AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : હાટકેશ્વર ઓવર બ્રિજનું બેસણું યોજી પ્રજાનો વિરોધ, મંજૂરી વિના બેસણું યોજનાર લોકો સામે પોલીસની કાર્યવાહી, જુઓ Video

Ahmedabad : હાટકેશ્વર બ્રિજ વારંવાર બંધ કરાવવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા રહે છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી ત્રસ્ત સ્થાનિકોએ આ બ્રિજનો બેસણા કાર્યક્રમ રાખીને વિરોધ દર્શાવ્યો હતો.

Ahmedabad : હાટકેશ્વર ઓવર બ્રિજનું બેસણું યોજી પ્રજાનો વિરોધ, મંજૂરી વિના બેસણું યોજનાર લોકો સામે પોલીસની કાર્યવાહી, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 3:57 PM
Share

સામાન્ય રીતે શહેરમાં બનતા ઓવરબ્રિજ કે અંડરબ્રિજનો હેતુ ટ્રાફિકની સમસ્યા દૂર કરી પ્રજાજનોને રાહત આપવાનો હોય છે. પરંતુ અમદાવાદમાં એક બ્રિજ એવો છે કે જે આશીર્વાદને બદલે આફતરૂપ સાબિત થયો છે. આ બ્રિજ છે હાટકેશ્વર જંક્શનનો છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ. આ ઓવરબ્રિજ બન્યાને 5 વર્ષ થઇ ગયા છે. પરંતુ 5 વર્ષમાં આ બ્રિજ 5 વખત બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે રહીશોએ પોતાનો વિરોધ નોંધાવવા બ્રિજનું બેસણુ યોજ્યું હતુ.

મંજુરી વિના કાર્યક્રમ કરતા પોલીસની કાર્યવાહી

વારંવાર હાટકેશ્વર બ્રિજ બંધ કરાવવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા રહે છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી ત્રસ્ત સ્થાનિકોએ આ બ્રિજનો બેસણા કાર્યક્રમ રાખીને વિરોધ દર્શાવ્યો હતો. જોકે પરવાનગી ન લીધી હોવાથી પોલીસે આ કાર્યક્રમ રાખનારા લોકો સામે કાર્યવાહી કરી હતી અને બેસણામાં બેઠેલો લોકોને ત્યાંથી હટાવ્યા હતા. પોલીસની આ કાર્યવાહી સામે રહીશોમાં નારાજગી પ્રવર્તી છે. લોકોની માગ છે કે પોલીસે જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઇએ, પ્રજા સામે નહીં.

વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવ્યો

તો પોલીસની કાર્યવાહી સામે પ્રજામાં રોષ ફેલાયો છે અને આ રોષનો વિરોધ કરવા સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોએ પોતાના વેપાર-ધંધા બંધ રાખ્યા હતા. એક તરફ પ્રજામાં વિરોધનો સૂર બુલંદ બન્યો છે, તો બીજી તરફ કાર્યવાહીના નામે પોલીસ દ્વારા દમન ગુજરાવાનો લોકો આરોપ કરી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે શું ભ્રષ્ટાચારના ઓવરબ્રિજ મામલે મનપાના શાસકો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરશે ?

બ્રિજમાં વારંવાર પડે છે ગાબડા

આપને જણાવી દઇએ કે પ્રજાના ટેક્સના રૂપિયા 40 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવાયો છે. પરંતુ આ બ્રિજ આફતનો બ્રિજ સાબિત થયો છે. વારંવાર આ બ્રિજમાં ગાબડા પડવાની ઘટના સામે આવે છે. ત્યારે લોકોની માગ છે કે કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. લોકોનો આરોપ છે કે, બ્રિજના કારણે ટ્રાફિકજામનો પ્રશ્ન સર્જાયો છે અને વેપાર ધંધાને માઠી અસર પહોંચી છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">