Navratri 2022: ખેલૈયાઓ આનંદો, વાયબ્રન્ટ નવરાત્રીનું બે વર્ષ બાદ થશે આયોજન

GMDC ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગુજરાતના જાણીતા કલાકારો અહીં ગરબાની રમઝટની જમાવટ કરશે. તમામ લોકો અહીં વિનામૂલ્યે વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં પ્રવેશ મેળવી શકશે.

Navratri 2022: ખેલૈયાઓ આનંદો, વાયબ્રન્ટ નવરાત્રીનું બે વર્ષ બાદ થશે આયોજન
GMDC ગ્રાઉન્ડ ખાતે થશે વાયબ્રન્ટ નવરાત્રિનું આયોજન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2022 | 7:46 PM

કોરોના મહામારીના બે વર્ષ બાદ નવરાત્રી પર્વની (Navratri 2022) ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે, ત્યારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વર્ષોની પરંપરા મુજબ વાયબ્રન્ટ નવરાત્રી (Vibrant navratri  mahotsav 2022) મહોત્સવ યોજાશે. યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા GMDC ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દરમિયાન ગુજરાતના જાણીતા કલાકારો અહીં ગરબાની રમઝટની જમાવટ કરશે. તમામ લોકો અહીં વિનામૂલ્યે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં પ્રવેશ મેળવી શકશે.

કોરોનાકાળથી રાહત મળતા નવરાત્રી જામશે

આ વર્ષે કોરોનાના કેસમાં રાહત મળી છે, તેથી ખેલૈયાઓનો ઉત્સાહ ગરબા રમવા માટે ચરમસીમા ઉપર છે ત્યારે વાયબ્રન્ટ નવરાત્રીના આયોજનના અહેવાલ આનંદિત કરી જશે. નવરાત્રીની તૈયારીઓમાં અત્યારે આખું ગુજરાત હિલોળે ચઢેલું છે, ત્યારે નવરાત્રીમાં અમદાવાદ વાસીઓને મેટ્રો ટ્રેનની ભેટ પણ મળી શકે છે. કોરોના કાળમાં બે વર્ષ સુધી ગરબા ન રમવા મળતા ખેલૈયાઓ આ વખતે ગરબા રમવાની પરમિશન મળતા જ તૈયારીમાં લાગી ગયા છે. તેમાં પણ ખાસ કરીને ચણિયાચોળીની ખરીદી માટે લો ગાર્ડન બજારમાં ભીડ જોવા મળી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ચણિયા ચોળી અને  કેડિયા સહિતની વસ્તુની ધૂમ ખરીદી

બજારોમાં પણ લોકો હોંશે હોંશે ખરીદી (Shopping) કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ગરબાના કોઈ મોટા આયોજનો થઈ શક્યા ન હતા. ત્યારે આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો ગુજરાતીઓની પ્રિય એવીનવરાત્રી દરમિયાન કોઈ કસર બાકી રાખવા માગતા નથી. જો કે આ વખતે બજારોમાં મોંઘવારીનો માર ચણિયાચોળી સહિત અનેક ચીજવસ્તુઓ પર દેખાઈ રહ્યો છે. કપડા અને ઓર્નામેન્ટ્સ થી લઈને દરેક ચીજવસ્તુઓના ભાવમાં 15થી 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતા બજારોમાં ભારે ખરીદી નીકળી છે.

મેટ્રો રેલ સેવાને પાંચમાં નોરતે PM આપી શકે છે લીલી ઝંડી

30 સપ્ટેમ્બરે એટલે કે નવરાત્રીના પાંચમાં નોરતે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેઝ એકના મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપે તો અમદાવાદ શહેરમાં 40 km ના ફેઝ એકના સંપૂર્ણ રૂટ ઉપર મેટ્રો ટ્રેન સેવા લોકોને મળી રહેશે. જે 40 કિલોમીટર રૂટમાં ઉત્તર દક્ષિણ કોરિડોરમાં વાસણા એપીએમસી થી મોટેરા સુધી અંદાજે 19 km રૂટ જ્યારે પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી અંદાજે 21 કિલોમીટરના રૂટમાં મેટ્રો ટ્રેન સંપૂર્ણપણે દોડતી થશે. આ બંને રૂટ ઉપર કુલ 32 સ્ટેશનો આવેલા છે કે જ્યાંથી શહેરીજનો મેટ્રો ટ્રેન સેવાનો લાભ લઈ શકશે. જેમાં વાસણા APMCથી મોટેરા સુધી અંદાજે 15 સ્ટેશન જ્યારે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી અંદાજે 17 સ્ટેશનનો સમાવેશ થાય છે. જે તમામ સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષા તેમજ અન્ય બાબતોને ધ્યાને રાખીને સુવિધાઓ ઉભી કરાઈ છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">