. નવસારી. વલસાડ. ભરૂચમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે. તો મધ્ય ગુજરાત ના વડોદરા. ગાંધીનગર અને દાહોદ સહિત હિટવેવ ની અસર વર્તાઈ શકે છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા. પાટણ. મહેસાણા અને મોડાસા સહિત હિટવેવની અસર રહેશે. સૌરાષ્ટ્રના પોરબંદર. કચ્છ. ગીર સોમનાથ. ભાવનગર. રાજકોટ અને કચ્છ સહિત વિસ્તારમાં હીટવેવ ની અસર વર્તાશે. અને તેમાં પણ કચ્છમાં બે દિવસમાં વધુ બે ડિગ્રી તાપમાન વધી શકે તેવું અનુમાન પણ હવામાને કર્યું છે

વધતી ગરમી સામે હવામાન વિભાગે અપીલ કરી છે કે લોકો કામ સિવાય બહાર ન નીકળે. તેમજ જો કોઈ કામ થી નહાર નીકળે તો શરીરને સીધો તાપ ન લાગે તે માટે શરીરને ઢાંકે તેમજ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો ઉપયોગ કરે. તેમજ બીમાર અને સિનિયર સીટીઝન વ્યક્તિને બહાર નહિ નીકળવા પણ અપીલ કરાઈ છે.

આ પણ વાંચોઃ Surat : “બુર્જ ખલીફા”ની ડિઝાઇન બનાવનાર એજન્સી કોર્પોરેશન નવા વહીવટી ભવનની ડિઝાઇન માટે કન્સલ્ટન્સી કરશે

આ પણ વાંચોઃ Arvalli: મેશ્વો નદીની ઉનાળામાં જીવંત કરાઈ, શામળાજી નજીક જળાશયમાંથી સુકી ભઠ્ઠ બનેલી નદીમાં પાણી છોડાયુ

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">