AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરારી બાપૂએ અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારો ને 51 લાખ રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરી

વારાણસીમાં સમાપ્ત થયેલી નવદિવસીય 'માનસ સિંદૂર' રામકથાના અંતિમ દિવસે, પૂજ્ય મોરારી બાપુએ અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોના પરિવારોને ૫૧ લાખ રૂપિયાની સહાય જાહેર કરી.

મોરારી બાપૂએ અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારો ને 51 લાખ રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરી
Ronak Varma
| Edited By: | Updated on: Jun 22, 2025 | 9:58 PM
Share

વારાણસી ખાતે આયોજિત નવદિવસીય ‘માનસ સિંદૂર’ રામકથાના અંતિમ દિવસે પ્રસિદ્ધ અધ્યાત્મિક ગુરૂ અને રામકથા વાચક પૂજ્ય મોરારી બાપૂએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જાન ગુમાવનાર લોકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં ₹૫૧ લાખની સહાય રાશિની જાહેરાત કરી છે.

આ સહાય રાશિ લંડન નિવાસી રમેશભાઈ સચદેવ તરફથી ચિત્રકૂટધામ ટ્રસ્ટ, તલગાજરડાના માધ્યમથી આપવામાં આવશે. બાપૂએ આ સહાય આ દુઃખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત કરી છે.

બાપૂએ જણાવ્યું કે, “રમેશભાઈ એ આ ખુબજ દુઃખદ દુર્ઘટનાના પીડિતો માટે 51 લાખની રકમ અર્પણ કરવાનો ઉદાર નિર્ણય કર્યો.”

બાપૂએ દુર્ઘટનામાં એક વ્યક્તિ જીવતી બચી જવાના સમાચાર વિષે વાત કરતા જણાવ્યું હતું કે, “મેં વાંચ્યું કે એક માણસ વિમાનમાંથી કૂદી બચી ગયો. જ્યારે એક સામાન્ય માનવી આવું કરી શકે, તો મારો હનુમાન શું નહીં કરી શકે?”

‘માનસ સિંદૂર’ કથા પહેલગામની બહેનો-દીકરીઓ ને સમર્પિત

મોરારી બાપૂએ વારાણસીમાં પૂર્ણ થયેલી નવદિવસીય ‘માનસ સિંદૂર’ રામકથાને પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલાઓના પરિવારજનોને સમર્પિત કરી હતી. કથાના અંતિમ દિવસે બાપૂએ જણાવ્યું કે, “શ્રી હનુમાનજીને વિદાય આપતાં પહેલાં આ નવદિવસીય રામકથા ‘માનસ સિંદૂર’ અર્પણ કરું છું.

તેમણે કહ્યું, પહેલગામમાં જેમનું પવિત્ર સિંદૂર ક્રૂરતાપૂર્વક છીનવાઈ ગયું એ બહેનો અને દીકરીઓને અને તેમના પરિવારોને સમર્પિત કરું છું. ભારત સરકારે રાષ્ટ્રવ્યાપી રૂપે ‘ઓપરેશન સિંદૂર’ નો પ્રયોગ કર્યો . તો હું આ કથાને તે ‘ઓપરેશન સિંદૂર’ ને પણ સમર્પિત કરું છું.”

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">