AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : હાટકેશ્વર ઓવર બ્રિજનું બેસણું યોજી પ્રજાનો વિરોધ, મંજૂરી વિના બેસણું યોજનાર લોકો સામે પોલીસની કાર્યવાહી, જુઓ Video

Ahmedabad : હાટકેશ્વર બ્રિજ વારંવાર બંધ કરાવવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા રહે છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી ત્રસ્ત સ્થાનિકોએ આ બ્રિજનો બેસણા કાર્યક્રમ રાખીને વિરોધ દર્શાવ્યો હતો.

Ahmedabad : હાટકેશ્વર ઓવર બ્રિજનું બેસણું યોજી પ્રજાનો વિરોધ, મંજૂરી વિના બેસણું યોજનાર લોકો સામે પોલીસની કાર્યવાહી, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 3:57 PM
Share

સામાન્ય રીતે શહેરમાં બનતા ઓવરબ્રિજ કે અંડરબ્રિજનો હેતુ ટ્રાફિકની સમસ્યા દૂર કરી પ્રજાજનોને રાહત આપવાનો હોય છે. પરંતુ અમદાવાદમાં એક બ્રિજ એવો છે કે જે આશીર્વાદને બદલે આફતરૂપ સાબિત થયો છે. આ બ્રિજ છે હાટકેશ્વર જંક્શનનો છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ. આ ઓવરબ્રિજ બન્યાને 5 વર્ષ થઇ ગયા છે. પરંતુ 5 વર્ષમાં આ બ્રિજ 5 વખત બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે રહીશોએ પોતાનો વિરોધ નોંધાવવા બ્રિજનું બેસણુ યોજ્યું હતુ.

મંજુરી વિના કાર્યક્રમ કરતા પોલીસની કાર્યવાહી

વારંવાર હાટકેશ્વર બ્રિજ બંધ કરાવવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા રહે છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી ત્રસ્ત સ્થાનિકોએ આ બ્રિજનો બેસણા કાર્યક્રમ રાખીને વિરોધ દર્શાવ્યો હતો. જોકે પરવાનગી ન લીધી હોવાથી પોલીસે આ કાર્યક્રમ રાખનારા લોકો સામે કાર્યવાહી કરી હતી અને બેસણામાં બેઠેલો લોકોને ત્યાંથી હટાવ્યા હતા. પોલીસની આ કાર્યવાહી સામે રહીશોમાં નારાજગી પ્રવર્તી છે. લોકોની માગ છે કે પોલીસે જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઇએ, પ્રજા સામે નહીં.

વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવ્યો

તો પોલીસની કાર્યવાહી સામે પ્રજામાં રોષ ફેલાયો છે અને આ રોષનો વિરોધ કરવા સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોએ પોતાના વેપાર-ધંધા બંધ રાખ્યા હતા. એક તરફ પ્રજામાં વિરોધનો સૂર બુલંદ બન્યો છે, તો બીજી તરફ કાર્યવાહીના નામે પોલીસ દ્વારા દમન ગુજરાવાનો લોકો આરોપ કરી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે શું ભ્રષ્ટાચારના ઓવરબ્રિજ મામલે મનપાના શાસકો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરશે ?

બ્રિજમાં વારંવાર પડે છે ગાબડા

આપને જણાવી દઇએ કે પ્રજાના ટેક્સના રૂપિયા 40 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવાયો છે. પરંતુ આ બ્રિજ આફતનો બ્રિજ સાબિત થયો છે. વારંવાર આ બ્રિજમાં ગાબડા પડવાની ઘટના સામે આવે છે. ત્યારે લોકોની માગ છે કે કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. લોકોનો આરોપ છે કે, બ્રિજના કારણે ટ્રાફિકજામનો પ્રશ્ન સર્જાયો છે અને વેપાર ધંધાને માઠી અસર પહોંચી છે.

જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
વ્યવસાયિક પ્રયત્નો અને દાન કરવાથી અણધાર્યો લાભ થશે
વ્યવસાયિક પ્રયત્નો અને દાન કરવાથી અણધાર્યો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">