AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCP સુપ્રીમો શરદ પવારે અમદાવાદમાં ગૌતમ અદાણી સાથે કરી મુલાકાત, એક કલાક સુધી બંને વચ્ચે ચાલી બેઠક, 6 મહિનામાં આ ત્રીજી મુલાકાત

Ahmedabad: NCP સુપ્રીમો શરદ પવાર અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચે ફરી મુલાકાત થઈ હોવાની જાણકારી સામે આવી છે. બંને વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક થઈ હોવાની જાણકારી સામે આવી છે. શરદ પવાર એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગૌતમ અદાણીને મળવા પહોંચ્યા હોવાની જાણકારી સામે આવી છે.

NCP સુપ્રીમો શરદ પવારે અમદાવાદમાં ગૌતમ અદાણી સાથે કરી મુલાકાત, એક કલાક સુધી બંને વચ્ચે ચાલી બેઠક, 6 મહિનામાં આ ત્રીજી મુલાકાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 8:36 PM
Share

Ahmedabad: અમદાવાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચે ફરી મુલાકાત થઈ હોવાની જાણકારી સામે આવી છે. શરદ પવારથી NCPમાંથી અલગ થયા બાદ શરદ પવારની ગૌતમ અદાણી સાથે આ બીજી મુલાકાત છે. આ અગાઉ શરદ પવારે 2જી જૂન 2023ના રોજ ગૌતમ અદાણી સાથે તેમના સરકારી નિવાસસ્થાન સિલ્વર ઓક ખાતે મુલાકાત કરી હતી. એ પહેલા તેઓ એપ્રિલમાં ગૌતમ અદાણીને મળ્યા હતા. એ સમયે અદાણી ગૃપ હિંડનબર્હગના રિપોર્ટને લઈને વિપક્ષના નિશાને હતુ. આજની શરદ પવારની અમદાવાદ પહોંચવાની જે તસ્વીરો સામે આવી છે તેમા તેમની પાર્ટીના નેતા જયંત પટેલ ઉર્ફે જયંત બોસ્કી પણ જોવા મળ્યા હતા.

છ મહિનામાં આ ત્રીજી મુલાકાત

શરદ પવાર અને ગૌતમ અદાણી વચ્ચે અમદાવાદમાં શાંતિવન ખાતે મુલાકાત થઈ હતી. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવાર એક ખાનગી કાર્યક્રમમાં સામેલ થવા માટે ગૌતમ અદાણીને મળવા માટે પહોંચ્યા હતા. આ પહેલા ગૌતમ અદાણી અને શરદ પવારની 20 એપ્રિલ 2023 ના રોજ મુંબઈમાં મુલાકાત થઈ હતી, જે 2 કલાક સુધી ચાલી હતી. પવારની અદાણી સાથેની એ મુલાકાત અદાણી હિંડનબર્ગ વિવાદને લઈને પણ ઘણી ચર્ચામાં રહી હતી. ત્યારબાદ 2 જૂન 2023ના રોજ શરદપવારે ગૌતમ અદાણી વચ્ચે બીજીવાર મુલાકાત થઈ હતી. જેમા બંને વચ્ચે 30 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. અમદાવાદની આજની મુલાકાત પણ એકાદ કલાક સુધી ચાલી હતી જો કે આ મુલાકાતને લઈને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

2 જૂને થયેલી અદાણી સાથેની મુલાકાતને ટેક્નિકલ ગણાવી પવારે જવાબ આપવાનુ ટાળ્યુ

શરદ પવારના સત્તાવાર નિવાસસ્થાન સિલ્વર ઓક ખાતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને શરદ પવાર વચ્ચે બીજીવાર થયેલી મુલાકાતને લઈને રાજનીતિમાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. શરદ પવારે અદાણી સાથે થયેલી મુલાકાતને અટેક્નિકલ કહીને ટાળી દીધી હતી. તેમણે માત્ર એટલુ જ જણાવ્યુ કે સિંગાપોરથી આવેલા શિષ્ટમંડળને ગૌતમ અદાણી સાથે મુલાકાત કરવી હતી. એ સમયે તેમની વચ્ચે 30 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. જો કે આ મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની હતી તેની પાછળ શરદ પવારની CM શિંદે સાથેની મુલાકાત હતી. અદાણી પહેલા શરદ પવાર CM શિંદેને મળ્યા હતા.

આ પણ વાંચો: Micron સ્થાપવા જઈ રહી છે ગુજરાતમાં દેશની સૌથી અદ્યતન સેમિકન્ડક્ટર ફેક્ટરી, Tata ડેવલોપ કરશે પ્રોજેક્ટ

ફેક્ટરીના ઉદ્દઘાટન સમારોહમાં આવ્યા હતા પવાર

સૂત્રોના જણાવ્યા મુજબ NCP સુપ્રીમો શરદ પવાર પુણેના બિઝનેસમેનની અમદાવાદમાં ફેક્ટરીના ઉદ્દઘાટન માટે આવ્યા હતા. અમદાવાદના વાસણામાં એક ખાનગી કાર્યક્રમમાં તેઓ આવ્યા હતા. ત્યારબાદ તે અદાણી ગૃપના ગૌતમ અદાણીને મળવા માટે ગયા હતા. હિંડનબર્ગ રિપોર્ટ આવ્યો એ સમયે ગૌતમ અદાણી વિપક્ષના નિશાને હતા ત્યારે શરદ પવારે કહ્યુ હતુ કે હિંડનબર્ગ કેસમાં વિપક્ષની જેપીસીની માગ ખોટી છે. પહેલા પણ અનેક જેસીપી બની છે. જેમા હું ખુદ હેડ રહ્યો છુ. પરંતુ તેમા મેજોરિટીની વાત જ માનવામાં આવે છે. આથી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી કમિટી યોગ્ય રહેશે. પવારે જણાવ્યુ હતુ કે હિંડનબર્ડગ આમ પણ વિદેશી છે તો આપણે તેના રિપોર્ટને વધુ મહત્વ શા માટે આપવુ જોઈએ!

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">