AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં ઝૂંપડાઓ પર આફત, શાસ્ત્રી બ્રિજ નજીક આગે 20થી વધુ ઝૂંપડા ભરખી લીધા, જુઓ Video

અમદાવાદના શાસ્ત્રી બ્રિજ નજીક ઝૂંપડામાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. 10 ફાયર બ્રિગેડની ગાડીઓએ આગને ઠારી હતી, જેમાં 20થી 25 ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા.

Breaking News : અમદાવાદમાં ઝૂંપડાઓ પર આફત, શાસ્ત્રી બ્રિજ નજીક આગે 20થી વધુ ઝૂંપડા ભરખી લીધા, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2026 | 5:23 PM
Share

અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ નજીક આવેલા ઝૂંપડાઓમાં લાગેલી ભીષણ આગે 20થી 25 ઝૂંપડાઓને ભરખી લીધા હતા, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. આ ઘટના અમદાવાદના વિશાલાથી શાસ્ત્રી બ્રિજ વચ્ચેના ફતેવાડી વિસ્તારમાં આવેલા ઝૂંપડાઓમાં બની હતી, જ્યાં કેનાલની આજુબાજુ 200થી વધુ ઝૂંપડાઓ આવેલા છે.

બપોરના સમયે આગ લાગી ત્યારે ઝૂંપડાઓમાં રહેતા મોટાભાગના શ્રમિકો મજૂરી કામ માટે બહાર ગયા હતા. જેના કારણે કોઈ પણ વ્યક્તિ આગની લપેટમાં આવી ન હતી અને મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર કર્મીઓ અને પોલીસના જવાનો દ્વારા ઝૂંપડામાં રહેલો કેટલોક સામાન બચાવવાનો પણ પ્રયાસ કરાયો હતો. આસપાસના લોકોએ પણ પોતાના પૂરતી મદદ કરી હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર આવા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આગ સલામતીના મુદ્દાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. નોંધનીય છે કે, આ જ સ્થળે અગાઉ પણ બે વખત આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે. વારંવાર એક જ જગ્યાએ આગ લાગવાના બનાવો સ્થાનિક પ્રશાસન માટે પણ એક મોટો પડકાર છે. આ પાછળનું કારણ શું છે તે તપાસનો વિષય બન્યો છે.

આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદના મેયર પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે આગની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને રાહત કામગીરી અંગે માહિતી મેળવી હતી. મેયરે જણાવ્યું હતું કે મેટ્રો સ્ટેશનની બાજુમાં આવેલા આ ઝૂંપડાઓમાં રહેતા લોકો મજૂરી કામ કરતા હોવાથી તેઓ ઘટના સમયે હાજર ન હતા, જેથી જાનહાનિ ટળી છે. તેમણે અસરગ્રસ્તોને જરૂરી મદદ પૂરી પાડવા માટે આશ્વાસન આપ્યું હતું.

અમદાવાદ-ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીથી ખળભળાટ

Follow Us
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
g clip-path="url(#clip0_868_265)">